કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં દિલ્હીની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ હારી ગઈ. કોલકાતાએ તેને 14 રનથી હરાવી દીધી. આ મેચ બાદ, મંગળવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ક્લિપ વાયરલ થઈ. જ્યાં મેચ સમાપ્ત થયા બાદ થોડી ક્ષણમાં જ, દિલ્હી કેપિટલ્સનો સ્પિનર ​​કુલદીપ યાદવ લાઇવ ટીવી પર KKRના બેટ્સમેન રિંકુ સિંહને 2 વખત લાફા મારતો જોવા મળ્યા.

આ ઘટના ત્યારે થઈ જ્યારે દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડીઓ મેચ બાદ પોસ્ટ પ્રેઝન્ટેશન માટે ઉભા થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ક્લિપમાં, કુલદીપ, રિંકુ અને કેટલાક અન્ય ખેલાડીઓ મેચ બાદ હસતા નજરે પડી રહ્યા છે. પરંતુ પછી અચાનક લેગ સ્પિનર ​​કુલદીપે રિંકુને લાફો મારી દીધો, એક ક્ષણ માટે એવું લાગ્યું કે આ બધુ મજાકમાં થયું હશે. પરંતુ તે રિંકુને સારું ન લાગ્યું, આ જોઈને તે હેરાન લાગ્યો. ત્યારબાદ કુલદીપે ફરી તેને લાફો માર્યો. પરંતુ આ વખતે રિંકુ ગુસ્સામાં દેખાયો.

જો કે ક્લિપમાં કોઈ ઓડિયો નથી, એટલે કુલદીપની હરકત પાછળનો સંદર્ભ જાણી શકાયો નથી. ન તો કોમેન્ટેટરોએ મેચ બાદ પોતાના વિશ્લેષણ દરમિયાન પણ આ ઘટના બાબતે કંઈ કહ્યું. પરંતુ સોશિયલ મીડિયા પર ફેન્સ કુલદીપથી નારાજ દેખાયા. તેમણે તેને કુલદીપનો સૌથી ખરાબ વ્યવહાર ગણાવ્યો, જ્યારે કેટલાકે તો BCCIને કુલદીપને બેન કરવાની  માગ પણ કરી નાખી.

યાદ આવ્યો શ્રીસંત-ભજજીનો થપ્પડકાંડ

વર્ષ 2008ની IPLમાં શ્રીસંત અને હરભજન સિંહ વચ્ચે થપ્પડકાંડ એક ચર્ચિત ઘટના હતી. ત્યારે હરભજન સિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો, ત્યારબાદ હરભજન સિંહને આખી સિઝન માટે બેન કરી દીધા હતા. એ સીઝનમાં હરભજન સિંહ મુંબઈ ઇન્ડિયન્સ માટે અને શ્રીસંત કિંગ્સ ઇલેવન પંજાબ (હવે પંજાબ કિંગ્સ) માટે રમતા હતા. એ મેચ દરમિયાન આ બંને મેદાન પર બહેસ થઈ ગઈ, જે બાદમાં લાફા સુધી પહોંચી ગઈ. હરભજન સિંહે શ્રીસંતને લાફો મારી દીધો હતો, આ ઘટનાને કેમેરામાં કેદ કરી લેવામાં આવી હતી.

kuldeep
x.com/dharma_watch

દિલ્હી અને કોલકાતા વચ્ચેની મેચમાં શું થયું?

જ્યારે અક્ષર પટેલની આગેવાનીવાળી દિલ્હી કેપિટલ્સે દિલ્હીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેજબાની કરી હતી, ત્યારે તેઓ પ્લેઓફમાં પોતાની જગ્યા પક્કી કરવાથી માત્ર 2 જીત દૂર હતા. પહેલા બેંગ્લોર અને હવે કોલકાતા સામે સતત 2 મેચ રમ્યા બાદ, દિલ્હી પોઈન્ટ ટેબલમાં બીજા નંબરથી સરકીને ચોથા નંબરે સરકી ગઈ છે. આ મેચમાં કોલકાતાએ 9 વિકેટ ગુમાવીને 204 રન બનાવવામાં સફળ રહી હતી. તો રનચેઝ કરતા, દિલ્હીએ 7 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 62 રન બનાવી લીધા હતા. ફાફ ડુ પ્લેસિસ (62) અને અક્ષર પટેલ (43)એ ચોથી વિકેટ માટે 76 રનની પાર્ટનરશિપ કાઈને ટીમને જીતની રેસમાં બનાવી રાખી. ત્યારબાદ સુનિલે (3/29) મહત્ત્વપૂર્ણ સમયે 3 મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને દિલ્હીની ઇનિંગને ટ્રેક પરથી ઉતારી દીધી, જેના કારણે મેજબાન ટીમ સીમિત 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન જ બનાવી શકી અને અરુણ જેટલી સ્ટેડિયમમાં 4 ઘરેલુ મેચોમાં ત્રીજી હારનો સામનો કરવો પડ્યો.

Related Posts

Top News

એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ

અલ્કાટેલ ભારતીય બજારમાં પાછું ફર્યું છે અને ત્રણ નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. ત્રણેય ફોન અલ્કાટેલ V3 શ્રેણીનો ભાગ છે...
Tech and Auto 
એક ક્લિકમાં બદલાઈ જતી સ્ક્રીન સાથે અલ્કાટેલ V3 સ્માર્ટફોનની સીરિઝ થઇ લોન્ચ

UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે

અમેરિકાએ તાજેતરમાં જ ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે અને હવે UKએ પણ ઇમિગ્રેશન નિમયો બદલ્યા છે જેને કારણે ગુજરાતીમાં...
Education 
UK ભણવા જવાનું વિચારો છો તો આ સમાચાર તમારા કામના છે

હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

ભારતથી એક દિવસ અગાઉ આઝાદી મેળવનાર પાકિસ્તાનની હાલત એવી છે કે તે મોટા ભાગે પોતાના મિત્ર રાષ્ટ્રો સામે ભીખનો કટોરો...
World 
હવે આપણા મિત્ર દેશ પણ નથી ઇચ્છતા કે પાકિસ્તાન ભીખનો કટોરો લઈને આવે..’ શાહબાજનું મોટું કબૂલનામું

શું આમીરની છેલ્લી ફિલ્મ 'મહાભારત' હશે? કહ્યું- આ પછી બીજો કોઈ પ્રોજેક્ટ બનાવી શકશે નહીં

સુપરસ્ટાર આમિર ખાન લાંબા સમય પછી મોટા પડદા પર પાછા ફરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ 'સિતારે જમીન પર...
Entertainment 
શું આમીરની છેલ્લી ફિલ્મ 'મહાભારત' હશે? કહ્યું- આ પછી બીજો કોઈ પ્રોજેક્ટ બનાવી શકશે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.