રોહિત શર્મા મેચ વખતે કઇ વસ્તુ 3 વસ્તુ પર ફોકસ કરે છે, થયો મોટો ખુલાસો

ભારતીય ટીમે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર શરૂઆત કરી છે અને તેણે શરૂઆતી ત્રણેય મેચ જીતી લીધી છે. ત્રણ જીત સાથે ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. તો વાત કરીએ રોહિત શર્માની તો ભારતીય ટીમના કેપ્ટન તરીકે તે ખૂબ સફળ રહ્યો છે. IPL અને ભારતીય ટીમમાં જે પ્રકારે તેણે કેપ્ટન્સી કરી છે, તેની ખૂબ પ્રશંસા થઇ. તો પૂર્વ ક્રિકેટર અમોલ મજૂમદારે રોહિત શર્માની કેપ્ટન્સી સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, રોહિત શર્મા કેપ્ટન્સી અગાઉ 3 વસ્તુ પર ખાસ ધ્યાન આપે છે.

રોહિત શર્મા પોતાની કેપ્ટન્સીમાં તે ભારતને બે વખત એશિયા કપની ટ્રોફી જીતાડી ચૂક્યો છે. તેની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપમાં સેમીફાઇનલ સુધીની સફર નક્કી કરી હતી. એ સિવાય પોતાની કેપ્ટન્સીમાં મુંબઈ ઇન્ડિયન્સને 5 IPL ટ્રોફી પણ જીતાડી ચૂક્યો છે. અમોલ મજૂમદારના જણાવ્યા મુજબ, રોહિત શર્મા ખૂબ પ્લાનિંગ સાથે મેદાનમાં ઉતરે છે. તેમણે કહ્યું કે, હું રોહિત શર્માની કેપ્ટન્સી બાબતે 3 વસ્તુ હાઇલાઇટ કરવા માગું છું.

પહેલી વસ્તુ તો એ કે રોહિત શર્મા ડેટા અને આંકડાઓને ખૂબ મહત્ત્વ આપે છે. તેનું માનવું છે કે એક ખેલાડી બાબતે જાણવું ખૂબ જરૂરી છે અને એ તેની પ્લાનિંગનો હિસ્સો હોય છે. બીજી વસ્તુ એ કે તે વસ્તુને ખૂબ સરળ રાખે છે. એ સિવાય તે ટીમનો માહોલ ખૂબ શાંત અને ઠંડો રાખે છે. અમોલ મજૂમદારે રોહિતની ક્રિકેટિંગ જર્નીના મહત્ત્વપૂર્ણ અધ્યાયને યાદ કરતા કહ્યું કે, વર્ષ 2007માં રોહિત શર્માએ ભારતીય ટીમ સાથે પોતાની યાત્રા શરૂ કરી. વર્લ્ડ T20 ટીમનો હિસ્સો બન્યો અને વર્લ્ડ કપ જીત્યો. ત્યારબાદ તેણે વન-ડે ટીમમાં જગ્યા બનાવી.

જો કે, જ્યારે તેને 2011ના વર્લ્ડ કપ માટે પસંદ ન કરવામાં આવ્યો તો તેને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો. આ ઝટકાથી બહાર આવવા માટે તેણે પોતાન જીવનમાં મહત્ત્વપૂર્ણ બદલાવ કર્યા. તે બાંદ્રાથી બોરીવલી જતો રહ્યો અને એક ફિટનેસ ટ્રેનરની સલાહ લીધી, જે ઘણા મહિનાઓ સુધી તેની સાથે રહ્યો. રોહિતે પોતાની ફિટનેસમાં સુધાર માટે પોતાને સમર્પિત કરી દીધો અને ત્યારબાદ તેણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી.

ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતીય ટીમે પોતાની વર્લ્ડ કપની ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ રમી હતી. એ મેચમાં પહેલા બેટિંગ કરતા પાકિસ્તાની ટીમ 191 રન પર જ સમેટાઇ ગઇ ગતી. જ્યારે ભારતીય ટીમ 192 રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરી તો રોહિત શર્મા અને શુભમન ગિલે ખૂબ તેજ શરૂઆત કરી. ગિલ 16 રન બનાવીને આઉટ થઈ ગયો, પરંતુ કેપ્ટન રોહિત શર્મા એક તરફ ટકી રહ્યો અને ખૂબ તેજ બેટિંગ કરી. તેણે 63 બૉલમાં 6 ફોર અને 6 સિક્સની મદદથી 86 રનોની વિસ્ફોટક ઇનિંગ રમી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.