ઇમરાન ખાનની જેલમાં પણ મોજ, મળી રહી છે આ ખાસ સુવિધા

On

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનને અટક જિલ્લા જેલમાં ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ઈમરાન ખાનની જેલની મુલાકાત પર આવેલા એક મોટા અધિકારી સામે પણ પોતાની સુવિધાઓને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. જેલના અધિકારીઓ મુજબ ઈમરાન ખાનને જેલમાં કોઈ પરેશાની નથી. અટક જેલના ચીફે સોમવારે પાકિસ્તાન સુપ્રીમ કોર્ટને એક લિસ્ટ સોંપી છે, જેમાં ઈમરાન ખાનને મળી રહેલી સુવિધાઓ બાબતે બતાવવામાં આવ્યું છે.

આ લિસ્ટ મુજબ, ઈમરાન ખાનને જેલમાં દેશી ઘીમાં બનાવેલું ચિકન અને મટન આપવામાં આવી રહ્યું છે. આ અગાઉ રવિવારે પંજાબ મહાનિર્દેશક (IG) જેલ મિયાં ફારૂક નજીર ઈમરાન ખાનને મળવા માટે જેલ ગયા હતા અને તેમણે ઉપલબ્ધ કરાવેલી સુવિધાઓની જાણકારી લીધી હતી. ઈમરાન ખાનને આ મહિનાની શરૂઆતમાં તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં 3 વર્ષની જેલ સંભળાવવામાં આવી હતી.

જેલના અધિકારીઓ મુજબ, અધિકારીએ ઈમરાન ખાનની પ્રાઇવસી સુનિશ્ચિત કરવા માટે આ વાતની સમીક્ષા કરી કે તેમના બેરકમાં કેમેરા ક્યાં ક્યાં લગાવવામાં આવ્યા છે. એક અખબારના રિપોર્ટ મુજબ, જેલ અધિકારીઓએ જણાવ્યું કે, ઈમરાન ખાનને જેલ કાયદા મુજબ, એક પલંગ, ઓશિકુ, ગાદલો, ખુરશી અને કુલર આપવામાં આવ્યા છે. તેમને એક પંખો, નમાજ માટે એક રૂમ, અંગ્રેજીમાં અનુવાદ કરેલી કુરાનની એક કોપી, પુસ્તકો, એક અખબાર, થર્મસ, ખજૂર, મધ, ટિશુ પેપર અને અત્તર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

રિપોર્ટ્સ મુજબ, ઈમરાન ખાને નજીર સાથે મુલાકાત દરમિયાન અટક જિલ્લા કારાગારમાં તેમને ઉપલબ્ધ કરાવવામાં આવેલી સુવિધાઓ પર સંતોષ વ્યક્ત કર્યો. અધિકારીઓએ જણાવ્યું કે, ખાનના નવા શૌચાલયમાં પશ્ચિમી શૈલીની ટોઇલેટ સીટ, એક વોશ બેસિન, સાબુ, એર ફ્રેશનર, રૂમાલ અને ટિશુ પેપર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ વડાપ્રધાને ચિકિત્સકિય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે 5 ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી દરેક ડૉક્ટર 8 કલાક કામ કરે છે.

ઈમરાન ખાન માટે IG જેલની મંજૂરીથી ભોજનની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને ડૉક્ટર દ્વારા તેમની તપાસ કર્યા બાદ એક વિશેષ ટીમ તેમને ભોજન ઉપલબ્ધ કરાવે છે. ઈમરાન ખાનની પત્ની અને પાર્ટીએ તેમની સુરક્ષા અને સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને અતિરિક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. PTI કોર કમિટીનો દાવો હતો કે ખાનને ઘરથી ભોજન અને પાણી માગવાના અધિકારથી વંચિત રાખવામાં આવી રહ્યા છે અને તેણે ઈમરાન ખાનને જેલમાં ઝેર આપવાની આશંકા વ્યક્ત કરી.

Related Posts

Top News

તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આ દિવસોમાં તેમના એક નિવેદન માટે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે.  મિશિગનમાં એક ઈવેન્ટ...
World 
તે પત્ની છે, ચીયરલીડર નથી...',US વાઇસ પ્રેસિડેન્ટ પર કેમ ગુસ્સે થયા સોશિયલ મીડિયા યુઝર્સ

રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

રાજસ્થાન રોયલ્સ (RR)ના કેપ્ટન સંજુ સેમસનને ઇંગ્લેન્ડ સામેની T20I શ્રેણી દરમિયાન તેની તર્જની આંગળીમાં ફ્રેક્ચર થયું હતું. આવી...
Sports 
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન સંજુ સેમસન નહીં કરી શકે વિકેટકીપિંગ? જાણો શું છે આખો મામલો

પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર છે અને ગેરકાયદેસર ઇમિગ્રેશન પર આકરા પ્રહારો હવે તીખા થતા જઈ રહ્યા છે. એવા સમાચાર મળી...
World 
પાકિસ્તાનીઓને USમાં નો એન્ટ્રી, લિસ્ટમાં 41 દેશોના નામ..., ઊંઘ હરામ કરી દેશે ટ્રમ્પનો એક આદેશ

મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

દેશના પ્રખ્યાત રામ કથાકાર મોરારી બાપુએ ધર્મ પરિવર્તન અંગે મોટો ખુલાસો કર્યો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢમાં, મોરારી...
Gujarat 
મોરારી બાપુએ ગૃહમંત્રીને કેમ કહ્યું- હર્ષ ભાઈ... હવે લાગે છે કે આપણે મોડું ન કરવું જોઈએ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.