'RCBનું આ વખતે IPL જીતવાનું અસંભવ છે', પૂર્વ કેપ્ટને આપ્યું ચોંકાવનારું કારણ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આ વખત પણ ટ્રોફી નહીં જીતી શકે. માઇકલ વૉને તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ ખૂબ સાધારણ છે અને આ પ્રકારની બોલિંગ લાઇનઅપ સાથે એ ટ્રોફી નહીં જીતી શકે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી.

કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક તરફી 7 વિકેટથી હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બોર્ડ પર લગાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી. જવાબમાં કોલકાતા નાઈટ રાઇડર્સે આ તરફથી આ ટારગેટ 16.5 ઓવરમાં જ માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કોલકાતા માટે સુનિલ નરીન અને વેંકટેશ ઐય્યરે ખૂબ શાનદાર બેટિંગ કરી.

સુનિલ નરીન અને ફિલ સાલ્ટની ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં જ 85 રન બનાવી દીધા હતા અને અહીથી ટીમની જીત સુનિશ્ચિત થઈ ગઈ હતી. સુનિલ નરીને 22 બૉલમાં 2 ફોર અને 5 સિક્સની મદદથી 47 અને ફિલ સાલ્ટે 20 બૉલમાં 30 રન બનાવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ આ મેચમાં ખૂબ ખરાબ રહી. અલ્જારી જોસેફ, મોહમ્મદ સિરાજ અને યશ દયાળ જેવા બોલર જરાય પ્રભાવ ન છોડી શક્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર બાદ માઇકલ વૉને ટ્વીટ કરીને ટીમ પર સવાલ ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે, 'આ બોલિંગ એટેક સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટાઇટલ જીતવું અસંભવ છે. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો અને કોલકાતા નાઈટ રાઇડર્સે સતત બીજી જીત હાંસલ કરી. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મુશ્કેલી વધી ગઈ છે. હવે તેની સામે કમબેક કરવાનો પડકાર છે.

About The Author

Related Posts

Top News

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે....
Charcha Patra 
NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે

17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે શનિવારે (14 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લદ્દાખી સોશિયલ વર્કર સોનમ વાંગચુક...
National 
17 તારીખે સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પહેલા જ સરકારે સોનમ વાંગચુક પરથી NSA કેમ હટાવ્યો?

કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

આપણું ગુજરાત એક આગવી ઓળખ ધરાવનારું રાજ્ય ભારત અને વિશ્વભરમાં હંમેશા ગૌરવરૂપી ચર્ચામાં રહ્યું છે. ગુજરાતમાં સ્થીર સરકાર છે અને...
Opinion 
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે

એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં 1 નવેમ્બર 1949ના રોજ લેવા પાટીદાર પરિવારમાં જન્મેલા ગોવિંદભાઈ લાલજીભાઈ ધોળકિયા જેમને...
Opinion 
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.