કેએલ રાહુલે ટ્રોલિંગ પર તોડ્યું મૌન, કહ્યું- નફરત અને અનાદર મને...

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ છેલ્લાં ઘણા સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. આ કારણે તેને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર થયેલા ટ્રોલિંગ વિશે હવે કેએલ રાહુલે ખુલીને પોતાની વાત રજૂ કરી છે. રાહુલે એક શો દરમિયાન એ વાતનો ખુલાસો કર્યો કે, શું સોશિયલ મીડિયા પર થનારી ટ્રોલિંગથી તે ચિંતિત થાય છે કે નહીં.

ભારતમાં એક ક્રિકેટર હોવાના નાતે નિશ્ચિતરૂપે જ ઉતાર-ચડાવ જોવા મળે છે અને કેએલ રાહુલ આ અંગે ખૂબ જ સારી રીતે જાણે છે. જમણા હાથના આ બેટ્સમેને છેલ્લાં કેટલાક વર્ષોમાં ટીમ ઇન્ડિયા અને IPLમાં સફળતાનો સ્વાદ ચાખ્યો છે પરંતુ, સતત ટીકાઓનો સામનો પણ કર્યો છે. 32 વર્ષનો સ્ટાઇલિશ બેટ્સમેન જ્યારે પણ પોતાની ગેમથી તેમની આશાઓ પર ખરો નથી ઉતરતો ત્યારે તેણે ફેન્સની ટીકાઓનો સામનો કરવો પડે છે.

સોશિયલ મીડિયા પર એક્ટિવ હોવા છતા કેએલ રાહુલે ક્યારેય પણ કોઈ ટ્રોલનો જવાબ નથી આપ્યો કે પછી ક્યારેય પણ ઓનલાઇન ચર્ચામાં તે સામેલ નથી થયો. પરંતુ, પહેલીવાર રાહુલે સોશિયલ મીડિયા પર થનારા ટ્રોલિંગને લઇને પોતાની વાત રજૂ કરી છે. રણવીર ઇલાહબાદિયાના શો ધ રણવીર શો માં કેએલ રાહુલે ક્રિકેટ અને તેની બહારના મુદ્દાઓ પર વાત કરી. જે ટોપિક પર રાહુલે વાત કરી, તેમાંથી એક સોશિયલ મીડિયા પર થનારા સતત ટ્રોલિંગ વિશે હતું. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટને એ વાતનો સ્વીકાર કર્યો કે નફરત અને અનાદર તેને પ્રભાવિત કરે છે પરંતુ, ફેન્સ તરફથી મળનારા પ્રેમ માટે તે તેમનો આભારી પણ છે.

કેએલ રાહુલે આગળ કહ્યું કે, મને ખબર છે કે છેલ્લાં કેટલાક મહિના મારા માટે મેદાન પર એટલા સારા નથી રહ્યા. મને લોકો તરફથી જે પ્રકારનું સમર્થન અને પ્રેમ મળી રહ્યો છે, તેના પરથી જાણકારી મળે છે કે હું ના માત્ર એક ક્રિકેટરના રૂપમાં પરંતુ એક સારા વ્યક્તિના રૂપમાં પણ કંઈક સારું મેળવામાં સફળ રહ્યો છું. આ કંઈક એવુ છે, જે મારા દિલની નજીક રહેશે. આ વાતો એ વાતની પુષ્ટિ કરે છે કે, લોકો પર તમારો સારો પ્રભાવ પડ્યો છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.