16000 કરતા વધુ હાર્ટસર્જરી કરનારા જામનગરના 41 વર્ષીય હાર્ટ સર્જનનું એટેકથી મોત

કહેવાય છે કે, જીવનનો કોઈ ભરોસો નથી, મોત ક્યારેય પણ આવી શકે છે અને છેલ્લાં કેટલાક સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, જેમા ક્યારેક ક્રિકેટ રમતા, ક્યારેક લગ્નમાં ડાન્સ કરતા, ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક ઓફિસમાં બેઠા-બેઠા લોકોના મોત થઈ ગયા છે. આ રીતે મરનારા આ લોકો દરેક ઉંમરના છે. હાલમાં જ એવો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેમા હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયુ છે.

આ દુઃખભરી ઘટનામાં જામનગર એસટી સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડૉ. ગૌરવ ગાંધી ગત રાત સુધી પોતાના રુટીન અનુસાર, દર્દીઓની ટ્રીટમેન્ટમાં વ્યસ્ત હતા. ત્યારબાદ તેઓ રાત્રે પેલેસ રોડ સ્થિત સામ્રાજ્ય અપાર્ટમેન્ટના થર્ડ ફ્લોર પર પોતાના ઘરે પહોંચ્યા અને દરરોજની જેમ ભોજન કરીને સૂઈ ગયા હતા. સવારે 6 વાગ્યે બેભાન અવસ્થામાં મળ્યા ત્યારબાદ તેમને 108માં જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટર્સે બે કલાક સુધી તેમની સારવાર કરી પરંતુ, ઘરે જ બેભાન અવસ્થામાં મળેલા ડૉ. ગૌરવ ગાંધીને બચાવી ના શકાયા અને તેમને આખરે મૃત જાહેર કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, 1982માં જન્મેલા 41 વર્ષીય ડૉક્ટર ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ માહેર હતા અને પોતાના કરિયર દરમિયાન તેમણે 16 હજાર કરતા વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરી છે. તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન, પત્ની ડૉ. દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને દીકરી ધનવી અને દીકરા પ્રખરને રડતા મુકીને ગયા. આમ તો કાર્ડિયાક અરેસ્ટને પગલે જ તેમનું મોત થયુ છે, છતા સ્પષ્ટ કારણ જાણવા માટે જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ, જેથી કાર્ડિયાક અરેસ્ટના સંબંધમાં વધુ સ્પષ્ટ જાણકારી મળી શકે.

એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, કોરોના બાદ ગત વર્ષથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થયો છે. 35થી 45 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. નેશનલ IMA પણ આ મામલાને લઇને ચિંતામાં છે. કારણ કે, હાલમાં જ 14 વર્ષના એક બાળકનું ક્રિકેટ રમતી વખતે મોત થઈ ગયુ હતું. એવી જ રીતે થોડાં સમય પહેલા 3 માર્ચે પણ સવારે પોતાની કોલોનીમાં મોર્નિંગ વોક કરી રહેલા 57 વર્ષીય સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉ. સંજીવ ચગ પણ પડી ગયા હતા, તેમને તરત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં પમ્પિંગ સહિતની ટ્રીટમેન્ટ બાદ પણ તેમનો જીવ બચી શક્યો ન હતો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.