જિદ્દ કે જુસ્સો! 39 પ્રયત્નો બાદ Google માં મળી જોબ, વાયરલ થઇ યુવકની કહાની

કહેવાય છે કે, પ્રયત્નો કરતા લોકોની હાર નથી થતી. એક એવા જ વ્યક્તિની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેને ક્યારેય પણ પ્રયત્નો કરવાના બંધ નથી કર્યા, અંતે તેને પોતાના સપનાઓની કંપની Google માં નોકરી મેળવી લીધી. આ વ્યક્તિની કહાની લોકોને ઓનલાઈન પ્રેરણા આપી રહી છે. ટાઈલર કોહેનને ટેક દિગ્ગજ માટે એક બે વાર નહીં, પણ 39 વાર અરજી કરી હતી, તેને Google ની સાથે પોતાના તમામ ઈમેલ કોમ્યુનિકેશનનો સ્ક્રીનશોટ શેર કર્યો છે.

વાયરલ થઇ રહી છે કોહેનની કહાની

સનફ્રાન્સિકોનો રહેવાસી યુવા કોહેન Google માં નોકરી મેળવવા માટે પહેલા અમેરિકાની ફૂડ કંપની ડોરડેશમાં અસોસિએટ મેનેજરના પદ પર હતો. Google માં નોકરી મળ્યા પછી કોહેને LinkedIn પોસ્ટમાં લખ્યું કે, ‘દૃઢતા અને પાગલપણના વચ્ચે માત્ર એક નાની રેખા છે, હું હજુ પણ એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે, મારી પાસે દૃઢતા છે કે પાગલપણું.’ આ પોસ્ટને અંદાજે 35,000 લોકોએ લાઈક કર્યું છે અને 800 થી વધુ યૂઝર્સે આના પર કમેન્ટ કરી છે.

40મા પ્રયત્નમાં મળી સફળતા

કોહેને પહેલી વખત 25 ઓગસ્ટ 2019 એ Google માં નોકરી માટે અરજી કરી હતી, પણ તેને રિજેક્ટ કરવામાં આવ્યું હતું, તેને હાર નથી માની અને ફરી અપ્લાય કર્યું. 19 જુલાઈ,2022 સુધી દર વખતે Google પાસેથી રિજેકશન મળ્યું હતું, 40મા પ્રયત્નમાં Google એ તેને નોકરી આપી હતી.

સોશિયલ મીડિયા પર કોહેનની પ્રશંસા

ટાઈલર કોહેનની ક્યારેય પણ હાર ન માનવાની પ્રેરણાદાયક કહાનીની દુનિયાભરમાં પ્રશંસા થઇ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો આ સંઘર્ષની કહાનીની ખૂબ જ ચર્ચા પણ કરી રહ્યા છે. નોંધનીય વાત એ છે કે, કોહેનના આ પોસ્ટ પર પોતે Google પણ પ્રતિક્રિયા આપી છે.

Google એ કોહેનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘આ કેવી યાત્રા રહી છે, ટાઈલર! સાચ્ચે જ આ એક સમય જ રહ્યો હશે.’ લોકોએ Google પણ પ્રશંસા કરી છે, જેને કોહેનની LinkedIn પોસ્ટ પર કમેન્ટ કર્યું છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.