- Sports
- IPLની જૂની ટીમ કોચી ટસ્કર્સ કેરળને BCCIએ 539 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, કોર્ટનો આદેશ, જાણો કેમ
IPLની જૂની ટીમ કોચી ટસ્કર્સ કેરળને BCCIએ 539 કરોડ રૂપિયા ચૂકવવા પડશે, કોર્ટનો આદેશ, જાણો કેમ

બોમ્બે હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની અરજી ફગાવી દીધી છે જેમાં આર્બિટ્રેટર દ્વારા હવે બંધ થયેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝ કોચી ટસ્કર્સ કેરળના પક્ષમાં 538 કરોડ રૂપિયા (લગભગ 539 કરોડ રૂપિયા)થી વધુના એવોર્ડને પડકારવામાં આવ્યો હતો. એક સમાચાર એજન્સીએ આપેલી માહિતી અનુસાર, જસ્ટિસ R ચાગલાએ મંગળવાર 17 જૂન 2025ના રોજ આપેલા આદેશમાં કહ્યું હતું કે, આર્બિટ્રેટરના નિર્ણયમાં કોઈ 'સ્પષ્ટ ગેરકાયદેસરતા' નથી, જેમાં કોર્ટના હસ્તક્ષેપની જરૂર હોય.

કોચી ટસ્કર્સ કેરળ 2011માં IPLની એક સીઝનમાં ભાગ લીધો હતો અને 10 ટીમોમાં 8મા સ્થાને રહ્યો હતો. કોચી ટસ્કર્સ કેરળ રોન્ડા સ્પોર્ટ્સ વર્લ્ડ (RSW)ના નેતૃત્વ હેઠળના જૂથને આપવામાં આવ્યું હતું અને ત્યાર પછી તેને કોચી ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (KCPL) દ્વારા સંચાલિત કરવામાં આવ્યું હતું. ટીમે 2011માં IPLમાં ભાગ લીધો હતો, પરંતુ BCCIએ ત્યાર પછીના વર્ષે તેમનો કરાર રદ કર્યો હતો. આ વિવાદ BCCI દ્વારા કરાર સમાપ્ત કરવાની આસપાસ ફરે છે, કારણ કે KCPL અને RSWએ જરૂરી બેંક ગેરંટી સબમિટ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

KCPL અને RSWએ 2012માં આર્બિટ્રેશન કાર્યવાહી શરૂ કરી હતી અને કરાર સમાપ્ત કરવાને અન્યાયી ગણાવ્યો હતો. અન્ય વિવાદાસ્પદ મુદ્દાઓમાં સ્ટેડિયમની ઉપલબ્ધતા અને મેચોની સંખ્યામાં ઘટાડો સંબંધિત બાબતોનો સમાવેશ થાય છે. આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે 2015માં તેમના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ટ્રિબ્યુનલે BCCIને KCPLને 19 સપ્ટેમ્બર, 2011થી 18 ટકા વ્યાજ અને આર્બિટ્રેશન ખર્ચ માટે 72 લાખ રૂપિયા વળતર તરીકે ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.
ટ્રિબ્યુનલે RSW માટે BCCIને કરાર સમાપ્તિની તારીખથી 18 ટકા વ્યાજ સાથે 153.34 કરોડ રૂપિયા પરત કરવાનો પણ આદેશ આપ્યો હતો. BCCI આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશથી નાખુશ હતું અને બોમ્બે હાઈકોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો. હાઈકોર્ટે આર્બિટ્રેટરના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

બોમ્બે હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે, 'આર્બિટ્રેશન એક્ટની કલમ 34 હેઠળ આ કોર્ટનું અધિકારક્ષેત્ર ખૂબ જ મર્યાદિત છે. વિવાદના ગુણદોષની તપાસ કરવાનો BCCIનો પ્રયાસ કાયદાની કલમ 34માં સમાવિષ્ટ આધારોના અવકાશની વિરુદ્ધ છે. પુરાવા અને/અથવા ગુણદોષ અંગેના તારણો પ્રત્યે BCCIનો અસંતોષ નિર્ણયને પડકારવાનો આધાર હોઈ શકે નહીં.'

આર્બિટ્રેશન એ એક પદ્ધતિ છે જેમાં બે પક્ષો (જેમ કે લોકો, કંપનીઓ અથવા સંગઠનો) કોર્ટને બદલે ત્રીજા પક્ષ સમક્ષ પોતાનો વિવાદ રજૂ કરે છે. ત્રીજા પક્ષને મધ્યસ્થી કહેવામાં આવે છે. કોચી ટસ્કર્સ અને BCCI વચ્ચે પૈસા અંગે વિવાદ હતો. બંને વચ્ચેનો વિવાદ મધ્યસ્થી ટ્રિબ્યુનલમાં ગયો. આ ટ્રિબ્યુનલે કોચી ટસ્કર્સની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)