16000 કરતા વધુ હાર્ટસર્જરી કરનારા જામનગરના 41 વર્ષીય હાર્ટ સર્જનનું એટેકથી મોત

કહેવાય છે કે, જીવનનો કોઈ ભરોસો નથી, મોત ક્યારેય પણ આવી શકે છે અને છેલ્લાં કેટલાક સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, જેમા ક્યારેક ક્રિકેટ રમતા, ક્યારેક લગ્નમાં ડાન્સ કરતા, ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક ઓફિસમાં બેઠા-બેઠા લોકોના મોત થઈ ગયા છે. આ રીતે મરનારા આ લોકો દરેક ઉંમરના છે. હાલમાં જ એવો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેમા હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયુ છે.

આ દુઃખભરી ઘટનામાં જામનગર એસટી સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડૉ. ગૌરવ ગાંધી ગત રાત સુધી પોતાના રુટીન અનુસાર, દર્દીઓની ટ્રીટમેન્ટમાં વ્યસ્ત હતા. ત્યારબાદ તેઓ રાત્રે પેલેસ રોડ સ્થિત સામ્રાજ્ય અપાર્ટમેન્ટના થર્ડ ફ્લોર પર પોતાના ઘરે પહોંચ્યા અને દરરોજની જેમ ભોજન કરીને સૂઈ ગયા હતા. સવારે 6 વાગ્યે બેભાન અવસ્થામાં મળ્યા ત્યારબાદ તેમને 108માં જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટર્સે બે કલાક સુધી તેમની સારવાર કરી પરંતુ, ઘરે જ બેભાન અવસ્થામાં મળેલા ડૉ. ગૌરવ ગાંધીને બચાવી ના શકાયા અને તેમને આખરે મૃત જાહેર કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, 1982માં જન્મેલા 41 વર્ષીય ડૉક્ટર ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ માહેર હતા અને પોતાના કરિયર દરમિયાન તેમણે 16 હજાર કરતા વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરી છે. તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન, પત્ની ડૉ. દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને દીકરી ધનવી અને દીકરા પ્રખરને રડતા મુકીને ગયા. આમ તો કાર્ડિયાક અરેસ્ટને પગલે જ તેમનું મોત થયુ છે, છતા સ્પષ્ટ કારણ જાણવા માટે જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ, જેથી કાર્ડિયાક અરેસ્ટના સંબંધમાં વધુ સ્પષ્ટ જાણકારી મળી શકે.

એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, કોરોના બાદ ગત વર્ષથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થયો છે. 35થી 45 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. નેશનલ IMA પણ આ મામલાને લઇને ચિંતામાં છે. કારણ કે, હાલમાં જ 14 વર્ષના એક બાળકનું ક્રિકેટ રમતી વખતે મોત થઈ ગયુ હતું. એવી જ રીતે થોડાં સમય પહેલા 3 માર્ચે પણ સવારે પોતાની કોલોનીમાં મોર્નિંગ વોક કરી રહેલા 57 વર્ષીય સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉ. સંજીવ ચગ પણ પડી ગયા હતા, તેમને તરત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં પમ્પિંગ સહિતની ટ્રીટમેન્ટ બાદ પણ તેમનો જીવ બચી શક્યો ન હતો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.