સિદ્ધુના પત્ની નવજોત કૌરને કોંગ્રેસે પાર્ટીમાંથી કાઢી મૂક્યા, મામલો છે 500 કરોડના મુદ્દાનો

કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધૂના પત્ની ડૉ. નવજોત કૌર સિદ્ધૂને પાર્ટીના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ડૉ. નવજોત કૌર સિદ્ધૂના વિવાદાસ્પદ નિવેદન બાદ પંજાબ કોંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે આ કાર્યવાહી કરી છે.

Navjot-sidhu1
indianexpress.com

પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌર સિદ્ધૂએ શનિવારે કહ્યું હતું કે, જે કોઈ 500 કરોડ રૂપિયાનું 'સુટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે. જો કોંગ્રેસ તેમને પંજાબમાં પાર્ટીના મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરે છે, તો તેમના પતિ સક્રિય રાજકારણમાં પાછા ફરશે.

પંજાબમાં ચૂંટણી 2027માં થવાની છે. તેમણે એમ પણ કહ્યું કે, તેમની પાસે કોઈપણ પક્ષને આપવા માટે પૈસા નથી, પરંતુ તેઓ પંજાબને સુવર્ણિમ રાજ્ય બનાવી શકે છે. રાજ્યમાં કથિત રીતે બગડતી કાયદો-વ્યવસ્થાની સહિત અનેક મુદ્દાઓ પર રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયાને મળ્યા બાદ તેમણે પત્રકારોને કહ્યું કે, અમે હંમેશાં પંજાબ અને પંજાબિયત અંગે વાત કરીએ છીએ, પરંતુ મુખ્યમંત્રીની ખુરશી પર કબજો કરવા માટે અમારી પાસે 500 કરોડ રૂપિયા આપવાના નથી.

કોઇએ પૈસાઓની માંગ કરવાના સવાલ પર તેમણે કહ્યું કે કોઈ માંગ્યા નથી, પરંતુ જે કોઈ 500 કરોડ રૂપિયાની 'સૂટકેસ' આપે છે તે મુખ્યમંત્રી બની જાય છે. ભાજપ અને આમ આદમી પાર્ટીએ તેમના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતા દાવો કર્યો હતો કે તેનાથી કોંગ્રેસની કામગીરીનું ધૃણાસ્પદ સત્ય સામે આવી ગયું છે.

Navjot-sidhu
x.com/thind_akashdeep

કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા બાદ નવજોત સિંહ સિદ્ધૂના પત્ની નવજોત કૌરે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. પોતાની પોસ્ટમાં તેમણે પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર રાજા વારિંગ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું કે, હું એક અસંવેદનશીલ, બેજવાબદાર, નૈતિક રૂપે બેઇમાન અને ભ્રષ્ટ અધ્યક્ષનો સાથ આપવાનો ઇનકાર કરું છું. હું પોતાના બધા ભાઈઓ અને બહેનો માટે ઊભી છું, જેમને તેમની અક્ષમતા અને બેજવાબદાર વ્યવહારથી દુઃખ થયું છે. હું તેમને અધ્યક્ષ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરું છું. મને આશ્ચર્ય છે કે મુખ્યમંત્રી તેમને કેમ બચાવી રહ્યા છે?

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.