દિવાળી 2025: સ્વદેશી ઉત્પાદનોનો દબદબો, 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા

આ વર્ષે દિવાળીના તહેવારે ભારતીય ગ્રાહકોએ સ્વદેશી ઉત્પાદનો પ્રત્યે અદભૂત રસ દાખવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના 'રિસર્ચ રિપોર્ટ ઓન દિવાળી ફેસ્ટિવલ સેલ્સ 2025' મુજબ 21 ઓક્ટોબર 2025ના રોજ જાહેર થયેલા આંકડા દર્શાવે છે કે 87% ગ્રાહકોએ ભારતીય ઉત્પાદનોને પસંદ કર્યા જેના પરિણામે ચાઇનીઝ ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આ સ્વદેશી પસંદગી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ છે જે ભારતીય અર્થતંત્રને મજબૂત કરવામાં મદદરૂપ બની રહી છે.

images (46)

વેપારીઓએ જણાવ્યું કે ભારતીય ઉત્પાદનોનું વેચાણ ગયા વર્ષની સરખામણીએ 25% વધ્યું છે. આ વધારો સુચવે છે કે ગ્રાહકો હવે સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા અને વિશ્વસનીયતા પર વધુ ભરોસો કરી રહ્યા છે. આ ઉપરાંત દિવાળીના તહેવાર દરમિયાન વેપારમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી. CAITના રિપોર્ટ મુજબ આ વર્ષે દિવાળીનો ફેસ્ટિવ ટ્રેડ 25% વધીને 6.05 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. આ આંકડો ભારતીય અર્થવ્યવસ્થાની પ્રગતી અને ગ્રાહકોના સ્વદેશી પ્રેમને દર્શાવે છે.

60855475

આ પરિવર્તનનું મુખ્ય કારણ ગ્રાહકોમાં વધતી જાગૃતિ અને 'વોકલ ફોર લોકલ' અભિયાનની સફળતા છે. સ્વદેશી ઉત્પાદનોની પસંદગી એ માત્ર ખરીદી નથી પરંતુ દેશના નાના ઉદ્યોગો અને કારીગરોને સમર્થન આપવાનો ગર્વ છે. આ દિવાળીએ ભારતીય ગ્રાહકોએ દેશભક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે જે આર્થિક સ્વાવલંબન તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે અને આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહે તો ભારતીય બજાર વધુ પ્રગતિશીલ બનશે અને સ્થાનિક ઉદ્યોગોની પ્રગતિ થશે.

About The Author

Top News

અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

અમદાવાદના બહુચર્ચિત મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડા અને કરોડો રૂપિયાના જુગારધામના પર્દાફાશ બાદ પોલીસ...
Gujarat 
અમદાવાદના મનપસંદ જીમખાના જુગારધામ કેસમાં દરિયાપુર PI, PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ પકડાયા હતા

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.