અંત્યોદયની ભાવના સાથે ગુજરાતના વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલ

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રોડ નેટવર્કને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે નોંધપાત્ર પગલાં લીધાં છે જે અંત્યોદયની ભાવનાને સાકાર કરે છે. રાજ્યના છેવાડાના વિસ્તારોમાં વિકાસનો લાભ પહોંચે અને નાગરિકોનું જીવન સરળ બને તે હેતુથી તેમણે 124 મહત્ત્વના કામો માટે 7737 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ નિર્ણય રાજ્યના નાગરિકો માટે સમૃદ્ધિ અને સુગમતાનું પ્રતીક છે.

આ યોજના હેઠળ રાજ્યના ભારે ટ્રાફિકવાળા રસ્તાઓને સરળ, સલામત અને ઝડપી બનાવવા માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે જેનો ખર્ચ 5576 કરોડ રૂપિયા થશે. આ કોરિડોર રાજ્યના આર્થિક વિકાસને ગતિ આપશે અને શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટીને સુદૃઢ કરશે. આ ઉપરાંત રાજ્યના માર્ગોને આબોહવા પ્રતિરોધક (ક્લાઈમેટ રેઝિલિયેન્ટ) અને નવીન ટેકનોલોજીથી સજ્જ કરવા માટે 1147 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ પગલું ગુજરાતના રસ્તાઓને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ બનાવશે અને પર્યાવરણીય પડકારો સામે પણ મદદરૂપ થશે. 

01

મુખ્યમંત્રીની આ પહેલ અંત્યોદયની ભાવના સાથે છે જેમાં સમાજના છેલ્લા વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવાનો ધ્યેય છે. ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને શહેરો સાથે જોડીને આર્થિક તકો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ યોજના રાજ્યના વેપાર, પરિવહન અને પ્રવાસન ક્ષેત્રોને નવી ઊંચાઈઓ પર લઈ જશે. સરકારનું આ પગલું નાગરિકોના જીવનધોરણને ઉત્તમ બનાવવાની સાથે રાજ્યની પ્રગતિને વેગ આપશે.

આ નિર્ણય ગુજરાત સરકારના પ્રજાકેન્દ્રી અભિગમનું ઉદાહરણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ પહેલની સરાહના સરાહના પત્ર છે કારણ કે તે ગુજરાતને આધુનિક, સમૃદ્ધ રાજ્ય તરીકે આગળ લઈ જવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.