નકલી નોટ મામલે ચોંકાવનારો ખુલાસો, 500 રૂ.ની 14.6% વધી ગઇ, 10-100-2000ની ઘટી

ભારતીય રિઝર્વ બેંકના વાર્ષિક રિપોર્ટ અનુસાર, ગત વર્ષની સરખામણીમાં 2022-23માં બેંકિંગ પ્રણાલી દ્વારા પકડવામાં આવેલી 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા 14.6 ટકા વધીને 91110 નોટ થઈ ગઈ. મંગળવારે જાહેર રિપોર્ટ અનુસાર, આ અવધિમાં સિસ્ટમ દ્વારા પકડવામાં આવેલી 2000 રૂપિયાના મૂલ્યવર્ગની નકલી નોટોની સંખ્યા 28 ટકા ઘટીને 9806 નોટ રહી ગઈ. જોકે, બેંકિંગ ક્ષેત્રમાં પકડાયેલી નકલી ભારતીય મુદ્રા નોટોની કુલ સંખ્યા ગત નાણાકીય વર્ષમાં 230971 નોટોની સરખામણીમાં 2022-23માં ઘટીને 225769 નોટ રહી ગઈ. ઉલ્લેખનીય છે કે, તે 2021-22માં વધી ગઈ હતી.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના વાર્ષિક રિપોર્ટમાં 20 રૂપિયાના મૂલ્યવર્ગમાં મળી આવેલી નકલી નોટોમાં 8.4 ટકાનો વધારો અને 500 રૂપિયા (નવી ડિઝાઇન) મૂલ્યવર્ગમાં 14.4 ટકાની વૃદ્ધિ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. બીજી તરફ, 10 રૂપિયા, 100 રૂપિયા અને 2000 રૂપિયાની નકલી નોટોમાં ક્રમશઃ 11.6 ટકા, 14.7 ટકા અને 27.9 ટકાનો ઘટાડો આવ્યો છે.

સામાન્ય સરકારી ખાધ અને દેવા જીડીપીના ક્રમશઃ 9.4 ટકા અને 86.5 ટકા પર આવી ગયુ છે, જે 2022-23માં ક્રમશઃ 13.1 ટકા અને 2020-21માં 89.4 ટકાના ચરમ સ્તર પર હતો. આ વાત ભારતીય રિઝર્વ બેંકે 2022-23ના પોતાના વાર્ષિક રિપોર્ટમાં કહી છે. સરકારી નાણા પર ટિપ્પણી કરતા રિપોર્ટે કહ્યું, વિશ્વસનીય રાજકોષીય સમેકન માટે પ્રતિબદ્ધ હોવા દરમિયાન, સરકારે સંવર્ધિત પૂંજીગત વ્યયના માધ્યમથી નિવેશ ચક્રમાં પુનરુદ્ધારનું નેતૃત્વ કર્યું છે, અંગત નિવેશમાં ક્રાઉડિંગ-ઇન દ્વારા તેના ગુણક પ્રભાવોને ઓળખ્યા છે અને અર્થવ્યવસ્થાની વિકાસ ક્ષમતાને વધારી છે.

એ રેખાંકિત કરવામાં આવ્યું છે કે, નીતિગત બફર્સના પુનર્નિમાણ અને દેવા સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે રાજકોષીય સમેકનને બનાવી રાખવાની આવશ્યકતા હશે. રિપોર્ટમાં સલાહ આપવામાં આવી છે કે, ડિજિટલીકરણ પર નિરંતર ભાર અર્થવ્યવસ્થાના વધુ ઔપચારિકકરણમાં સહાયતા કરી શકે છે અને આ રીતે ઉચ્ચ કર આધાર, વિકાસાત્મક વ્યય માટે આવશ્યક સંશાધન પેદા કરી શકે છે.

ભારતીય રિઝર્વ બેંકે હાલમાં 2000 રૂપિયાની નોટોને પાછી લેવાની જાહેરાત કરી છે અને તેને જમા કરાવવા અથવા બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું, માત્રા પ્રમાણે 31 માર્ચ, 2023 સુધી કુલ પ્રચલિત મુદ્રામાં 500 રૂપિયાની નોટોની હિસ્સેદારી 37.9 ટકા છે જે સૌથી વધુ છે. ત્યારબાદ 10 રૂપિયાની નોટનું સ્થાન છે, જેની હિસ્સેદારી 19.2 ટકા છે. માર્ચ 2023ના અંત સુધી 500 રૂપિયાની કુલ 516338 લાખ નોટ ચલણમાં હતી, જેનું કુલ મૂલ્ય 2581690 કરોડ રૂપિયા છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.