KKR સામે મળેલી હાર બાદ ગુસ્સે થયો કોહલી, બોલ્યો-ઈમાનદારીથી વાત કરું તો અમે...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન-16માં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 21 રને હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટેન્ડ ઇન કેપ્ટન પૂરી રીતે નારાજ નજરે પડ્યો. વિરાટ કોહલીએ માન્યુ કે, રોયલ ચેલેજર્સ બેંગ્લોરની ભૂલોએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીત ભેટમાં આપી દીધી કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જીત માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સીમિત 20 ઓવરમાં 201 રનનું લક્ષ્ય મળ્યું હતું, પરંતુ આ મેચમાં સ્પિનર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિવશ નજરે પડ્યા.

વિરાટ કોહલીની શાનદાર અડધી સદી છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 179 રન જ બનાવી શકી. વિરાટ કોહકલીએ માન્યું કે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારવાનું ડિઝર્વ કરતી હતી. તેણે કહ્યું કે, ઈમાનદારીથી વાત કરું તો અમે જ તેને જીતાડી દીધી. અમે હારવાનું ડિઝર્વ કરતા હતા. અમે તેમને જીત ભેટમાં આપી દીધી. અમારી ક્ષમતા મુજબ અમે રમી ન શક્યા. તેણે આગળ કહ્યું કે, અમને જે ચાંસ મળ્યા અમે તેને પકડી ન શક્યા. અમે કેચ પણ છોડ્યા અને તેના કારણે કોલકાતા નાઈટ રાઇડર્સે 20-25 રન વધારે બનાવવામાં સફળ રહી.

અમે શરૂઆત સારી કરી હતી. અમે ખરાબ બૉલ પર વિકેટ ગુમાવી દીધી. વિરાટ કોહલીએ કહ્યું કે, તમને ખબર હોય છે કે સ્કોરબોર્ડ પર તમારી સામે શું છે અને તેને કેવી રીતે હાંસલ કરવાનું છે. આ લક્ષ્યનો પીછો કરતા અમે વિકેટ ગુમાવી રહ્યા હતા, પરંતુ અમને બસ એક પાર્ટનરશિપની જરૂરિયાત હતી. જો એક પાર્ટનરશિપ મળી જતી તો અમે મેચ પોતાના નામે કરી શકવામાં સફળ રહેતા. અમારે આરામથી રમવાનું છોડવું પડશે. હોમ ગ્રાઉન્ડ પર રમવા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજા મેદાનો પર 5 મેચ રમી છે.

જો કે, લીગના અંતિમ રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વધારે મેચ રમશે. વિરાટ કોહલીએ કહ્યું કે, અમે એક મેચ જીતી અને એક મેચ ગુમાવી છે. અમારે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. અમારે બહાર પણ જીતવાની જરૂરિયાત છે. અમે ટૂર્નામેન્ટમાં સારી સ્થિતિમાં ઊભા છીએ. ઉલ્લેખનીય છે કે IPL સીઝન-16માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 મેચ રમી છે. જેમાં તેને 4 મેચમાં જીત મળી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોર પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબર પર છે.

About The Author

Related Posts

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.