લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે

અમદાવાદ શહેરની એક ગંભીર સમસ્યા રખડતા કુતરાઓનો છે. જાહેર માર્ગો, બસ સ્ટેશનો, અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના મોટા ટોળાંની હાજરીથી શહેરીજનોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ એક મોટું જોખમ છે. તાજેતરમાં કૂતરા કરડવાની કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનું દબાણ વધ્યું હતું. ત્યારે અમદાવાદમાં હવે શેરીઓમાં રખડતા કુતરાને પણ પાલતુ કુતરાની જેમ ગળે પટ્ટા બાંધવામાં આવી રહ્યા છે.

જંગલમાં રખડતા સિંહોની જેમ આ પટ્ટાના ઓળખ નંબરની જગ્યાએ કોલર ટ્રેકર લાગ પણ  શકે છે. માણસોના યુનિક ID, આધાર નંબર, પાન નંબર અને ઈલેક્શન નંબર જેવી અનેક નોંધણી અને નંબરોની પળોજણ હવે શેરીમાં રખડતા કુતરાને પણ લાગૂ પડતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં શેરી કુતરાને ચોક્કસ નંબર અને વિસ્તાર સહિતના પટ્ટા પહેરાવવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ પ્રશંસનીય કામ છે. મૂંગા પશુઓની સુરક્ષા અને ઓળખ માટે તંત્ર આટલું વિચારીને પૈસા ખર્ચે છે.

stray-dog1
nationalgeographic.com

અમદાવાદમાં જાન્યુઆરી-2026થી શહેરના તમામ 48 વોર્ડમાં રખડતા કુતરાઓનેને લઈને સરવે હાથ ધરવામાં આવશે. એક અંદાજ મુજબ શહેરમાં 1.50 લાખથી વધુ રખડતા કરતા છે. 6 મહિનામાં આ રખડતા કુતરાઓના સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNCD વિભાગ દ્વારા 48 વોર્ડના વિવિધ વિસ્તારમાં રખડતા કુતરાઓના સરવે માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે.

29 ડિસેમ્બર-2025 સુધીમાં સરવેની કામગીરી કરવા ઈચ્છતી એજન્સીએ બીડ સબમિશન કરવાનું રહેશે. ત્યાર બાદ ટેક્નિકલ અને ફાયનાન્શિયલ ઈવેલ્યુએશન કરવામા આવશે. જે એજન્સીને રખડતા કુતરાના સરવેની કામગીરી સોંપાશે તેણે સ્ટરીલાઇઝ કરેલા અને સ્ટરીલાઇઝ નહીં કરેલા નર અને માદા રખડતા કુતરાની સાથે બીમાર રખડતા કુતરાનો પણ સરવેમાં સમાવેશ કરવાનો રહેશે.

stray-dog2
deccanchronicle.com

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાની ઘટનાઓ બનવાને કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMC હવે આ જોખમને નિયંત્રિત કરવા માટે સક્રિય થઈ ગયું છે AMCએ શહેરના રહેવાસીઓને સહયોગ આપવા માટે અપીલ કરી છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ પણ વિસ્તારમાં રખડતા કૂતરાઓ મોટા પ્રમાણમાં એકઠા થતા જણાય, તો તાત્કાલિક 155303 નંબર પર જાણ કરવી, જેથી સમયસર પગલાં લઈ શકાય.

About The Author

Related Posts

Top News

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

ગલ્ફ ક્ષેત્રમાં વધતા તણાવની અસર હવે ભારતીય બજારમાં સૂકા મેવા પર પડી રહી છે. ખાસ કરીને પિસ્તા, અંજીર અને...
Business 
ઈરાન-અમેરિકા યુદ્ધની અસરના કારણે ભારતમાં આ સૂકા મેવા થશે મોંઘા!

સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

સુરતમાં તહેવારો હવે વિવાદોમાં ફેરવાઇ રહ્યા છે. અગાઉ વસંત પંચમીના અવસર પર મા સરસ્વતીની પૂજાને બદલે 2 મહિલા ડાન્સરો પાસે...
Gujarat 
સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં ફાગોત્સવ કાર્યક્રમ વિવાદમાં, મહિલા પાસે ‘તું ચીઝ બડી હૈ મસ્ત’ પર ડાન્સ કરાવાયો

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.