અમે સ્વતંત્ર છીએ પરંતુ આ મુદ્દે સરકાર સાથે છીએ, CJI ચંદ્રચુડે આવું કેમ કહ્યું?

CJI DY ચંદ્રચુડે કહ્યું છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશો કોર્ટ સંબંધિત કામ સ્વતંત્ર રીતે કરે છે, પરંતુ જ્યારે કોર્ટના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બજેટને લગતા મુદ્દાઓની વાત આવે છે ત્યારે અમે સરકાર સાથે ઉભા છીએ, કારણ કે અમારું મિશન એક જ છે. CJIએ કહ્યું કે, તેની પાછળનું કારણ એ છે કે આવા પ્રોજેક્ટ્સનો સીધો સંબંધ સામાન્ય લોકો સાથે હોય છે.

CJIએ પોતાનો મુદ્દો વધુ સ્પષ્ટ કરતા કહ્યું કે, આ પ્રોજેક્ટ ન્યાયાધીશો અથવા વકીલોનો વ્યક્તિગત પ્રોજેક્ટ નથી અને તે આપણા નાગરિકો સાથે સંબંધિત છે.

CJI ચંદ્રચુડ સોમવારે બાંદ્રા (વેસ્ટ)માં તાજ લેન્ડસ એન્ડમાં મુંબઈ હાઈકોર્ટની નવી ઈમારતના શિલાન્યાસ સમારોહમાં બોલી રહ્યા હતા. CJIએ કહ્યું કે દેશના નિર્માણ અને કાયદાકીય સંસ્કૃતિના વિકાસમાં મુંબઈ હાઈકોર્ટની ભૂમિકાને ઓછો આંકી શકાય નહીં. તેમણે કહ્યું કે, વસાહતી શાસન દરમિયાન પણ મુંબઈ હાઈકોર્ટ એક સ્વતંત્ર સંસ્થા રહી હતી.

CJIએ કહ્યું કે નવા કોર્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ ઝડપી થવું જોઈએ. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે અને DyCM દેવેન્દ્ર ફડણવીસ અને DyCM અજિત પવાર પણ હાજર હતા. CM શિંદેએ કહ્યું કે, લોકો મહિલાઓ સામેના ગુનાઓના કેસોમાં ઝડપી ન્યાયની અપેક્ષા રાખે છે અને સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપોર્ટ આપવામાં કોઈ કસર નથી છોડી રહી, જેથી આરોપીઓને ઝડપથી સજા થઈ શકે. DyCM ફડણવીસે કહ્યું કે, નવા કેમ્પસનું કામ રેકોર્ડ સમયમાં પૂર્ણ થશે.

અત્રે એ યાદ અપાવવું રહ્યું કે, થોડા દિવસો પહેલા જ જ્યારે PM નરેન્દ્ર મોદી ગણેશ પૂજામાં ભાગ લેવા CJI DY ચંદ્રચુડના નિવાસસ્થાને ગયા હતા, ત્યારે તે વાતને લઈને ભારે રાજકીય હોબાળો થયો હતો. જ્યારે વિપક્ષી દળોએ આના પર સવાલ ઉઠાવ્યા તો PM નરેન્દ્ર મોદીએ રેલીમાં સ્ટેજ પરથી તેનો જવાબ આપ્યો. PM મોદીએ કહ્યું હતું કે, પહેલા ગણેશ ઉત્સવ અંગ્રેજોને ચિડવતો હતો અને હવે કોંગ્રેસ અને તેના સાથી વિરોધ પક્ષો ગણેશ પૂજાને લઈને સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે સોમવારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી એ પોક્સો એક્ટ અને IT એક્ટની કલમ 15 હેઠળ પણ ગુનો છે. CJI ચંદ્રચુડ અને જસ્ટિસ J.B. પારડીવાલાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે.

ચંદ્રચુડ 29 માર્ચ 2000ના રોજ બોમ્બે હાઈકોર્ટના જજ બન્યા હતા. 31 ઓક્ટોબર, 2013ના રોજ, તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને 13 મે, 2016ના રોજ, તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.

બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત થયા પહેલા ચંદ્રચુડ ભારતના એડિશનલ સોલિસિટર જનરલ પણ હતા. તેઓ મુંબઈ યુનિવર્સિટી અને USAની ઓક્લાહોમા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં વિઝિટિંગ પ્રોફેસર રહી ચૂક્યા છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.