સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યા, મામલો છે 500 કરોડના મુદ્દાનો

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધૂને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડૉ. નવજોત કૌર સિદ્ધૂના વિવાદાસ્પદ નિવેદન બાદ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે આ કાર્યવાહી કરી છે.

Navjot-sidhu1
indianexpress.com

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌર સિદ્ધૂએ શનિવારે કહ્યું હતું કે, જે કોઈ 500 કરોડ રૂપિયાનું 'સુટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે. જો કોંગ્રેસ તેમને પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરે છે, તો તેમના પતિ સક્રિય રાજકારણમાં પાછા ફરશે.

પંજાબમાં ચૂંટણી 2027માં થવાની છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પાસે કોઈપણ પક્ષને આપવા માટે પૈસા નથી, પરંતુ તેઓ પંજાબને સુવર્ણિમ રાજ્ય બનાવી શકે છે. રાજ્યમાં કથિત રીતે બગડતી કાયદો-વ્યવસ્થાની સહિત અનેક મુદ્દાઓ પર રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને મળ્યા બાદ તેમણે પત્રકારોને કહ્યું કે, અમે હંમેશાં પંજાબ અને પંજાબિયત અંગે વાત કરીએ છીએ, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર કબજો કરવા માટે અમારી પાસે 500 કરોડ રૂપિયા આપવાના નથી.

કોઇએ પૈસાઓની માંગ કરવાના સવાલ પર તેમણે કહ્યું કે કોઈ માંગ્યા નથી, પરંતુ જે કોઈ 500 કરોડ રૂપિયાની 'સૂટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેમના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે તેનાથી કોંગ્રેસની કામગીરીનું ધૃણાસ્પદ સત્ય સામે આવી ગયું છે.

Navjot-sidhu
x.com/thind_akashdeep

કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા બાદ નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાની પોસ્ટમાં તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા વારિંગ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, હું એક અસંવેદનશીલ, બેજવાબદાર, નૈતિક રૂપે બેઇમાન અને ભ્રષ્ટ અધ્યક્ષનો સાથ આપવાનો ઇનકાર કરું છું. હું પોતાના બધા ભાઈઓ અને બહેનો માટે ઊભી છું, જેમને તેમની અક્ષમતા અને બેજવાબદાર વ્યવહારથી દુઃખ થયું છે. હું તેમને અધ્યક્ષ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરું છું. મને આશ્ચર્ય છે કે મુખ્યમંત્રી તેમને કેમ બચાવી રહ્યા છે?

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.