શાળાએ 10 મિનિટ મોડી આવતા 13 વર્ષીય વિદ્યાર્થિનીને 100 ઉઠક-બેઠક કરાવી, ગુમાવ્યો જીવ

દેશભરમાં બાળ દિવસ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો હતો, પરંતુ આ બાળ દિવસે વસઈમાં એક દુ:ખદ ઘટના બની. શાળાએ પહોંચવામાં 10 મિનિટ વિલંબ થતા શિક્ષકે વિદ્યાર્થીનીને 100 ઉઠક-બેઠક કરવાનું કહ્યું, જેના કારણે વિદ્યાર્થીની તબિયત લથડી અને સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવી દીધો. આ ઘટના વસઈ પશ્ચિમના સાતિવલી વિસ્તારમાં આવેલી હનુમાન વિદ્યા હાઇ સ્કૂલમાં બની હતી. 13 વર્ષની અંશિકા ગૌડ ધોરણ-6માં અભ્યાસ કરતી હતી.

8 નવેમ્બરના રોજ અંશિકા રાબેતા મુજબ શાળાએ ગઈ હતી, પરંતુ તે શાળાએ પહોંચવામાં 10 મિનિટ મોડી પડી હતી. અંશિકા સાથે 2-4 બાળકોને શિક્ષિકાઓએ વર્ગખંડમાંથી બહાર કાઢી મૂકી હતી અને તેમને 100 ઉઠક-બેઠક કરવાનું કહ્યું. ત્યારબાદ અંશિકાની તબિયત લથડી અને તેનું મોત થઇ ગયું.  વસઈ-ઈસ્ટના સાતીવલીના કુવરા પાડા વિસ્તારમાં શ્રી હનુમંત વિદ્યા મંદિર શાળા આવેલી છે. તેમાં ધોરણ 1-8ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આમાં, વિદ્યાર્થી કાજલ ગૌડ ધોરણ 6 (A)માં અભ્યાસ કરતી હતી.

12-year-old-student1
ndtv.com

8 નવેમ્બરની સવારે, ઘણા વિદ્યાર્થીઓએ શાળામાં મોડા આવ્યા હતા. કાજલ પણ મોદી શાળાએ પહોંચી હતી. વિદ્યાર્થીઓ મોડા આવ્યા હોવાથી શિક્ષકે વિદ્યાર્થીઓને 100 ઉઠક-બેઠક કરવાની સજા કરી હતી.  કેટલાક વિદ્યાર્થીઓએ તેમની બેગ ખભા પર લઈને ઉઠક-બેઠક કરી હતી. આમાંથી બાકીના લોકો 10-20 ઉઠક-બેઠક કરીને અટકી ગયા હતા જ્યારે કાજલે ભયને કારણે 100 ઉઠક-બેઠક કરી હતી.

શાળાએથી ઘરે પરત ફર્યા બાદ છોકરીની તબિયત અચાનક અચાનક લથડી હતી, એટલે તેને તાત્કાલિક વસઈની આસ્થા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે, તેની હાલત વધુ બગડતા, તેને સારવાર માટે મુંબઈની જે.જે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન શનિવારે રાત્રે 11:00 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિનીએ જીવ ગુમાવી દીધો. જેના કારણે તેના પરિવારમાં શોકની લહેર પ્રસરી ગઈ હતી. પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ અને શિક્ષકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે, જેના કારણે અમારી દીકરીનું મોત થયું છે.

school
indiatv.in

તેમણે આ ઘટનાની સંપૂર્ણ તપાસ અને ગુનેગારો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટના બાદ, વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા નજીક મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. વાલીવ પોલીસે શાળા અને હોસ્પિટલમાં જઈને તપાસ શરૂ કરી છે. જે.જે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાની માહિતી મળ્યા બાદ અમારો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ ઘટનાની સંપૂર્ણ માહિતી મેળવ્યા બાદ કેસ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સાતીવલીની હનુમંત વિદ્યામંદિર શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતી છોકરીનો જીવ જવાની જાણ થતા જ બાદ શિક્ષણ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને માહિતી મેળવી છે. વસઈના જૂથ શિક્ષણ અધિકારી પાંડુરંગ ગલંગેએ કહ્યું છે કે, સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવશે અને રિપોર્ટ રજૂ કરવામાં આવશે. શિક્ષણ વિભાગ હંમેશા વિદ્યાર્થીઓની સલામતી અંગે તમામ શાળાઓને સૂચનાઓ આપે છે. તેમણે RTE 2009 શિક્ષણ કાયદામાં એવી જોગવાઈ છે કે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક રીતે સજા કરવી એ ગુનો છે.

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.