ધોની આવી ટીમ પસંદ જ ન કરી શકે...' રૈના થયો CSK પર ગુસ્સે, લાઈવ શોમાં ઠપકો આપ્યો

શુક્રવારે (25 એપ્રિલ) IPL 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી, ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. હવે ફક્ત કોઈ ચમત્કાર જ તેને અંતિમ-4માં લઈ જઈ શકે છે. પ્લેઓફમાં પહોંચવા માટે ટીમે બાકીની 5 મેચ જીતવી પડશે. આ ઉપરાંત, તેમણે અન્ય ટીમોના પરિણામો પર પણ આધાર રાખવો પડશે. ચેન્નાઈના શરમજનક પ્રદર્શન પછી, ટીમ (CSK)ના ભૂતપૂર્વ ખેલાડી સુરેશ રૈના ગુસ્સામાં દેખાઈ રહ્યા છે.

સુરેશ રૈના, જે 'મિસ્ટર IPL' તરીકે જાણીતા છે. તેમણે ચેન્નાઈ સુપર કિંગ્સના ખરાબ પ્રદર્શન માટે ટીમ મેનેજમેન્ટને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે કહ્યું કે, CSKની હરાજી વ્યૂહરચનામાં મહેન્દ્ર સિંહ ધોનીની ભૂમિકા ખૂબ ઓછી હતી, જેના કારણે ટીમ આ સિઝનમાં ફોર્મ માટે સંઘર્ષ કરી રહી છે. જીતવાનું સંયોજન શોધવા માટે ઉત્સુક, CSKએ દક્ષિણ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસને ડેબ્યૂ કરવાની તક આપી. તેણે સનરાઇઝર્સ સામે વિસ્ફોટક બેટિંગ કરી. આ ઉપરાંત, સતત હાર પછી, જ્યારે યુવાન આયુષ મ્હાત્રેને તક મળી, ત્યારે તેણે તેને બંને હાથે ઝડપી લીધી. દીપક હુડા, રાહુલ ત્રિપાઠી અને સેમ કુરન જેવા અનુભવી ખેલાડીઓના નબળા પ્રદર્શનથી પરેશાન ચેન્નાઈએ પોતાના સ્વભાવથી વિપરીત યુવાનોને તક આપવાનું શરૂ કર્યું છે.

MS-Dhoni
abplive.com

એક સ્પોર્ટ્સ ચેનલ પર બોલતા, સુરેશ રૈનાએ લાઈવ શોમાં કહ્યું, 'કાશી સર, મને લાગે છે કે તેઓ લગભગ 30થી 40 વર્ષથી વહીવટ સંભાળી રહ્યા છે અને રૂપા મેડમ બધા ક્રિકેટ વહીવટનું સંચાલન જેમ કે, ખેલાડીઓ ખરીદવાનું, કોર ગ્રુપ જાળવવાનું કરી રહ્યા છે, પરંતુ બધા જાણે છે કે આ વખતે ખરીદાયેલા ખેલાડીઓ યોગ્ય રીતે પસંદ કરવામાં આવ્યા ન હતા.' કાશી વિશ્વનાથ ચેન્નાઈના CEO છે.

રૈનાએ લોકો દ્વારા બનાવી કાઢેલી માન્યતાને નકારી કાઢી કે, ધોની દરેક CSK હરાજીના નિર્ણય પાછળ મુખ્ય સૂત્રધાર છે. તેમણે કહ્યું, 'તેઓ હંમેશા કહે છે કે અંતિમ નિર્ણય MS ધોની લે છે. પરંતુ સાચું કહું તો, મેં ક્યારેય કોઈ હરાજીમાં ભાગ લીધો નથી. હું ક્યારેય તે ચર્ચાઓનો ભાગ નહોતો. મેં હંમેશા એવા ખેલાડીઓ વિશે વાત કરી હતી જેમને જાળવી રાખવામાં આવ્યા હતા. ધોનીને કોઈ ખેલાડી સાથે આગળ વધવું કે નહીં તે અંગે ફોન આવી શકે છે, પરંતુ તે તેમાં સામેલ નથી.'

