કોણ છે આરતી સાઠે? બોમ્બે હાઇ કોર્ટના જજ બનવા માટે ભલામણ પર મચી ગયો છે હોબાળો

સુપ્રીમ કોર્ટ કોલેજિયમ તરફથી એડવોકેટ આરતી સાઠેને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવાની ભલામણથી મહારાષ્ટ્રના રાજકારણમાં એક નવો વિવાદ ઉભો થઈ ગયો છે. આરતી સાઠે અગાઉ મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રહી ચૂક્યા છે. હવે આ નિમણૂકને કારણે તેઓ વિપક્ષના નિશાના પર છે. વિપક્ષ ખાસ કરીને NCP (શરદ પવાર)ના ધારાસભ્ય રોહિત પવારે તેમની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા છે અને તેને લોકશાહી માટે જોખમી ગણાવ્યા છે. બીજી તરફ ભાજપે આ આરોપોને ફગાવી દીધા છે અને તેને પૂરી રીતે યોગ્યતા પર આધારિત નિમણૂક ગણાવી છે. આખરે આરતી સાઠે કોણ છે, જેમના નામ પર આટલો બધો હોબાળો મચી ગયો છે? ચાલો તેમની સફર પર એક નજર કરીએ.

આરતી અરુણ સાઠે એક અનુભવી વકીલ છે, જેમની પાસે 20 વર્ષથી વધુ કાયદાકીય અનુભવ છે. તેમની વિશેષજ્ઞતા ડાયરેક્ટ ટેક્સ બાબતોમાં રહી છે અને તેમણે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), સિક્યોરિટીઝ એપીલેટ ટ્રિબ્યૂનલ (SAT) અને કસ્ટમ્સ, એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ એપીલેટ ટ્રિબ્યૂનલ (CESTAT) જેવા મહત્ત્વપૂર્ણ મંચો પર ઘણા કેસોની વકીલાત કરી છે. આ ઉપરાંત, તેઓ બોમ્બે હાઈકોર્ટમાં વૈવાહિક વિવાદો સાથે સંબંધિત કેસોમાં પણ સક્રિય રહ્યા છે. તેમની કાયદાકીય વિશેષજ્ઞતા અને વ્યાવસાયિક ઉપલબ્ધિઓએ તેમને એક સન્માનિત વકીલ તરીકે સ્થાપિત કર્યા છે.

aarti-sathe
thelallantop.com

આરતી સાઠેને ફેબ્રુઆરી 2023માં મહારાષ્ટ્ર ભાજપના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સાથે તેઓ મુંબઈ ભાજપના કાયદાકીય સેલના પ્રમુખ પણ હતા. જોકે, જાન્યુઆરી 2024માં તેમણે વ્યક્તિગત અને વ્યાવસાયિક કારણોસર પ્રવક્તા અને પક્ષના પ્રાથમિક સભ્યપદ બંને પદ પરથી રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટ કૉલેજિયમ દ્વારા 28 જુલાઈના રોજ તેમની નિમણૂકની ભલામણ કરવામાં આવી હતી, જેમાં તેમની સાથે બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે વકીલ અજીત ભગવાન રાવ કડેઠંકર અને સુશીલ મનોહર ઘોડેશ્વરને નિયુક્ત કરવાનો પ્રસ્તાવ શામેલ હતો. વિપક્ષે આરતીના ભાજપ સાથેના અગાઉના કનેક્શન પર સવાલ ઉઠાવ્યા છે. NCP (SP)ના ધારાસભ્ય રોહિત પવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સ્ક્રીનશૉટ શેર કરતા કહ્યું કે સત્તાધારી પક્ષના પ્રવક્તા રહેલા વ્યક્તિની ન્યાયાધીશ તરીકે નિમણૂક નિષ્પક્ષતા અને લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલ ઉભા કરે છે. પવારે સ્પષ્ટ કર્યું કે તેઓ આરતીની લાયકાત પર સવાલ ઉઠાવી રહ્યા નથી, પરંતુ તેમની નિમણૂક પર પુનર્વિચારણાની માગ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુખ્ય ન્યાયાધીશે આ મામલે માર્ગદર્શન આપવું જોઇએ.

bombay-high-court
viator.com

ભાજપે વિપક્ષના આરોપોને ફગાવતા કહ્યું કે આરતી સાઠેની નિમણૂક માત્ર યોગ્યતાના આધારે કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ભાજપના મીડિયા પ્રભારી નવીન બાને કહ્યું કે, આરતી સાઠેએ ઘણા વર્ષો અગાઉ ભાજપના પ્રવક્તા પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમનો પક્ષ સાથે કોઈ સંબંધ નથી. તેમની લાયકાત પર સવાલ ઉઠાવવો અનુચિત છે. તો, ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયે કહ્યું કે, કોલેજિયમે તેમના રાજીનામાના દોઢ વર્ષ બાદ આરતીના નામની ભલામણ કરી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ભૂતકાળમાં પણ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ન્યાયાધીશો તરીકે નિમણૂક કરવામાં આવી છે, જેમ કે ન્યાયાધીશ બહારુલ ઇસ્લામ, જેમનો કથિત રીતે કોંગ્રેસ સાથે સંબંધ હતો.

આરતી સાઠેના પિતા અરુણ સાઠે પણ એક પ્રખ્યાત વકીલ છે અને લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને ભાજપ સાથે જોડાયેલા છે. તેઓ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ રહી ચૂક્યા છે. આ પારિવારિક પૃષ્ઠભૂમિએ વિપક્ષના આરોપોને પણ વેગ આપ્યો છે, જે તેને પક્ષપાતી નિમણૂક તરીકે જુએ છે. વર્તમાનમાં બોમ્બે હાઈકોર્ટમાં 66 ન્યાયાધીશો કાર્યરત છે, જેમાં 50 સ્થાયી અને 16 વધારાના ન્યાયાધીશ સામેલ છે. કોર્ટની સ્વીકૃત સંખ્યા 94 છે, જેના કારણે નવી નિમણૂકોની જરૂર પડે છે. આરતી સાઠેની નિમણૂક આ ખાલી જગ્યા ભરવા તરફનું એક પગલું છે, પરંતુ તેનાથી એક મોટો વિવાદ ઊભો થઈ ગયો છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.