તિલક-ઋતુરાજને તક, પંત-જાડેજાની વાપસી.. આફ્રિકા વિરુદ્ધ ભારતીય ટીમ સિલેક્શનની મોટી વાતો

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી શરૂ થનારી 3 મેચની વન-ડે સીરિઝ માટે રવિવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. કેએલ રાહુલને 15 સભ્યોની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શુભમન ગિલ ગળાની ઈજાને કારણે સીરિઝમાંથી બહાર છે, એવામાં રાહુલ ટીમનો હવાલો સંભાળશે. ચાલો જાણીએ આ સિલેક્શનની કેટલીક મહત્ત્વની વાતો.

તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડને તક

તિલક વર્મા અને ઋતુરાજ ગાયકવાડ લાંબા સમય બાદ વન-ડે ક્રિકેટમાં પાછા ફર્યા છે. ઋતુરાજે તાજેતરમાં ઈન્ડિયા-A માટે ઘણી પ્રભાવશાળી ઇનિંગ્સ રમી હતી, જેના કારણે માનવમાં આવી રહ્યું છે કે તેને ટીમમાં સામેલ કરવામાં આવશે. તો તિલક વર્મા પર એશિયા કપ ફાઇનલ બાદથી મેનેજમેન્ટે સતત વિશ્વાસ રાખ્યો છે. તો ગિલ અને શ્રેયસ ઐયરને ઈજા થયા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે ગાયકવાડ અને તિલક વર્મામાંથી કોઈ એકને તક આપવામાં આવશે, પરંતુ બંનેને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ruturaj
indiatoday.in

પંત-જાડેજાની વાપસી

ઋષભ પંતે બ્લૂ જર્સીમાં વાપસી કરી છે. તેને ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઈજા થઈ હતી, જેના કારણે તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જોકે, તે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરિઝમાં પાછો ફર્યો અને પોતાની ફિટનેસ સાબિત કરી. એવામાં હવે તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

રવિન્દ્ર જાડેજાની વન-ડે પસંદગી એટલે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે તે ગયા મહિને ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો ભાગ નહોતો. તે સમયે એવું માનવામાં આવ્યું હતું કે તે હવે કોચ ગંભીરની યોજનાઓનો ભાગ નથી. જાડેજાએ વન-ડે વર્લ્ડ કપમાં રમવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી, પરંતુ હવે તે ટીમમાં પાછો ફર્યો છે. ધ્રુવ જુરેલને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

જસપ્રીત બૂમરાહને વન-ડે સીરિઝ માટે આરામ આપવામાં આવ્યો છે જેથી તે T20 સીરિઝ અગાઉ આરામ કરી શકે. હકીકતમાં, બૂમરાહ છેલ્લા કેટલાક સમયથી સતત મેચ રમી રહ્યો છે, જેના કારણે તેના વર્કલોડ અંગે ચિંતાઓ વધી રહી છે. T20 વર્લ્ડ કપ આગામી વર્ષે થવાનો છે. આની તૈયારી માટે બૂમરાહને વન-ડે માંથી આરામ આપવામાં આવ્યો છે. પ્રસિદ કૃષ્ણા અને અર્શદીપ સિંહને ફાસ્ટ બોલિંગ લાઇનઅપમાં સામેલ કરવામાં આવ્યા છે. હર્ષિત રાણા પણ ટીમમાં છે, જ્યારે નીતિશ કુમાર રેડ્ડીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.

rahul
x.com/BCCI

ભારત-દક્ષિણ આફ્રિકા વન-ડે સીરિઝનું શેડ્યુલ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે વન-ડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરે રાંચીમાં રમાશે.  બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમશે. ત્રીજી મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બંને દેશો વચ્ચે 9 ડિસેમ્બરથી 5 મેચની T20 સીરિઝ પણ રમાવાની, જેના માટે ભારતીય ટીમની જાહેરાત પછીથી કરવામાં આવશે.

દક્ષિણ આફ્રિકા સામે વન-ડે સીરિઝ માટે ભારતની ટીમ:

રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, કે.એલ. રાહુલ (કેપ્ટન/વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, રુતુરાજ ગાયકવાડ, પ્રસિદ્ધ કૃષ્ણા, અર્શદીપ સિંહ, ધ્રુવ જુરેલ.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.