કાર્યકર્તાઓનો આક્રોશ ભારે પડ્યો! કોંગ્રેસે બિહાર ચૂંટણી વચ્ચે કૃષ્ણા અલ્લાવરુંને મહત્ત્વના પદ પરથી કેમ હટાવ્યા

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બધા પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે, બિહાર કોંગ્રેસમાં મતભેદ સામે આવ્યા છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓએ ટિકિટ વિતરણ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લાવરુની આકરી ટીકા કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કૃષ્ણ અલ્લાવરુને યુથ કોંગ્રેસના પ્રભારી પદ પરથી હટાવી દીધા છે. ચાલો બિહાર ચૂંટણીઓ વચ્ચે કૃષ્ણ અલ્લાવરુ સામેના આ પગલા પાછળના કારણો જાણીએ.

Allavaru

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લાવરુને યુથ કોંગ્રેસના પ્રભારી પદ પરથી હટાવવા પાછળનું કારણ બિહારના કાર્યકરોમાં અલ્લાવરુ સામે વધી રહેલો રોષ ગણાવાઈ રહ્યો છે. કૃષ્ણ અલ્લાવરુની કાર્યશૈલીથી ન માત્ર વરિષ્ઠ નેતાઓ, પરંતુ સામાન્ય કાર્યકરો પણ નારાજ હતા. તેમના પર ટિકિટ વિતરણમાં અનિયમિતતાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સદાકત આશ્રમ (કોંગ્રેસ કાર્યાલય) ખાતે તેમની સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

જોકે, પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે, આ નિર્ણય ઘણા સમય અગાઉ લેવામાં આવ્યો હતો, કારણ કે કૃષ્ણ અલ્લાવરુ પાસે 2 વિભાગ હતા. ચૂંટણીની વચ્ચે આ જાહેરાતથી ટાઈમિંગ પર પ્રશ્નો ઉભા થયા છે. જો પાર્ટીએ એક મહિના અગાઉ નિર્ણય લીધો હતો, તો તેની જાહેરાત કરવા માટે એક મહિનાની કેમ જાહેરાત ન કરાઇ? કઈ વાતની રાહ જોવાઈ રહી હતી? આટલો સમય રોકાયા તો જાહેરાત કરવા માટે થોડો વધુ સમય લઈ શકાતો હતો.

Allavaru3

ગુરુવારે, બિહારની રાજધાની પટનામાં કૃષ્ણ અલ્લાવરુ પોતાની હોટલમાંથી બહાર નીકળતા જ એક પાર્ટી નેતાએ તેમને ટિકિટ ચોર કહીને સંબોધિત કર્યા. કૃષ્ણ અલ્લાવરુને ટિકિટ ચોર કહેનાર નેતાની ઓળખ આદિત્ય પાસવાન તરીકે થઈ છે. જ્યારે નેતાએ કૃષ્ણા અલ્લાવરુંને ટિકિટ ચોર કહ્યા તો તેઓ સાંભળતા રહ્યા. અહેવાલો અનુસાર, આદિત્ય પાસવાન રાજ્ય કોંગ્રેસ સેવા દળ યંગ બ્રિગેડના અધ્યક્ષ છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા શનિવારે લેવાયેલી ધોરણ-12 અંગ્રેજી વિષયની પરીક્ષામાં એક અનોખી અને...
Education 
ગુજરાતમાં ધો-12 અંગ્રેજીના પેપરમાં ‘ભગવદ્ ગીતા’ના પ્રશ્નો પૂછાતા વિદ્યાર્થીઓએ કહ્યું- આ સિલેબસ બહારના પ્રશ્નો છે

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.