ફેન્સ પંતના અપડેટ માટે BCCI ઓફિસમાં સતત ફોન કરીને પૂછી રહ્યા છે આ સવાલ

ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત શુક્રવારે ઉત્તરાખંડમાં કાર એક્સિડન્ટનો શિકાર થઇ ગયો. દિલ્હીથી રુડકી જતી વખત રિષભ પંતની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, ત્યારબાદ તેમાં આગ લાગી ગઇ. રિષભ પંતને આ ઘટનામાં ગંભીર ઇજા થઇ છે, તે હૉસ્પિટલમાં એડમિટ છે. ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટર રિષભ પંત આ પ્રકારે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થવો, દરેક ક્રિકેટ ફેન્સ માટે ચિંતાના સમાચાર છે. ફેન્સ ગત દિવસથી જ સોશિયલ મીડિયા પર રિષભ પંતને લઇને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

એટલું જ નહીં, મુંબઇમાં સ્થિત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓફિસ પર પણ ફેન્સની લાઇન લાગી છે અને દરેક રિષભ પંત સાથે જોડાયેલું અપડેટ જાણવા માગે છે. એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, BCCIની ઓફિસમાં સતત ફેન્સના ફોન દેશના અલગ-અલગ હિસ્સાઓમાંથી આવી રહ્યા છે. અહીં ફેન્સ જાણવા માગે છે કે રિષભ પંતની તબિયત કેવી છે, BCCI ઓફિસ બહાર પણ લોકો ઉપસ્થિત છે. અહી લોકોનો એક જ સવાલ છે કે રિષભ પંત ક્યાં સુધીમાં સારો થશે? શું તે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝ રમી શકશે?

કેટલાક ફેન્સ BCCI ઓફિસથી રિષભ પંતનું હેલ્થ અપડેટ માગી રહ્યા છે, તો કેટલાક હૉસ્પિટલનું નામ પૂછી રહ્યા છે જેથી તેઓ રિષભ પંતને જઇને મળી શકે. રિષભ પંતની કારનું શુક્રવારે એક્સિડન્ટ થઇ ગયું હતું, જેમાં તેને ગંભીર ઇજા થઇ છે. રિષભ પંત પહેલા એક્સિડન્ટવાળી જગ્યા પાસે જ સ્થિત હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને દેહરાદૂનની મેક્સ હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. હવે તેને સારી સારવાર અને સુવિધાઓ માટે દિલ્હી એરલિફ્ટ કરી શકાય છે.

રિષભ પંતનો પરિવાર તેની સાથે છે. સાથે જ ઉત્તરાખંડ સરકાર અને BCCI પણ દરેક પ્રકારની જરૂરિયાત પર નજર બનાવી રાખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિષભ પંતના પરિવારથી ફોનથી વાત કરી હતી અને સ્ટાર ક્રિકેટરના સ્વાસ્થ્યની જાણકરી લીધી હતી. BCCI દ્વારા ટ્વીટ કરીને તેની જણાકરી આપી હતી. તો એક્ટર અનુપમ ખેર અને અનિલ કપૂર પણ રિષભ પંતને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. 25 વર્ષીય રિષભ પંત હાલમાં જ બાંગ્લાદેશ વિરુદ્ધ થયેલી ટેસ્ટ સિરિઝથી ફર્યો હતો. તેને શ્રીલંકા વિરુદ્ધ થનારી T20 અને વન-ડે સીરિઝમાં સિલેક્ટ કરવામાં આવ્યો નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.