સુપ્રીમ કોર્ટના નિવૃત જજને રાજ્યપાલ બનાવવા પર કોંગ્રેસે હોબાળો કેમ મચાવ્યો છે?

પૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નજીરને આંધ્રપ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. તેમના રાજ્યપાલ બનવાને કારણે વિપક્ષના મનમા અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ન્યાયાધીશોનું રાજ્યપાલ બનવું શું ન્યાયતંત્રને કમજોર કરે છે?શું લોકોનો તેમાંથી વિશ્વાસ ઉઠી જાય છે?

સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સૈયદ અબ્દુલ નઝીરને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ નઝીર 39 દિવસ પહેલા નિવૃત્ત થયા હતા અને હવે તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસને તેમનું ગવર્નરપદ પસંદ નથી આવ્યું. ન્યાયતંત્રના લોકોને શા માટે સરકારી હોદ્દા આપવામાં આવી રહ્યા છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોંગ્રેસના નેતા રાશિદ અલ્વીએ આ અંગે અનેક સવાલો ઉઠાવ્યા છે, તેમણે આને યોગ્ય પ્રેકટીસ માની નથી.

રાશિદ આલ્વીનું કહેવું છે કે કોઇ પણ જજને સરકારી પદ આપવું દુર્ભાગ્યપૂર્ણ છે. એક અહેવાલ મુજબ 50 ટકા નિવૃત જજ સુપ્રીમ કોર્ટના છે, જેમને સરકાર કોઇકને કોઇક જગ્યાએ મોકલી રહી છે જેને કારણે લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ઘટી રહ્યો છે. જસ્ટિસ ગોગાઇને તમે હમણા તો રાજ્યસભા આપી અને હવે તમે જજ નજીરને ગર્વનર બનાવી દીધા. કોંગ્રેસ નેતા મનુ સિંઘવીએ પણ આ ટ્રેન્ડ ખોટું હોવાનું કહ્યું છે. સિંઘવીએ સ્વ, અરૂણ જેટલીના એક જૂના નિવેદનને આધાર બનાવીને સરકાર પર નિશાન સાધ્યું છે.

અરુણ જેટલીનું એક જૂનુ નિવેદન છે જેમાં તેમણે કહ્યું હતું કે, નિવૃત્તિ પહેલાના નિર્ણયો નિવૃત્તિ પછીની નોકરીઓ પર પ્રભાવિત થાય છે. હવે તે વધુ ને વધુ થવા લાગ્યું છે. સૈદ્ધાંતિક રીતે આ તદ્દન ખોટું છે. એ જ રીતે કોંગ્રેસના અન્ય કેટલાક નેતાઓએ પણ નઝીરની રાજ્યપાલ તરીકે નિમણૂક પર સવાલો ઉઠાવ્યા છે. AIMIM નેતા વારિસ પઠાણે તો ત્યાં સુધી કહ્યું કે રામ મંદિર પર ચુકાદો આપનારા જજોને પછીથી સારા પદ મળ્યા. પછી ભલે રંજન ગોગાઇને રાજ્યસભાના સભ્ય બનાવવાની વાત હોય, અશોક ભૂષણને NCLATના ચેરમેન અને હવે નઝીરને રાજ્યપાલ. હવે એ બધા સવાલો ઉઠી રહ્યા છે, જે પહેલાં  પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ તર્કને કારણે સરકાર ભીંસમાં આવી ગઇ છે.

હવે સવાલ એ ઉભો ખાય છે કે કયા આધારે નિવૃત જજ નઝીરનું રાજ્યપાલ બનવું ખોટું છે? ભારતના બંધારણના આર્ટિકલ 157 અને 158માં રાજ્યપાલના પદ વિશે વિસ્તૃત રીતે કહેવામાં આવ્યું છે. બંધારણ મુજબ જે ભારતનો નાગરિક છે. જેની ઉંમર 35 વર્ષથી વધારે છે, જે સંસદ કે વિધાનસભા કે કોઇ પણ ગૃહનો સભ્ય નથી, જે કોઇ પણ લાભ મેળવવાના પદ પર ના રહ્યા હોય, છેલ્લાં કેટલાક સમયથી રાજકારણમાં સક્રીય ન હોય. એવી કોઇ પણ વ્યકિત રાજ્યપાલ બનાવી શકાય છે.

આવું પહેલીવાર બન્યું નથી, આ પહેલાં પણ નિવૃત ન્યાયાધીશોને રાજ્યપાલ બનાવાયા જ છે. મોદી સરકારે અલગથી કોઇ મોટો નિર્ણય લઇ લીધો નથી. ઇતિહાસના પાના ઉથલાવીશું તો ખબર પડશે કે એવા બે દાખલા છે જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત જજોને રાજ્યપાલ બનાવાયા હોય. આ બે નામ છે પૂર્વ CJI પી. શિદાસવમ અને નિવૃત ન્યાયાધીશ ફાતિમા બીવી. વર્ષ 2014માં પૂર્વ સદાશિવમને કેરળના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. જ્યારે ફાતિમા બીવીને 1197માં તમિલનાડુના રાજ્યપાલ બનાવાયા હતા.

About The Author

Related Posts

Top News

દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ભારતીય રેલ્વે દરરોજ લગભગ 2.5 કરોડ લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. સ્વાભાવિક છે કે, આટલી મોટી...
National 
દેશની એકમાત્ર ટ્રેન જે નાસ્તાથી લઈ રાત્રિભોજન સુધી બધું મફતમાં પીરસે છે, 6 જગ્યાએ લંગર લાગે છે

ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક...
Offbeat 
ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

રાજસ્થાન રોયલ્સનો 14 વર્ષીય અદ્દભુત ખેલાડી વૈભવ સૂર્યવંશીએ IPL 2025માં ગુજરાત ટાઇટન્સ સામે માત્ર 35 બોલમાં પોતાની પહેલી IPL સદી...
Sports 
IPL ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ટોચના 5 બેટ્સમેન,14 વર્ષના આ ખેલાડીએ વિશ્વ ક્રિકેટમાં મચાવી હડકંપ

ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ

હરિયાણામા નુંહમાં તાજેતરમાં તબલીગી જમાતની ધર્મસભાં કાંઘલવી તબલીગી જમાતના પ્રમુખ મૌલાના સાદે ઘણી મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યું કે...
National 
ભારતમાં રહીએ તો કાયદો માનવો પડશે, ઇસ્લામ બળવાની મંજૂરી નથી આપતું: મૌલાના સાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.