શું છે ઓપરેશન કાયાકલ્પ? જેના માટે યોગી સરકારે ખોલી દીધો પોતાનો ખજાનો

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે સોમવારે નાણાકીય વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કર્યું. આ બજેટમાં યોગી સરકારે શિક્ષણ ક્ષેત્ર સહિત અલગ અલગ પરિયોજનાઓ માટે પોતાનો ખજાનો ખોલી દીધો. નાણામંત્રી સુરેશ કુમાર ખન્નાએ બજેટમાં 'ઓપરેશન કાયાકલ્પ' માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. સુરેશ ખન્નાએ બજેટ રજૂ કરતા વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધી ભણનારા લગભગ 2 કરોડ કરતા વધુ વિદ્યાર્થી/વિદ્યાર્થિનીઓ માટે નિઃશુલ્ક સ્વેટર અને બૂટ, મોજા ઉપલબ્ધ કરાવવા માટે 650 કરોડ, શાળાની બેગ માટે 350 કરોડ રૂપિયાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે.

તેમણે કહ્યું કે, બજેટમાં જે નબળા અને વંચિત વર્ગના 2 લાખ કરતા વધુ બાળકોને નાણાકીય વર્ષ 2024-25માં એડમિશન અપાવવાનો ટારગેટ રાખવામાં આવ્યો છે, તેના માટે 255 કરોડ રૂપિયાની વ્યવસ્થા પ્રસ્તાવિત છે. નાણા મંત્રીએ કહ્યું કે, સરકારે ઓપરેશન કાયાકલ્પ હેઠળ શિક્ષણ માટે 1,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. સુરેશ ખન્નાએ કહ્યું કે, નાણાકીય વર્ષ 2023-24માં 200 કરોડ રૂપિયાથી ગ્રામ પંચાયત અને વોર્ડ સ્તર પર ડિજિટલ લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી રહી છે જેના માટે નાણાકીય વર્ષ 2024-25માં 498 કરોડ રૂપિયાના બજેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગરીબી રેખાથી ઉપરના લગભગ 30 લાખ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ યુનિફોર્મ વિતરીત કરવા માટે 168 કરોડ રૂપિયા આપવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, વર્ષ 2024-25 સુધી રાજ્યની બધી સરકારી સેકન્ડરી શાળાને આધારભૂત સુવિધાઓથી લેસ કરવા અને દરેક રાજકીય માધ્યમિક શાળામાં સ્માર્ટ ક્લાસ અને ICT પ્રયોગશાળાની વ્યવસ્થા કરવા માટે સમગ્ર શિક્ષણ યોજના હેઠળ 516.64 કરોડ રૂપિયા ફાળવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. એટલું જ નહીં નોન ગવર્મેન્ટ શાળામાં સુવિધાઓ સારી કરવા માટે 200 કરોડ રૂપિયા આપવામાં આવશે.

રાજકીય સંસ્કૃત શાળામાં છાત્રાલયો અને નાના રમતના મેદાનોના નિર્માણ માટે 10.46 કરોડ રૂપિયા અને ગોરખપુરમાં સૈનિક શાળાના સંચાલન માટે 4 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. નાણા મંત્રીએ કહ્યું કે, શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી શિક્ષુતા પ્રોત્સાહન યોજના' હેઠળ 100 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. એ સિવાય નવી સરકારી કોલેજોની સ્થાપના અને નિર્માણ કાર્યો પૂરા કરવા માટે 55 કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.