રહેવા દો, ખબર નહીં મહારાજ ક્યારે CM બની જાય, વરૂણ ગાંધીએ મંચ પરથી અટકાવી દીધા

ભાજપા સાંસદ વરુણ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર પીલીભીતમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ઊભેલા એક સાધુનો મોબાઈલ ફોન વાગી ગયો તો વરુણ ગાંધીના સમર્થકોએ તે સાધુને ટોક્યા. આ દરમિયાન વરુણ ગાંધી બોલ્યા, અરે રહેવા દો... ખબર નહીં મહારાજ ક્યારે મુખ્યમંત્રી બની જાય.

વરુણ ગાંધી માત્ર આટલે જ અટક્યા નહીં. તેમણે આગળ કહ્યું કે, જો તે મુખ્યમંત્રી બની ગયા તો આપણું શું થશે. સમયની ગતિને સમજો. વરુણ ગાંધીને અચ્છે દિન પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાજ જી મને લાગે છે હવે સમય સારો આવી રહ્યો છે. સાથે જ વરુણ ગાંધીએ જનતાને સલાહ આપતા કહ્યું કે, ભેડચાલમાં વોટ ન આપતા. એવું ન થાય કે કોઇ આવે, ભારત માતા કી જય બોલે, જય શ્રી રામ બોલે અને તમે તેને વોટ આપી દો.

ભેડચાલમાં વોટ ન આપતા

પીલીભીત સાંસદે કહ્યું કે, જ્યારે હું વિદેશ જાઉ છું તો લોકો મને પૂછે છે કે પીલીભીત કેવી જગ્યા છે. પીલીભીતની ઓળખ મારાથી છે. મારી ઓળખ પીલીભીતથી છે. આ ખૂબ જ પવિત્ર સંગમ છે. જ્યારે પણ હું અહીં આવ છું, બંગાળી સમાજને નિવેદન કરું છું કોઇને પણ વોટ આપો, પણ ભેડચાલમાં ન આપતા.

ભાજપા સામે વરુણ ગાંધીનો મોરચો

વરુણ ગાંધી સતત ભાજપા સામે મોરચો ખોલી રહ્યા છે. તે સોશિયલ મીડિયાથી લઇ મંચો સુધી સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે. આ પ્રકારના નિવેદનોથી ભાજપા અને વરુણ ગાંધી વચ્ચે અંતર જોવા મળે છે. ઘણીવાર વરુણ ગાંધીના બચાવમાં તેમની માતા મેનકા ગાંધીએ પણ આવવું પડે છે.

આ પહેલા એકવાર વરુણ ગાંધીએ પીલીભીતના નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, નહીં તો હું નેહરૂ જી ના વિરોધમાં છું. નહીં કે હું કોંગ્રેસના વિરોધમાં છું. આપણું રાજકારણ દેશને આગળ લઇ જવા માટેનું હોવું જોઇએ. નહીં કે ગૃહ યુદ્ધ પેદા કરવા માટે. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માગી રહ્યા છે. આપણે તેમને એ પૂછવું જોઇએ કે રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષાની દેશમાં કેવી સ્થિતિ છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.