રહેવા દો, ખબર નહીં મહારાજ ક્યારે CM બની જાય, વરૂણ ગાંધીએ મંચ પરથી અટકાવી દીધા

ભાજપા સાંસદ વરુણ ગાંધી પોતાના સંસદીય ક્ષેત્ર પીલીભીતમાં ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાસે ઊભેલા એક સાધુનો મોબાઈલ ફોન વાગી ગયો તો વરુણ ગાંધીના સમર્થકોએ તે સાધુને ટોક્યા. આ દરમિયાન વરુણ ગાંધી બોલ્યા, અરે રહેવા દો... ખબર નહીં મહારાજ ક્યારે મુખ્યમંત્રી બની જાય.

વરુણ ગાંધી માત્ર આટલે જ અટક્યા નહીં. તેમણે આગળ કહ્યું કે, જો તે મુખ્યમંત્રી બની ગયા તો આપણું શું થશે. સમયની ગતિને સમજો. વરુણ ગાંધીને અચ્છે દિન પર કટાક્ષ કરતા કહ્યું કે, મહારાજ જી મને લાગે છે હવે સમય સારો આવી રહ્યો છે. સાથે જ વરુણ ગાંધીએ જનતાને સલાહ આપતા કહ્યું કે, ભેડચાલમાં વોટ ન આપતા. એવું ન થાય કે કોઇ આવે, ભારત માતા કી જય બોલે, જય શ્રી રામ બોલે અને તમે તેને વોટ આપી દો.

ભેડચાલમાં વોટ ન આપતા

પીલીભીત સાંસદે કહ્યું કે, જ્યારે હું વિદેશ જાઉ છું તો લોકો મને પૂછે છે કે પીલીભીત કેવી જગ્યા છે. પીલીભીતની ઓળખ મારાથી છે. મારી ઓળખ પીલીભીતથી છે. આ ખૂબ જ પવિત્ર સંગમ છે. જ્યારે પણ હું અહીં આવ છું, બંગાળી સમાજને નિવેદન કરું છું કોઇને પણ વોટ આપો, પણ ભેડચાલમાં ન આપતા.

ભાજપા સામે વરુણ ગાંધીનો મોરચો

વરુણ ગાંધી સતત ભાજપા સામે મોરચો ખોલી રહ્યા છે. તે સોશિયલ મીડિયાથી લઇ મંચો સુધી સરકારની નીતિઓની ટીકા કરતા રહે છે. આ પ્રકારના નિવેદનોથી ભાજપા અને વરુણ ગાંધી વચ્ચે અંતર જોવા મળે છે. ઘણીવાર વરુણ ગાંધીના બચાવમાં તેમની માતા મેનકા ગાંધીએ પણ આવવું પડે છે.

આ પહેલા એકવાર વરુણ ગાંધીએ પીલીભીતના નાગરિકોને સંબોધતા કહ્યું હતું કે, નહીં તો હું નેહરૂ જી ના વિરોધમાં છું. નહીં કે હું કોંગ્રેસના વિરોધમાં છું. આપણું રાજકારણ દેશને આગળ લઇ જવા માટેનું હોવું જોઇએ. નહીં કે ગૃહ યુદ્ધ પેદા કરવા માટે. આજે જે લોકો માત્ર ધર્મ અને જાતિના નામે વોટ માગી રહ્યા છે. આપણે તેમને એ પૂછવું જોઇએ કે રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષાની દેશમાં કેવી સ્થિતિ છે.

About The Author

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.