1987 બેચના IAS અધિકારી બનશે નવા કેબિનેટ સચિવ, લેશે રાજવ ગૌબાની જગ્યા

સરકારે ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના વરિષ્ઠ અધિકારી ટી.વી. સોમનાથનને દેશના આગામી કેબિનેટ સચિવના રૂપમાં નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે. કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ (DoPT) દ્વારા શનિવારે જાહેર કરાયેલા સર્ક્યૂલેશન મુજબ તામિલનાડુ કેડરના 1987 બેચના IAS અધિકારી ટી.વી. સોમનાથ આ મહિનાના અંતમાં પોતાનો નવો કાર્યભાર સંભાળશે. સોમનાથ ઝારખંડ કેડરના 1982 બેચના IAS અધિકારી અને હાલના કેબિનેટ સચિવ રાજીવ ગૌબાની જગ્યા લેશે.

સર્ક્યૂલર મુજબ કેબિનેટ સચિવનું પદ ગ્રહણ કરવા અગાઉ સોમનાથ કેબિનેટ સચિવમાં વિશેષ કાર્ય અધિકારીના રૂપમાં કાર્ય કરશે. તેમનો કાર્યકાળ 30 ઑગસ્ટથી શરૂ થશે અને તેઓ આગામી 2 વર્ષ સુધી આ પદ પર બન્યા રહેશે.

તામિલનાડુમાં ટી.વી. સોમનાથની ભૂમિકાઓમાં બજેટ ઉપસચિવ, જોઇન્ટ વિજિલેન્સ કમિશનર, મેટ્રોવોટરના કાર્યકારી ડિરેક્ટર, મુખ્યમંત્રીના સચિવ, એડિશનલ મુખ્ય સચિવ અને કમિશનર ઓફ કોમર્શિયલ ટેક્સ સામેલ હતા. તેમણે કોલકાતા યુનિવર્સિટીથી અર્થશાસ્ત્રમાં P.hd અને અર્થશાસ્ત્રમાં MAની ડિગ્રી હાંસલ કરી છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં કાર્યકારી વિકાસ કાર્યક્રમ પણ પૂરો કર્યો છે અને એક યોગ્ય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અને કંપની સચિવ છે.

કોણ હોય છે કેબિનેટ સચિવ?

કેબિનેટ સચિવ ભારત સરકારની કાર્યપાલિકમાં સૌથી ઉચ્ચ પદ હોય છે. કેબિનેટ સચિવના રૂપમાં નિમણૂક થયેલ અધિકારી ભારત સરકારના સચિવોની સમિતિના પ્રમુખ હોય છે. આ પદ ભારતીય પ્રશાસનિક સેવા (IAS)ના વરિષ્ઠ અધિકારીઓમાંથી એકને આપવામાં આવે છે. જે સીધા વડાપ્રધાન અને મંત્રી મંડળને પ્રશાસનિક સલાહ આપવા માટે જવાબદાર હોય છે. કેબિનેટ સચિવનો કાર્યકાળ સામાન્ય રીતે 2 વર્ષનો હોય છે, પરંતુ તેને સરકારના વિવેકાનુસર પણ વધારી શકાય છે. આ પદ પર બેઠી વ્યક્તિઓનો પ્રશાસનિક કાર્યોમાં વ્યાપક અનુભવ અને નેતૃત્વની ક્ષમતા હોય છે કેમ કે એ ભૂમિકા સરકારની નીતિઓના કાર્યાન્વય, વિભિન્ન મંત્રાલયો વચ્ચે સમન્વય અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દાઓ પર મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

Related Posts

Top News

પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન CSK, કોચે કહ્યું- અમે આને લાયક જ છીએ

આ વર્ષે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચેન્નઈ સુપર કિંગ્સનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું. ધોનીની ટીમ આ સિઝનમાં 13 મેચમાંથી ફક્ત...
Sports 
પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાન CSK, કોચે કહ્યું- અમે આને લાયક જ છીએ

લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે તમે વર્ષો પછી પણ એકબીજાને ઊંડો પ્રેમ કરતાં દંપતીને સુખી જીવન જીવતાં જોવો ત્યારે એવું...
Lifestyle 
લગ્નજીવનનું સંતુલિત સમીકરણ...બીજાના પ્રેમને જોઈને એવું લાગે છે કે તે ખૂબ નસીબદાર છે

બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

ઘર બનાવતી વખતે સૌથી મોટી ચિંતા તેની મજબૂતાઈ, ખર્ચ અને ટકાઉપણું છે. છેલ્લા કેટલાક દાયકાઓથી બાંધકામ માટે સિમેન્ટ અને...
Offbeat 
બેંગલુરુના માણસે સિમેન્ટ વગર આલીશાન બંગલો બનાવ્યો, 1000 વર્ષ સુધી ચાલશે

જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું

જાપાનના કૃષિ મંત્રી તાકુ ઇટોએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું છે અને કારણ છે ચોખા. ચોખા અંગેના તેમના નિવેદનની...
World 
જાપાનમાં ચોખા અંગે મંત્રીએ એવું નિવેદન આપ્યું કે રાજીનામું આપવું પડ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.