5 કૂતરાઓએ 7 વર્ષના બાળક પર કર્યો હુમલો, પછી....

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં 5 શ્વાનોએ એક 7 વર્ષના બાળક પર હુમલો કરી દીધો. ઘટના ત્યારે બની જ્યારે બાળક દુકાનેથી ચોકલેટ લઈ ઘરે આવી રહ્યો હતો. શ્વાનો બાળકને ઘેરીને તેના પર હુમલો કરવા લાગ્યા. થોડી જ વારમાં કૂતરાઓએ બાળકને કરડી લીધો. મોહલ્લાના લોકોએ આવીને બાળકને બચાવ્યો. બાળક શ્વાનોના હુમલાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. જિલ્લા હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. ગલીમાં લાગેલા સીસીટીવી દ્વારા આખી ઘટના કેદ થઇ. હવે તેને વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઝારખડિયા મોહલ્લાની આ ઘટના છે. લોકોમાં ખૌફ છે. બાળકોએ ગલીમાં રમવાનું બંધ કરી દીધું છે. સૂરજ ગુપ્તાનો 7 વર્ષનો દીકરો વિરાટ રવિવારે સાંજે ઘરની પાસેથી દુકાનથી ચોકલેટ લઇ આવી રહ્યો હતો. સાંજે 7 વાગ્યે બાળક એકલો ઘરે જઇ રહ્યો હતો. જેવો તે પોતાના ઘરની પાસે પહોંચ્યો તો પાછળથી કૂતરાઓનું ટોળું આવી ગયું અને વિરાટ પર હુમલો કરી દીધો. 5 કૂતરાઓનાં ટોળાએ બાળકને ભગાવ્યો અને તેને નોંચી લીધો.

બાળકની ચીખ સાંભળી આસપાસના લોકો ત્યાં પહોંચી ગયા. એક મહિલા દંડો લઇ ઘરની બહાર નીકળી. તેની વચ્ચે અન્ય લોકો પણ આવી ગયા. આ લોકોએ કૂતરાઓને ભગાવ્યા. પછી બાળકને ઘરે લઇ ગયા.

વિરાટની માતા લક્ષ્મી ગુપ્તાએ કહ્યું કે, તે ઘરના કામમાં વ્યસ્ત હતી. ત્યારે તેને કૂતરાઓના ભસવાનો અવાજ આવ્યો. મને ડર હતો કે કોઈના પર હુમલો થયો છે. જ્યારે બહાર નીકળી તો જોયું કે મારો દીકરો જ તેમાં ફસાયો છે. કૂતરાઓ મારા વિરાટને કરડી રહ્યા હતા. મારા પાડોશીએ તેને બચાવ્યો અને ઘરે લઇ આવ્યા.

બાળકની માતા કહે છે કે, પાલિકા કૂતરા પકડવા આવે છે પણ કોઈ કાર્યવાહી કરતા નથી. એટલું જ નહી ઝાંસીના અન્ય વિસ્તારોમાં પણ રખડતા કૂતરાઓનો આતંક છે. પણ અધિકારી કશું કરી રહ્યા નથી.

વિરાટના પિતા સૂરજ ગુપ્તાએ કહ્યું કે, તેમના ઘરની પાસે એક મીટ શોપ છે. ત્યાં રખડતા કૂતરાઓનો જમાવડો રહે છે. આ કૂતરાઓ દર બીજા દિવસે એક બાળકને કરડી રહ્યા છે. મારા દીકરાને પાડોશીઓએ બચાવ્યો. અમુક પાણી ફેંક્યું તો એકે દંડા વડે કૂતરાઓને ભગાવ્યા. કૂતરાઓના હુમલાને લીધે મારા બાળકને ઘણી ઈજા પહોંચી છે. ફરિયાદ પછી પાકિલાની ટીમ આવી અને બધા શ્વાનોને લઇ ગઇ.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.