રહેવા દો, ખબર નહીં મહારાજ ક્યારે CM બની જાય, વરૂણ ગાંધીએ મંચ પરથી અટકાવી દીધા

ભાજપા સાંસદ વરુણ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર પીલીભીતમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ઊભેલા એક સાધુનો મોબાઈલ ફોન વાગી ગયો તો વરુણ ગાંધીના સમર્થકોએ તે સાધુને ટોક્યા. આ દરમિયાન વરુણ ગાંધી બોલ્યા, અરે રહેવા દો... ખબર નહીં મહારાજ ક્યારે મુખ્યમંત્રી બની જાય.

વરુણ ગાંધી માત્ર આટલે જ અટક્યા નહીં. તેમણે આગળ કહ્યું કે, જો તે મુખ્યમંત્રી બની ગયા તો આપણું શું થશે. સમયની ગતિને સમજો. વરુણ ગાંધીને અચ્છે દિન પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાજ જી મને લાગે છે હવે સમય સારો આવી રહ્યો છે. સાથે જ વરુણ ગાંધીએ જનતાને સલાહ આપતા કહ્યું કે, ભેડચાલમાં વોટ ન આપતા. એવું ન થાય કે કોઇ આવે, ભારત માતા કી જય બોલે, જય શ્રી રામ બોલે અને તમે તેને વોટ આપી દો.

ભેડચાલમાં વોટ ન આપતા

પીલીભીત સાંસદે કહ્યું કે, જ્યારે હું વિદેશ જાઉ છું તો લોકો મને પૂછે છે કે પીલીભીત કેવી જગ્યા છે. પીલીભીતની ઓળખ મારાથી છે. મારી ઓળખ પીલીભીતથી છે. આ ખૂબ જ પવિત્ર સંગમ છે. જ્યારે પણ હું અહીં આવ છું, બંગાળી સમાજને નિવેદન કરું છું કોઇને પણ વોટ આપો, પણ ભેડચાલમાં ન આપતા.

ભાજપા સામે વરુણ ગાંધીનો મોરચો

વરુણ ગાંધી સતત ભાજપા સામે મોરચો ખોલી રહ્યા છે. તે સોશિયલ મીડિયાથી લઇ મંચો સુધી સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે. આ પ્રકારના નિવેદનોથી ભાજપા અને વરુણ ગાંધી વચ્ચે અંતર જોવા મળે છે. ઘણીવાર વરુણ ગાંધીના બચાવમાં તેમની માતા મેનકા ગાંધીએ પણ આવવું પડે છે.

આ પહેલા એકવાર વરુણ ગાંધીએ પીલીભીતના નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, નહીં તો હું નેહરૂ જી ના વિરોધમાં છું. નહીં કે હું કોંગ્રેસના વિરોધમાં છું. આપણું રાજકારણ દેશને આગળ લઇ જવા માટેનું હોવું જોઇએ. નહીં કે ગૃહ યુદ્ધ પેદા કરવા માટે. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માગી રહ્યા છે. આપણે તેમને એ પૂછવું જોઇએ કે રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષાની દેશમાં કેવી સ્થિતિ છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.