આ દેશે BCCIને આપી ઓફર, અમારા દેશમાં આવીને IPLની બાકીની મેચો કરાવો

ECB wants to Host remaining IPL 2025 makes offer to BCCI claims report

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)IPL 2025 સીઝનને અધવચ્ચે જ સ્થગિત કરી દીધી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત બગડી રહેલી સ્થિતિ બાદ BCCIએ શુક્રવાર 9 મેના રોજ આ નિર્ણય લીધો. ત્યારબાદથી જ, ચર્ચા થઈ રહી છે કે, શું ટૂર્નામેન્ટ ફરી શરૂ થશે? જો શરૂ થાય પણ છે, તે ક્યારે અને ક્યાં તેનું આયોજન કરવામાં આવશે? આ અંગે સતત વાતો ચાલી રહી છે અને એવા સમયે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટના બાકી બચેલા હિસ્સાના આયોજનને લઈને BCCIનો સંપર્ક કર્યો છે. જો કે હાલમાં તો બંને દેશે સીઝફાયરની જાહેરાત કરી છે તો મેચ રમાશે કે નહીં તે અંગે કોઈ માહિતી સામે નથી આવી પરંતુ આ પહેલા ઈંગ્લેન્ડે ભારતને ઓફર આપી દીધી છે કે તમે અમારા દેશમાં આવીને મેચ કરાવી શકો છો.

IPL1
BCCI

ભારત અને પાકિસ્તાન વચ્ચે 6-7 મેની રાતથી નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમારેખા પર સતત ગતિરોધ ચાલી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા, ધર્મશાળામાં 8 મેના રોજ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાનારી મેચ અધવચ્ચે જ રદ કરી દેવામાં આવી હતી. તેના એક દિવસ બાદ, શુક્રવાર, 9 મેના રોજ BCCIએ તાત્કાલિક અસરથી ટૂર્નામેન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો. BCCIના અધ્યક્ષ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે, ટૂર્નામેન્ટ હાલમાં માત્ર એક અઠવાડિયા માટે સ્થગિત કરવામાં આવ્યું છે.

ભારતીય બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્ર સરકારના દિશા-નિર્દેશોના આધાર પર જ ટૂર્નામેન્ટને લઈને આગળનો કોઈ નિર્ણય લેવામાં આવશે. એવા સમયમાં, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના દેશમાં ટૂર્નામેન્ટની બાકીની મેચો આયોજિત કરવાનો પ્રસ્તાવ BCCI સામે રાખ્યો છે. ઈંગ્લેન્ડના મેગેઝિન 'ધ ક્રિકેટર' મુજબ, ઇંગ્લિશ ક્રિકેટ બોર્ડે BCCI સામે પ્રસ્તાવ રાખ્યો છે કે IPL 2025ની બાકી બચેલી 16 મેચો તેમના દેશમાં આયોજિત કરી શકાય છે. જોકે, હાલમાં ભારતીય બોર્ડ દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

IPL2
BCCI

માત્ર ECB જ નહીં, શુક્રવારે જ, ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને પણ આ જ પ્રકારની પોસ્ટ પોસ્ટ કરી હતી અને સૂચન આપ્યું હતું કે IPLના બાકી બચેલા હિસ્સાને ઇંગ્લેન્ડમાં પૂર્ણ કરી શકાય છે. જોકે, આ પહેલી વખત નથી જ્યારે ઈંગ્લિશ બોર્ડે BCCIને આ પ્રકારનો પ્રસ્તાવ આપ્યો છે. વર્ષ 2021માં જ્યારે કોરોનાવાયરસને કારણે IPL સીઝન અધવચ્ચે જ રોકવી પડી હતી, ત્યારે પણ ECBBCCIને આ પ્રસ્તાવ આપ્યો હતો કે તે બાકી બચેલી મેચોનું આયોજન પોતાના દેશમાં કરવા તૈયાર છે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.