શું રાજ્યસભામાંથી નિવૃત થનારા ભાજપના સાંસદોને ફરી રિપીટ કરાશે કે પછી...

એપ્રિલ 2024માં રાજ્યસભા સાંસદ તરીકે ભાજપના ઘણા બધા નેતાઓનો કાર્યકાળ એપ્રિલ 2024માં પુરો થઇ રહ્યો છે. ત્યારે એવી ચર્ચા છે કે શું આ રાજ્યસભા સાંસદોને ફરી રિપીટ કરાશે કે પછી તેમને લોકસભા લડવા માટે મોકલી દેવાશે?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સહિત કેબિનેટ કક્ષાના મંત્રીઓ ભુપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વીની વૈષ્ણવ, હરદીપસિંહ પુરી, નારાયણ રાણે અને પુરુષોત્તમ રૂપાલાનો રાજ્ય સભા સાસંદ તરીકેનો કાર્ય એપ્રિલ મહિનામાં પુરો થઇ રહ્યો છે. આમાંથી મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલા ગુજરાતના નેતા છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, રાજ્યસભા સાંસદોએ પણ લોકસભા લડવી જોઇએ.

ધર્મેન્દ્ર સિંહ પ્રધાન સહિતના અનેક નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે.

રાજકારણના જાણકારોનું કહેવું છે કે, આની પાછળ ભાજપનું સમીકરણ એવું છે કે જે રાજ્યસભા સાંસદ લોકસભા લડશે તેમની ખાલી જગ્યા પર સંગઠનના વર્ષોથી કામ કરતા કાર્યકરોને રાજ્યસભા સાંસદ બનવાની તક મળશે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.