ઇમરાન ખાનની જેલમાં પણ મોજ, મળી રહી છે આ ખાસ સુવિધા

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને અટક જિલ્લા જેલમાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઈમરાન ખાનની જેલની મુલાકાત પર આવેલા એક મોટા અધિકારી સામે પણ પોતાની સુવિધાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. જેલના અધિકારીઓ મુજબ ઈમરાન ખાનને જેલમાં કોઈ પરેશાની નથી. અટક જેલના ચીફે સોમવારે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટને એક લિસ્ટ સોંપી છે, જેમાં ઈમરાન ખાનને મળી રહેલી સુવિધાઓ બાબતે બતાવવામાં આવ્યું છે.

આ લિસ્ટ મુજબ, ઈમરાન ખાનને જેલમાં દેશી ઘીમાં બનાવેલું ચિકન અને મટન આપવામાં આવી રહ્યું છે. આ અગાઉ રવિવારે પંજાબ મહાનિર્દેશક (IG) જેલ મિયાં ફારૂક નજીર ઈમરાન ખાનને મળવા માટે જેલ ગયા હતા અને તેમણે ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓની જાણકારી લીધી હતી. ઈમરાન ખાનને આ મહિનાની શરૂઆતમાં તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 3 વર્ષની જેલ સંભળાવવામાં આવી હતી.

જેલના અધિકારીઓ મુજબ, અધિકારીએ ઈમરાન ખાનની પ્રાઇવસી સુનિશ્ચિત કરવા માટે આ વાતની સમીક્ષા કરી કે તેમના બેરકમાં કેમેરા ક્યાં ક્યાં લગાવવામાં આવ્યા છે. એક અખબારના રિપોર્ટ મુજબ, જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરાન ખાનને જેલ કાયદા મુજબ, એક પલંગ, ઓશિકુ, ગાદલો, ખુરશી અને કુલર આપવામાં આવ્યા છે. તેમને એક પંખો, નમાજ માટે એક રૂમ, અંગ્રેજીમાં અનુવાદ કરેલી કુરાનની એક કોપી, પુસ્તકો, એક અખબાર, થર્મસ, ખજૂર, મધ, ટિશુ પેપર અને અત્તર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, ઈમરાન ખાને નજીર સાથે મુલાકાત દરમિયાન અટક જિલ્લા કારાગારમાં તેમને ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ પર સંતોષ વ્યક્ત કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, ખાનના નવા શૌચાલયમાં પશ્ચિમી શૈલીની ટોઇલેટ સીટ, એક વોશ બેસિન, સાબુ, એર ફ્રેશનર, રૂમાલ અને ટિશુ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ વડાપ્રધાને ચિકિત્સકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 5 ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી દરેક ડૉક્ટર 8 કલાક કામ કરે છે.

ઈમરાન ખાન માટે IG જેલની મંજૂરીથી ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ડૉક્ટર દ્વારા તેમની તપાસ કર્યા બાદ એક વિશેષ ટીમ તેમને ભોજન ઉપલબ્ધ કરાવે છે. ઈમરાન ખાનની પત્ની અને પાર્ટીએ તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને અતિરિક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. PTI કોર કમિટીનો દાવો હતો કે ખાનને ઘરથી ભોજન અને પાણી માગવાના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને તેણે ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની આશંકા વ્યક્ત કરી.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.