સૂર્યકુમાર યાદવ નહીં, ક્રિસ ગેલે આ ખેલાડીને ગણાવ્યો દુનિયાનો નંબર-1 T20 બેટ્સમેન

વેસ્ટ ઈન્ડીઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલે ગાઝિયાબાદમાં પ્રો-ક્રિકેટ લીગની બીજી સીઝનના લોન્ચના અવસર પર દુનિયાના સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેનને લઇ એક મોટું નિવેદન આપ્યું હતું. ગેલ આ લીગમાં ભવાની ટાઇગર્સ તરફથી રમશે. શ્રેષ્ઠ T20 બેટ્સમેનને લઇને વાત કરતા, વેસ્ટ ઈન્ડીઝના અનુભવી બેટ્સમેન ક્રિસ ગેલે લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના સ્ટાર ખેલાડી નિકોલસ પૂરનની ખૂબ પ્રશંસા કરી હતી. તેણે પૂરનને વર્તમાન સમયનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન ગણાવ્યો. ગેલનું માનવું છે કે, T20 ક્રિકેટમાં આ સમયે પૂરન જેવા દમદાર અને મેચ વિનર ખેલાડી ખૂબ ઓછા છે.

Chris-Gayle
thesportsrush.com

 

ગેલે પોતાના દેશના ખેલાડી અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ના બેટ્સમેન નિકોલસ પૂરનને દુનિયાનો સર્વશ્રેષ્ઠ T20 બેટ્સમેન ગણાવતા કહ્યું કે, તે બૉલને ખૂબ જ સારી રીતે મારી રહ્યો છે. કદાચ તે 175-180 રન પણ બનાવી શકે છે. તે સારા ફોર્મમાં છે. તેને સતત રન બનાવતા જોવાનું સારું લાગે છે. વર્તમાન સીઝનમાં, પૂરન 6 મેચમાં 69.80ની એવરેજ અને 215થી વધુની સ્ટ્રાઇક રેટથી 349 રન બનાવીને ઓરેન્જ કેપ લીડરબોર્ડમાં સૌથી ઉપર છે. તેણે અત્યાર સુધી 4 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર નોટઆઉટ 87 રનનો છે. તેણે IPL 2025માં અત્યાર સુધી 26 ચોગ્ગા અને 31 છગ્ગા લગાવ્યા છે.

pooran
mid-day.com

 

ગયા વર્ષે પોતાની શરૂઆત બાદ, પૂરને 93 મેચ અને 90 ઇનિંગ્સમાં 42.58ની એવરેજ અને 162થી વધુની સ્ટ્રાઇક રેટથી 2,981 રન બનાવીને બેટિંગ ચાર્ટ પર પોતાનો દબદબો બનાવ્યો છે. તેણે એક સદી અને 22 અડધી સદી ફટકારી છે. આ દરમિયાન તેણે 218 છગ્ગા ફટકાર્યા છે, જે કોઇ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલા  સૌથી વધુ છગ્ગા છે. પૂરને આ સીઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે અને ટીમને જીત અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેણે ન માત્ર આક્રમક અંદાજમાં રન બનાવ્યા છે, પરંતુ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ સંયમ દેખાડ્યો છે. લખનૌની ટીમ પણ ઈચ્છશે કે નિકોલસ પૂરન આ લય જાળવી રાખે અને ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે.

About The Author

Related Posts

Top News

8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચની ખુબ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. કમિશન 15 જૂન સુધીમાં તેના સૂચનો...
Business 
8મા પગાર પંચની આ ફોર્મ્યુલા જો લાગુ થઇ તો....પગાર 18000થી વધીને 69000 થશે

મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

કર્ણાટક કોંગ્રેસ સરકારની મુખ્ય 'ગૃહ લક્ષ્મી' યોજના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. રાજ્યમાં મોટી ટેકનિકલ બેદરકારીને કારણે...
National 
મૃતકોના ખાતામાં રૂ. 128 કરોડ ટ્રાન્સફર થયા...કર્ણાટકની 'ગૃહ લક્ષ્મી' યોજનામાં છેતરપિંડી

'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

પોલીસ કમિશનરેટ સિસ્ટમ હેઠળ શાંતિ ભંગના આરોપસર વ્યક્તિઓને અટકાયતમાં લેવાની સત્તાના કથિત દુરુપયોગ અંગે અલ્હાબાદ હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે....
National 
'ACPના પગારમાંથી વસૂલવામાં આવે 2 લાખ રૂપિયાનું વળતર', અલ્હાબાદ હાઇકોર્ટનો ચૂકાદો

મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા

દેશના રાજકારણમમાં એક મોટા ઘટનાક્રમના સમાચાર સામે આવી રહ્યા છે. ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત બાદ...
Politics 
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો, કેટલાક મંત્રીઓની વિદાય નક્કી; મોટા ફેરબદલની શક્યતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.