જ્યારે પોતે જ જગદીપ ધનખડને હટાવવા માગતી હતી કોંગ્રેસ, તો પછી રાજીનામા પર હાયતોબા કેમ?

ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામાને કારણે રાજકીય માહોલ ગરમ છે. તેમના રાજીનામા બાદ વિપક્ષ સરકાર પર પ્રહાર કરી રહ્યું છે. વિપક્ષનું કહેવું છે કે, ધનખડે કોઈ દબાણમાં રાજીનામું આપ્યું છે. વિપક્ષના નેતાઓ ધનખડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ તેમને એક મહાન વ્યક્તિ કહી રહ્યા છે, પરંતુ આ એ જ નેતાઓ છે જેઓ થોડા મહિના અગાઉ સુધી ધનખડ પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા હતા. તેઓ સત્તા પક્ષને વધુ સમય આપવાની વાત કહેતા હતા.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે વિપક્ષે ધનખડ સામે ગયા વર્ષે 10 ડિસેમ્બરે અવિશ્વાસ પ્રસતાવની નોટિસ રાજ્યસભાના મહાસચિવ પી.સી. મોદીને સોંપી હતી. આ પ્રસ્તાવ પર કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ (TMC), આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પાર્ટી (SP), DMK અને અન્ય વિપક્ષી પાર્ટીઓના લગભગ 60 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. વિપક્ષે ગૃહમાં ધનખડ પર પક્ષપાતપૂર્ણ વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. જોકે 19 ડિસેમ્બરે ઉપાધ્યક્ષ હરિવંશે ટેક્નિકલ આધાર પર આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો, કારણ કે તેને રજૂ કરવા માટે જરૂરી 14 દિવસની નોટિસ આપવામાં આવી નહોતી. આ ભારતના સંસદીય ઇતિહાસમાં પહેલો અવસાર હતો, જ્યારે ઉપરાષ્ટ્રપતિ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

jairam-ramesh1
indianexpress.com

આ અવિશ્વાસ પ્રસ્તાવમાં સૌથી આગળ દેખાયેલી કોંગ્રેસ પાર્ટી અને તેના નેતા હવે ધનખડની પ્રશંસા કરી રહ્યા છે. હકીકતમાં, ધનખડે સોમવારે રાત્રે સ્વાસ્થ્યના કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસે દાવો કર્યો હતો કે જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવા પાછળ તેમના દ્વારા જણાવવામાં આવેલા સ્વાસ્થ્ય કારણો સિવાય અન્ય મોટા કારણો છે. કોંગ્રેસે કહ્યું કે ધનખડનું રાજીનામું તેમની બાબતે ઘણું બધું કહે છે અને સાથે જ એ લોકોની નિયત પર પણ ગંભીર સવાલ ઉભા કરે છે, જેમણે તેમને રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચાડ્યા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે ધનખડે સોમવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભાની કાર્ય મંત્રણા સમિતિની અધ્યક્ષતા કરી હતી.

કોંગ્રેસે કહ્યું કે સોમવારે બપોરે 1:00 થી 4:30 વાગ્યાની વચ્ચે કંઈક ખૂબ જ ગંભીર ઘટના બની હતી કે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને કિરેન રિજિજૂ કાર્ય મંત્રણા સમિતિની બેઠકમાં પહોંચ્યા નહોતા. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે એમ પણ કહ્યું કે ધનખડ માપદંડ, શિષ્ટાચાર અને નિયમો પ્રત્યે ખૂબ જ સભાન હતા અને તેમનું માનવું હતું કે તેમના કાર્યકાળ દરમિયાન આ નિયમોની સતત અવહેલના થઈ રહી હતી.  કોંગ્રેસના મહાસચિવે કહ્યું કે ધનખડ હંમેશાં 2014 બાદ ભારતની પ્રશંસા કરતા હતા, પરંતુ સાથે જ ખેડૂતોના હિત માટે ખૂલીને અવાજ ઉઠાવ્યો. તેમણે સાર્વજનિક જીવનમાં વધતા અહંકારની ટીકા કરી હતી અને ન્યાયપાલિકાની જવાબદારી અને સંયમની જરૂરિયાત પર ભાર આપ્યો હતો. તેમણે વિપક્ષને શક્ય તેટલી જગ્યા આપવાનો પ્રયાસ કર્યો હતો.

Jagdeep-Dhankhar
indianewsnetwork.com

હવે સવાલ ઊભા થાય છે કે, જો ધનખડ આટલા સારા છે, તો પછી કોંગ્રેસ પાર્ટી ડિસેમ્બરમાં તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ કેમ લાવી હતી. શું તે સમયે ધનખડ ખરાબ હતા અને શું તેઓ હવે સારા બની ગયા છે? આ કોંગ્રેસ પાર્ટીના બેવડા ધોરણો બતાવે છે. હવે તેઓ તેમના રાજીનામા પર ખોટા હાયતોબા કરી રહી છે. તે સ્વાસ્થ્ય કારણોસર ધનખડના રાજીનામાના મુદ્દા પર પણ રાજનીતિ કરી રહી છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.