MS-Dhoni1
trendbihar.com

રૈનાએ ધોનીની પ્રતિબદ્ધતા અને બીજાઓના સુસ્ત પ્રયાસો વચ્ચેના તફાવતને સ્પષ્ટ કરવામાં કોઈ કસર છોડી નહીં. તેમણે કહ્યું, 'મુખ્ય જૂથ હરાજીનું સંચાલન કરે છે, તમે કલ્પના કરી શકો છો, ધોની આવી હરાજી સંભાળી શકતો નથી. તે કદાચ ચાર કે પાંચ ખેલાડીઓના નામ આપશે જે તે ઇચ્છે છે અને તેમાંથી કેટલાકને જાળવી રાખવામાં આવશે. જો કોઈ અનકેપ્ડ ખેલાડી સખત મહેનત કરી રહ્યો હોય, તો પણ MS ધોનીને જુઓ, 43 વર્ષની ઉંમરે કેપ્ટન હોવા છતાં, તે હજી પણ પોતાનું સર્વસ્વ આપી રહ્યો છે. તે ફક્ત બ્રાન્ડ માટે, તેના નામ માટે, ચાહકો માટે રમી રહ્યો છે અને હજુ પણ પ્રયાસ કરી રહ્યો છે. 43 વર્ષની ઉંમરે, તે વિકેટકીપિંગ કરી રહ્યો છે, કેપ્ટનશીપ કરી રહ્યો છે અને આખી ટીમને પોતાના ખભા પર લઈ જઈ રહ્યો છે. પરંતુ બાકીના દસ ખેલાડીઓ શું કરી રહ્યા છે?'

સુરેશ રૈનાએ નામ લીધા વિના ચેન્નાઈના અનુભવી ખેલાડીઓને પણ ખુબ સંભળાવ્યું. તેમણે આગળ કહ્યું, 'જેમને 18 કરોડ, 17 કરોડ, 12 કરોડ રૂપિયા મળે છે, તેઓ કેપ્ટનને જવાબ આપતા નથી. ખાસ કરીને જ્યારે તમે પહેલાં ક્યારેય ચોક્કસ ટીમો સામે હાર્યા નથી, ત્યારે તેને સુધારવાની જરૂર છે. તમારે તેને ઓળખવું પડશે, શું આ ખેલાડી મેચ વિજેતા છે? શું હું આગામી મેચમાં આ ખેલાડી પર વિશ્વાસ કરી શકું? એવા ખેલાડીઓ છે જે વર્ષોથી ત્યાં રમી રહ્યા છે, મોટી ઉંમરના પણ, પરંતુ પરિણામ શું છે? તમે હારી રહ્યા છો. દર વખતે એ જ ભૂલો થઈ રહી છે.'

MS-Dhoni2
trendbihar.com

રૈનાએ એવું સૂચન કરીને નિષ્કર્ષ કાઢ્યો કે, મોટા પાયે ફેરફાર થવાનો છે કે થવાની શક્યતા છે, જેનું નેતૃત્વ ખુદ ધોની કરી શકે છે. તેમણે કહ્યું, 'મને લાગે છે કે MS ધોની હવે મિટિંગ માટે બેસી જશે. તે પોતાની આસપાસ કોઈને પણ ઈચ્છશે નહીં. તેણે પોતાનું મન બનાવી લીધું હશે. હાર પછી તે જે રીતે ચાલ્યો અને તે બંને ત્યાં ઉભા હતા, તે સ્પષ્ટ છે કે આજે એક મીટિંગ થવા જઈ રહી છે.' મેચ હાર્યા પછી ધોનીએ CEO કાશી વિશ્વનાથ સાથે લાંબા સમય સુધી વાત કરી. રૈનાએ એ જ વાતચીતનો ઉલ્લેખ કર્યો.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.