AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં અલગ પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. એટલે કે MCDમાં ત્રીજો મોરચો રચાશે અને તેના નેતા મુકેશ ગોયલ હશે. રિપોર્ટ મુજબ આમ આદમી પાર્ટીના 13 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું પણ આપી દીધું છે.

ગયા મહિને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. MCDની ચૂંટણીમાં ભાજપના કોર્પોરેટર રાજા ઇકબાલ સિંહ નવા મેયર બન્યા હતા. તેમને 133 મત મળ્યા. કોંગ્રેસના ઉમેદવાર મનદીપને માત્ર 8 મત મળ્યા. AAPએ મેયર ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને પોતાનો ઉમેદવાર પણ ઊભો રાખ્યો નહોતો. આ સમગ્ર ઘટના બાદ AAP નેતાઓમાં નારાજગી જોવા મળી રહી હતી. photo_2025-05-17_14-32-10

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને MCDમાં ગૃહના ભૂતપૂર્વ નેતા મુકેશ ગોયલના નેતૃત્વમાં AAPમાં ભાગલા પડ્યા છે. ગોયલે જાહેરાત કરી કે તેમણે અને તેમના સમર્થક કોર્પોરેટરોએ હવે અલગ રસ્તો અપનાવવાનો નિર્ણય લીધો છે. આ નવી પાર્ટીનું નામ 'ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી' રાખવામાં આવ્યું છે. 

મુકેશ ગોયલના મતે, આ નવા જૂથ સાથે 15 કોર્પોરેટરો છે, જેઓ હવે ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીનો ભાગ બનશે. આ પગલું આમ આદમી પાર્ટી માટે એક મોટો રાજકીય પડકાર માનવામાં આવી રહ્યું છે. મુકેશ ગોયલ અને હેમચંદ ગોયલ સહિત ઘણા નેતાઓ અગાઉ કોંગ્રેસ પાર્ટીમાં રહી ચૂક્યા છે. છેલ્લી મ્યુનિસિપલ ચૂંટણી પહેલા આ લોકો કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. વિધાનસભા ચૂંટણીમાં આદર્શ નગર બેઠક પરથી મુકેશ ગોયલને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ બનાવવામાં આવ્યા હતા.

arvind1
khabarchhe.com

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)માં આ નવી પાર્ટીની રચનાથી રાજકારણમાં નવો હલચલ મચી ગઈ છે. દિલ્હીમાં AAPના વર્ચસ્વને પડકારવા માટે આ જૂથનો ઉદભવ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવી શકે છે. આમ આદમી પાર્ટીનું વલણ આમ આદમી પાર્ટી તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે પાર્ટીના આંતરિક સૂત્રો કહે છે કે પાર્ટી નેતૃત્વ આ બળવાથી ખૂબ નારાજ છે અને આ મામલાને ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. ભવિષ્યની રણનીતિ શું હશે? ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીની રચના પછી, આ નવું જૂથ MCDમાં પોતાની રાજકીય પકડ કેવી રીતે મજબૂત કરશે તે જોવું રસપ્રદ રહેશે. દિલ્હીના રાજકારણમાં આ નવા વળાંકે રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યચકિત કર્યા છે.

Top News

વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તેના માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન બનાવી

દેશમાં વિદ્યાર્થીઓ ખોટું પગલું ભરી રહ્યા છે તેનો આંકડો ચિંતાજનક વધ રહ્યો છે. સ્કુલો, કોલેજો અને કોંચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓ...
Education 
વિદ્યાર્થીઓ ખોટું પગલું ન ભરે તેના માટે સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન બનાવી

અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

બેન સ્ટોક્સના શેક હેન્ડ વિવાદને લઈને આર. અશ્વિને પણ પોતાની યુટ્યુબ ચેનલ પર પ્રતિક્રિયા આપી છે. અશ્વિને કહ્યું હતું કે,...
Sports 
અશ્વિને બેન સ્ટોક્સને ખંખેરી નાખ્યો, જો હું કેપ્ટન હોત તો...

જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

જગદીપ ધનખડે રાજ્યસભામાં 21 જુલાઇથી ચોમાસા સત્રની શરૂઆત થઇ એ જ દિવસે રાત્રે ઉપરાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપીને આખા દેશને ચોંકાવી...
Politics 
જગદીપ ધનખડના રાજીનામા પર કોંગ્રેસનું પોલિટિક્સ, ડીનર પાર્ટી રાખી?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -29-7-2025વાર - મંગળવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ છઠઆજની રાશિ - કન્યા આજના ચોઘડિયાલાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.