તિલક-ઋતુરાજને તક, પંત-જાડેજાની વાપસી.. આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ સિલેક્શનની મોટી વાતો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી શરૂ થનારી 3 મેચની વન-ડે સીરિઝ માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કેએલ રાહુલને 15 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલ ગળાની ઈજાને કારણે સીરિઝમાંથી બહાર છે, એવામાં રાહુલ ટીમનો હવાલો સંભાળશે. ચાલો જાણીએ આ સિલેક્શનની કેટલીક મહત્ત્વની વાતો.

તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડને તક

તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડ લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં પાછા ફર્યા છે. ઋતુરાજે તાજેતરમાં ઈન્ડિયા-A માટે ઘણી પ્રભાવશાળી ઇનિંગ્સ રમી હતી, જેના કારણે માનવમાં આવી રહ્યું છે કે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે. તો તિલક વર્મા પર એશિયા કપ ફાઇનલ બાદથી મેનેજમેન્ટે સતત વિશ્વાસ રાખ્યો છે. તો ગિલ અને શ્રેયસ ઐયરને ઈજા થયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ગાયકવાડ અને તિલક વર્મામાંથી કોઈ એકને તક આપવામાં આવશે, પરંતુ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ruturaj
indiatoday.in

પંત-જાડેજાની વાપસી

ઋષભ પંતે બ્લૂ જર્સીમાં વાપસી કરી છે. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જોકે, તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં પાછો ફર્યો અને પોતાની ફિટનેસ સાબિત કરી. એવામાં હવે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજાની વન-ડે પસંદગી એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ગયા મહિને ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ નહોતો. તે સમયે એવું માનવામાં આવ્યું હતું કે તે હવે કોચ ગંભીરની યોજનાઓનો ભાગ નથી. જાડેજાએ વન-ડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે. ધ્રુવ જુરેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જસપ્રીત બૂમરાહને વન-ડે સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે જેથી તે T20 સીરિઝ અગાઉ આરામ કરી શકે. હકીકતમાં, બૂમરાહ છેલ્લા કેટલાક સમયથી સતત મેચ રમી રહ્યો છે, જેના કારણે તેના વર્કલોડ અંગે ચિંતાઓ વધી રહી છે. T20 વર્લ્ડ કપ આગામી વર્ષે થવાનો છે. આની તૈયારી માટે બૂમરાહને વન-ડે માંથી આરામ આપવામાં આવ્યો છે. પ્રસિદ કૃષ્ણા અને અર્શદીપ સિંહને ફાસ્ટ બોલિંગ લાઇનઅપમાં સામેલ કરવામાં આવ્યા છે. હર્ષિત રાણા પણ ટીમમાં છે, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

rahul
x.com/BCCI

ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે સીરિઝનું શેડ્યુલ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે.  બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમશે. ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી 5 મેચની T20 સીરિઝ પણ રમાવાની, જેના માટે ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરિઝ માટે ભારતની ટીમ:

રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કે.એલ. રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રુતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.