કાર્યકર્તાઓનો આક્રોશ ભારે પડ્યો! કોંગ્રેસે બિહાર ચૂંટણી વચ્ચે કૃષ્ણા અલ્લાવરુંને મહત્ત્વના પદ પરથી કેમ હટાવ્યા

બિહાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. બધા પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે અને પ્રચાર શરૂ કરી દીધો છે. જોકે, બિહાર કોંગ્રેસમાં મતભેદ સામે આવ્યા છે. રાજ્ય કોંગ્રેસના નેતાઓએ ટિકિટ વિતરણ સામે સખત વાંધો ઉઠાવ્યો છે અને બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લાવરુની આકરી ટીકા કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ કૃષ્ણ અલ્લાવરુને યુથ કોંગ્રેસના પ્રભારી પદ પરથી હટાવી દીધા છે. ચાલો બિહાર ચૂંટણીઓ વચ્ચે કૃષ્ણ અલ્લાવરુ સામેના આ પગલા પાછળના કારણો જાણીએ.

Allavaru

સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણ અલ્લાવરુને યુથ કોંગ્રેસના પ્રભારી પદ પરથી હટાવવા પાછળનું કારણ બિહારના કાર્યકરોમાં અલ્લાવરુ સામે વધી રહેલો રોષ ગણાવાઈ રહ્યો છે. કૃષ્ણ અલ્લાવરુની કાર્યશૈલીથી ન માત્ર વરિષ્ઠ નેતાઓ, પરંતુ સામાન્ય કાર્યકરો પણ નારાજ હતા. તેમના પર ટિકિટ વિતરણમાં અનિયમિતતાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે. સદાકત આશ્રમ (કોંગ્રેસ કાર્યાલય) ખાતે તેમની સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

જોકે, પાર્ટીના કેટલાક નેતાઓનું કહેવું છે કે, આ નિર્ણય ઘણા સમય અગાઉ લેવામાં આવ્યો હતો, કારણ કે કૃષ્ણ અલ્લાવરુ પાસે 2 વિભાગ હતા. ચૂંટણીની વચ્ચે આ જાહેરાતથી ટાઈમિંગ પર પ્રશ્નો ઉભા થયા છે. જો પાર્ટીએ એક મહિના અગાઉ નિર્ણય લીધો હતો, તો તેની જાહેરાત કરવા માટે એક મહિનાની કેમ જાહેરાત ન કરાઇ? કઈ વાતની રાહ જોવાઈ રહી હતી? આટલો સમય રોકાયા તો જાહેરાત કરવા માટે થોડો વધુ સમય લઈ શકાતો હતો.

Allavaru3

ગુરુવારે, બિહારની રાજધાની પટનામાં કૃષ્ણ અલ્લાવરુ પોતાની હોટલમાંથી બહાર નીકળતા જ એક પાર્ટી નેતાએ તેમને ટિકિટ ચોર કહીને સંબોધિત કર્યા. કૃષ્ણ અલ્લાવરુને ટિકિટ ચોર કહેનાર નેતાની ઓળખ આદિત્ય પાસવાન તરીકે થઈ છે. જ્યારે નેતાએ કૃષ્ણા અલ્લાવરુંને ટિકિટ ચોર કહ્યા તો તેઓ સાંભળતા રહ્યા. અહેવાલો અનુસાર, આદિત્ય પાસવાન રાજ્ય કોંગ્રેસ સેવા દળ યંગ બ્રિગેડના અધ્યક્ષ છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.