મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના જામનેર નગરપાલિકામાં મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા, આ કાઉન્સિલરો પણ જીત્યા

મહારાષ્ટ્રના મંત્રી ગિરીશ મહાજનના પત્ની સાધના મહાજન જામનેર નગરપાલિકાના મેયર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. મંત્રીના પત્ની સાધના મહાજન 8 કાઉન્સિલરો સાથે બિનહરીફ મેયર તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રવાદી શરદ પવાર (NCP SP) જૂથ, કોંગ્રેસ અને શિવસેના શિંદે જૂથના ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી, જેના કારણે તેમની બિનહરીફ ચૂંટણી થઈ હતી.

જામનેર નગરપાલિકા જલગાંવ જિલ્લાની પહેલી નગરપાલિકા છે, જ્યાં વિરોધ વિના મેયર ચૂંટાયા છે. જલગાંવ જિલ્લાની જામનેર નગરપાલિકા ઘણા વર્ષોથી ગિરીશ મહાજનના એકલાના નિયંત્રણમાં છે. જામનેર શહેર મંત્રી ગિરીશ મહાજનનો ગઢ છે, જ્યાંથી તેઓ 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

Sadhana-Mahajan4
facebook.com/sadhanagmahajan

તો, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)એ શનિવારે ભાજપ પર આરોપ લગાવ્યો કે, મહારાષ્ટ્રમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પરિવાર પહેલાનો મામલો બનાવી દીધો છે અને ભાજપના નેતાઓના સંબંધીઓની બિનહરીફ જીત સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમના વિરોધીઓને મેદાનમાંથી ખસી જવા મજબૂર કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા વિજય વાડેટ્ટીવારે આરોપ લગાવ્યો કે સત્તાધારી મહાયુતિ ગઠબંધન દ્વારા દબાણની રણનીતિ અને સરકારી મશીનરીના દુરુપયોગ દ્વારા લોકશાહીને કચડી નાખવામાં આવી રહી છે. તો, ભાજપે કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની NCP પર વળતો પ્રહાર કર્યો અને તેમને વંશવાદની પાર્ટીઓ ગણાવી અને આરોપોને નકારી કાઢ્યા. વાડેટ્ટીવારે આરોપ લગાવ્યો કે ભાજપના નેતાઓના સંબંધીઓ નગર પરિષદો અને નગર પંચાયતોમાં બિનહરીફ ચૂંટાયા છે, જ્યાં 2 ડિસેમ્બરે ચૂંટણી થવાની છે.

Sadhana-Mahajan2
etvbharat.com

તો રાજ્ય ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર ચવ્હાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અગાઉ રાજ્યભરમાં નગર પરિષદો અને નગર પંચાયતોમાં શાસક પક્ષના 100 કાઉન્સિલરો બિનહરીફ ચૂંટાયા હોવાનો દાવો કર્યો છે. ભાજપે કોંગ્રેસ અને NCP (શરદચંદ્ર પવાર) દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 25-01-2026 વાર - રવિવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.