'RCBનું આ વખતે IPL જીતવાનું અસંભવ છે', પૂર્વ કેપ્ટને આપ્યું ચોંકાવનારું કારણ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને લઈને ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વૉને મોટી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આ વખત પણ ટ્રોફી નહીં જીતી શકે. માઇકલ વૉને તેની પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ ખૂબ સાધારણ છે અને આ પ્રકારની બોલિંગ લાઇનઅપ સાથે એ ટ્રોફી નહીં જીતી શકે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 10મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે રમાઈ હતી.

કોલકાતા નાઈટ રાઇડર્સે ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને એક તરફી 7 વિકેટથી હરાવી દીધી હતી. પહેલા બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સીમિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 182 રન બોર્ડ પર લગાવ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી. જવાબમાં કોલકાતા નાઈટ રાઇડર્સે આ તરફથી આ ટારગેટ 16.5 ઓવરમાં જ માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. કોલકાતા માટે સુનિલ નરીન અને વેંકટેશ ઐય્યરે ખૂબ શાનદાર બેટિંગ કરી.

સુનિલ નરીન અને ફિલ સાલ્ટની ઓપનિંગ જોડીએ પાવરપ્લેમાં જ 85 રન બનાવી દીધા હતા અને અહીથી ટીમની જીત સુનિશ્ચિત થઈ ગઈ હતી. સુનિલ નરીને 22 બૉલમાં 2 ફોર અને 5 સિક્સની મદદથી 47 અને ફિલ સાલ્ટે 20 બૉલમાં 30 રન બનાવ્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલિંગ આ મેચમાં ખૂબ ખરાબ રહી. અલ્જારી જોસેફ, મોહમ્મદ સિરાજ અને યશ દયાળ જેવા બોલર જરાય પ્રભાવ ન છોડી શક્યા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર બાદ માઇકલ વૉને ટ્વીટ કરીને ટીમ પર સવાલ ઉઠાવ્યા.

તેમણે કહ્યું કે, 'આ બોલિંગ એટેક સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું IPL ટાઇટલ જીતવું અસંભવ છે. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર હારનો સામનો કરવો પડ્યો અને કોલકાતા નાઈટ રાઇડર્સે સતત બીજી જીત હાંસલ કરી. આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મુશ્કેલી વધી ગઈ છે. હવે તેની સામે કમબેક કરવાનો પડકાર છે.

About The Author

Related Posts

Top News

'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ સમશેરપુરા ખાતે આગામી 25 જાન્યુઆરીના રોજ રબારી સમાજનું એક વિશાળ મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલન...
Gujarat 
'બેબી શાવર બંધ, દાંડિયારાસ, DJ બંધ...' રબારી સમાજે વિવિધ 11 મુદ્દાઓ પર ઘડ્યું બંધારણ

‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

માતૃત્વની વેદના અને વિરહના આંસુ સાથે રેહાનાએ પાકિસ્તાનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આજીજી કરી રહી છે કે ભારત આવવામાં તેની મદદ...
Gujarat 
‘મારા બાળકોનો શું વાંક?’ પાકિસ્તાની મહિલા રેહાનાએ PM મોદીને કરી આજીજી

એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

બિહારના કિશનગંજ જિલ્લામાં એન્જિનિયરો નદી કે નાળાને બદલે ખેતરમાં પુલ બનાવીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જ્યા એક તરફ જનતા પુલ...
National 
એન્જિનિયરોએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું! નદી પર નહીં ખેતરોની વચ્ચોવચ પુલ ઊભો કરી દીધો

અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો...
National 
અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.