KKR સામે મળેલી હાર બાદ ગુસ્સે થયો કોહલી, બોલ્યો-ઈમાનદારીથી વાત કરું તો અમે...

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન-16માં બુધવારે રાત્રે રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 21 રને હારનો સામનો કરવો પડ્યો. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સ્ટેન્ડ ઇન કેપ્ટન પૂરી રીતે નારાજ નજરે પડ્યો. વિરાટ કોહલીએ માન્યુ કે, રોયલ ચેલેજર્સ બેંગ્લોરની ભૂલોએ કોલકાતા નાઈટ રાઈડર્સને જીત ભેટમાં આપી દીધી કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ જીત માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સીમિત 20 ઓવરમાં 201 રનનું લક્ષ્ય મળ્યું હતું, પરંતુ આ મેચમાં સ્પિનર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બેટ્સમેન વિવશ નજરે પડ્યા.

વિરાટ કોહલીની શાનદાર અડધી સદી છતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 179 રન જ બનાવી શકી. વિરાટ કોહકલીએ માન્યું કે કોલકાતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારવાનું ડિઝર્વ કરતી હતી. તેણે કહ્યું કે, ઈમાનદારીથી વાત કરું તો અમે જ તેને જીતાડી દીધી. અમે હારવાનું ડિઝર્વ કરતા હતા. અમે તેમને જીત ભેટમાં આપી દીધી. અમારી ક્ષમતા મુજબ અમે રમી ન શક્યા. તેણે આગળ કહ્યું કે, અમને જે ચાંસ મળ્યા અમે તેને પકડી ન શક્યા. અમે કેચ પણ છોડ્યા અને તેના કારણે કોલકાતા નાઈટ રાઇડર્સે 20-25 રન વધારે બનાવવામાં સફળ રહી.

અમે શરૂઆત સારી કરી હતી. અમે ખરાબ બૉલ પર વિકેટ ગુમાવી દીધી. વિરાટ કોહલીએ કહ્યું કે, તમને ખબર હોય છે કે સ્કોરબોર્ડ પર તમારી સામે શું છે અને તેને કેવી રીતે હાંસલ કરવાનું છે. આ લક્ષ્યનો પીછો કરતા અમે વિકેટ ગુમાવી રહ્યા હતા, પરંતુ અમને બસ એક પાર્ટનરશિપની જરૂરિયાત હતી. જો એક પાર્ટનરશિપ મળી જતી તો અમે મેચ પોતાના નામે કરી શકવામાં સફળ રહેતા. અમારે આરામથી રમવાનું છોડવું પડશે. હોમ ગ્રાઉન્ડ પર રમવા પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે બીજા મેદાનો પર 5 મેચ રમી છે.

જો કે, લીગના અંતિમ રાઉન્ડમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વધારે મેચ રમશે. વિરાટ કોહલીએ કહ્યું કે, અમે એક મેચ જીતી અને એક મેચ ગુમાવી છે. અમારે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી. અમારે બહાર પણ જીતવાની જરૂરિયાત છે. અમે ટૂર્નામેન્ટમાં સારી સ્થિતિમાં ઊભા છીએ. ઉલ્લેખનીય છે કે IPL સીઝન-16માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 8 મેચ રમી છે. જેમાં તેને 4 મેચમાં જીત મળી છે અને 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોર પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા નંબર પર છે.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.