લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે

અમદાવાદ શહેરની એક ગંભીર સમસ્યા રખડતા કુતરાઓનો છે. જાહેર માર્ગો, બસ સ્ટેશનો, અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના મોટા ટોળાંની હાજરીથી શહેરીજનોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે આ એક મોટું જોખમ છે. તાજેતરમાં કૂતરા કરડવાની કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર તાત્કાલિક અને અસરકારક પગલાં લેવાનું દબાણ વધ્યું હતું. ત્યારે અમદાવાદમાં હવે શેરીઓમાં રખડતા કુતરાને પણ પાલતુ કુતરાની જેમ ગળે પટ્ટા બાંધવામાં આવી રહ્યા છે.

જંગલમાં રખડતા સિંહોની જેમ આ પટ્ટાના ઓળખ નંબરની જગ્યાએ કોલર ટ્રેકર લાગ પણ  શકે છે. માણસોના યુનિક ID, આધાર નંબર, પાન નંબર અને ઈલેક્શન નંબર જેવી અનેક નોંધણી અને નંબરોની પળોજણ હવે શેરીમાં રખડતા કુતરાને પણ લાગૂ પડતી જાય છે. શહેરના અનેક વિસ્તારોમાં શેરી કુતરાને ચોક્કસ નંબર અને વિસ્તાર સહિતના પટ્ટા પહેરાવવામાં આવી રહ્યા છે. આ ખૂબ જ પ્રશંસનીય કામ છે. મૂંગા પશુઓની સુરક્ષા અને ઓળખ માટે તંત્ર આટલું વિચારીને પૈસા ખર્ચે છે.

stray-dog1
nationalgeographic.com

અમદાવાદમાં જાન્યુઆરી-2026થી શહેરના તમામ 48 વોર્ડમાં રખડતા કુતરાઓનેને લઈને સરવે હાથ ધરવામાં આવશે. એક અંદાજ મુજબ શહેરમાં 1.50 લાખથી વધુ રખડતા કરતા છે. 6 મહિનામાં આ રખડતા કુતરાઓના સરવેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના CNCD વિભાગ દ્વારા 48 વોર્ડના વિવિધ વિસ્તારમાં રખડતા કુતરાઓના સરવે માટે વિવિધ એજન્સીઓ પાસેથી ઓફર મંગાવાઈ છે.

29 ડિસેમ્બર-2025 સુધીમાં સરવેની કામગીરી કરવા ઈચ્છતી એજન્સીએ બીડ સબમિશન કરવાનું રહેશે. ત્યાર બાદ ટેક્નિકલ અને ફાયનાન્શિયલ ઈવેલ્યુએશન કરવામા આવશે. જે એજન્સીને રખડતા કુતરાના સરવેની કામગીરી સોંપાશે તેણે સ્ટરીલાઇઝ કરેલા અને સ્ટરીલાઇઝ નહીં કરેલા નર અને માદા રખડતા કુતરાની સાથે બીમાર રખડતા કુતરાનો પણ સરવેમાં સમાવેશ કરવાનો રહેશે.

stray-dog2
deccanchronicle.com

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં રખડતા કૂતરા કરડવાની ઘટનાઓ બનવાને કારણે નાગરિકોમાં ગભરાટ ફેલાયો છે. આ સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને AMC હવે આ જોખમને નિયંત્રિત કરવા માટે સક્રિય થઈ ગયું છે AMCએ શહેરના રહેવાસીઓને સહયોગ આપવા માટે અપીલ કરી છે. નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે જો કોઈ પણ વિસ્તારમાં રખડતા કૂતરાઓ મોટા પ્રમાણમાં એકઠા થતા જણાય, તો તાત્કાલિક 155303 નંબર પર જાણ કરવી, જેથી સમયસર પગલાં લઈ શકાય.

About The Author

Related Posts

Top News

વંધત્વ સંબંધિત ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 9 ટકા વ્યાજ સાથે અપાવ્યો

તાજેતરના એક મહત્ત્વના કેસમાં મહિલા વીમેદારે ગર્ભાશયમાં ગાંઠ અંગે કરાવેલ Laparoscopic Myomectomy તરીકે ઓળખાતું ઓપરેશન સંબંધિત ઇન્સ્યોરન્સ ક્લેઇમ સર્જકિલ ટ્રીટમેન્ટ...
Gujarat 
વંધત્વ સંબંધિત ક્લેઇમ કંપનીએ નકાર્યો, કોર્ટે 9 ટકા વ્યાજ સાથે અપાવ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 10-12 2025 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વેંકટેશ ઐયર મોંઘો, પૃથ્વી શૉ-સરફરાજ ખાન સસ્તા… સ્ટીવ સ્મિથની 4 વર્ષ બાદ IPLમાં થશે એન્ટ્રી?

IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થનારી હરાજીમાં કુલ...
Sports 
વેંકટેશ ઐયર મોંઘો, પૃથ્વી શૉ-સરફરાજ ખાન સસ્તા… સ્ટીવ સ્મિથની 4 વર્ષ બાદ IPLમાં થશે એન્ટ્રી?

લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે

અમદાવાદ શહેરની એક ગંભીર સમસ્યા રખડતા કુતરાઓનો છે. જાહેર માર્ગો, બસ સ્ટેશનો, અને રહેણાંક વિસ્તારોમાં શ્વાનોના મોટા ટોળાંની...
Gujarat 
લ્યો બોલો...! અમદાવાદમાં હવે રખડતા કુતરાઓને પણ ગળામાં પટ્ટા પહેરાવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.