16000 કરતા વધુ હાર્ટસર્જરી કરનારા જામનગરના 41 વર્ષીય હાર્ટ સર્જનનું એટેકથી મોત

On

કહેવાય છે કે, જીવનનો કોઈ ભરોસો નથી, મોત ક્યારેય પણ આવી શકે છે અને છેલ્લાં કેટલાક સમયમાં એવી ઘણી બધી ઘટનાઓ સામે આવી છે, જેમા ક્યારેક ક્રિકેટ રમતા, ક્યારેક લગ્નમાં ડાન્સ કરતા, ક્યારેક જીમમાં કસરત કરતા તો ક્યારેક ઓફિસમાં બેઠા-બેઠા લોકોના મોત થઈ ગયા છે. આ રીતે મરનારા આ લોકો દરેક ઉંમરના છે. હાલમાં જ એવો એક કિસ્સો પણ સામે આવ્યો છે, જેમા હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટરનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયુ છે.

આ દુઃખભરી ઘટનામાં જામનગર એસટી સ્ટેન્ડની સામે શારદા હોસ્પિટલમાં સેવા આપી રહેલા ડૉ. ગૌરવ ગાંધી ગત રાત સુધી પોતાના રુટીન અનુસાર, દર્દીઓની ટ્રીટમેન્ટમાં વ્યસ્ત હતા. ત્યારબાદ તેઓ રાત્રે પેલેસ રોડ સ્થિત સામ્રાજ્ય અપાર્ટમેન્ટના થર્ડ ફ્લોર પર પોતાના ઘરે પહોંચ્યા અને દરરોજની જેમ ભોજન કરીને સૂઈ ગયા હતા. સવારે 6 વાગ્યે બેભાન અવસ્થામાં મળ્યા ત્યારબાદ તેમને 108માં જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં હૃદય રોગના એક્સપર્ટ ડૉક્ટર્સે બે કલાક સુધી તેમની સારવાર કરી પરંતુ, ઘરે જ બેભાન અવસ્થામાં મળેલા ડૉ. ગૌરવ ગાંધીને બચાવી ના શકાયા અને તેમને આખરે મૃત જાહેર કરવામાં આવ્યા.

ઉલ્લેખનીય છે કે, 1982માં જન્મેલા 41 વર્ષીય ડૉક્ટર ગૌરવ ગાંધી પોતાના કામમાં ખૂબ જ માહેર હતા અને પોતાના કરિયર દરમિયાન તેમણે 16 હજાર કરતા વધુ એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની સર્જરી કરી છે. તેઓ પોતાની પાછળ પિતા દિનેશચંદ્ર ગાંધી, માતા કુસુમબેન, પત્ની ડૉ. દેવાંશી ગાંધી (ડેન્ટિસ્ટ) અને દીકરી ધનવી અને દીકરા પ્રખરને રડતા મુકીને ગયા. આમ તો કાર્ડિયાક અરેસ્ટને પગલે જ તેમનું મોત થયુ છે, છતા સ્પષ્ટ કારણ જાણવા માટે જીજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ, જેથી કાર્ડિયાક અરેસ્ટના સંબંધમાં વધુ સ્પષ્ટ જાણકારી મળી શકે.

એક ડૉક્ટરના જણાવ્યા અનુસાર, કોરોના બાદ ગત વર્ષથી હાર્ટ એટેકની ઘટનાઓમાં વધારો થયો છે. 35થી 45 વર્ષના લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે. નેશનલ IMA પણ આ મામલાને લઇને ચિંતામાં છે. કારણ કે, હાલમાં જ 14 વર્ષના એક બાળકનું ક્રિકેટ રમતી વખતે મોત થઈ ગયુ હતું. એવી જ રીતે થોડાં સમય પહેલા 3 માર્ચે પણ સવારે પોતાની કોલોનીમાં મોર્નિંગ વોક કરી રહેલા 57 વર્ષીય સ્કિન સ્પેશ્યાલિસ્ટ ડૉ. સંજીવ ચગ પણ પડી ગયા હતા, તેમને તરત હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં પમ્પિંગ સહિતની ટ્રીટમેન્ટ બાદ પણ તેમનો જીવ બચી શક્યો ન હતો અને તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

Top News

ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ લોનીથી ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જરને કારણ બતાવો નોટિસ જાહેર...
National  Politics 
ભાજપના ધારાસભ્ય પર સરકાર અને પાર્ટીને બદનામ કરવાનો છે આરોપ લાગ્યો, પાર્ટીએ માગ્યો જવાબ

HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

દેશના જાણીતા દાનવીર અને ઉદ્યોગપતિ  HCLના સ્થાપક શિવ નાદરે તેમની એકની એક દીકરી માટે મોટો નિર્ણય લીધો છે. શિવ...
Business 
HCLના શિવ નાદરે દીકરી માટે એવો નિર્ણય લીધો કે રોશની બની ગઈ બિલિયનર

પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

બિહારના મુઝફ્ફરપુરથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં પરિણીત પ્રેમિકાને છુપાઈને મળવા પહોંચેલા પ્રેમીને રંગે હાથે પકડીને ઢોર માર...
National 
પરિણીત પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી, ફટકાર્યા બાદ ગ્રામજનોએ કરાવી દીધા લગ્ન

મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે આસામમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે એક વિદ્યાર્થી તરીકે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમની...
National 
મેં કોંગ્રેસના રાજમાં 7 દિવસ જેલનું ખાવાનું ખાધું, મને દંડાથી માર્યો પણ: અમિત શાહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.