‘રાંચી જઈશ, બાઇક ચાલવીશ, 4-5 મહિના બાદ..’, સંન્યાસ પર ધોનીની ગોળ-ગોળ વાત

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને અંતિમ મેચમાં હરાવીને સીઝનને વિદાય આપી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ સીમિત 20 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ માત્ર 147 જ રન બનાવી શકી અને આ મેચ હારી ગઈ. આખી IPLમાં બધાની નજર ધોની પર હતી કે તે સંન્યાસ લેશે કે નહીં. આ મેચ બાદ પણ ધોનીએ કંઈ કહ્યું નથી. તે અત્યારે સંન્યાસ લઈ રહ્યો નથી.

dhoni
BCCI

ધોનીએ મેચ બાદ કહ્યું કે, ‘હું એમ નહીં કહું કે આજે હાઉસફુલ હતું. અમારી સીઝન સારી રહી નથી, આ એ શાનદાર પ્રદર્શનમાંથી એક હતું. અમે ટૂર્નામેન્ટમાં વધારે કેચ કર્યા નથી, પરંતુ આજે કેચિંગ સારી હતી. મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, કોઈ ઉતાવળ નથી. શરીરને ફિટ રાખવાની જરૂરિયાત છે. તમારે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. જો ક્રિકેટરો પોતાના પ્રદર્શન માટે સંન્યાસ લેવા લાગે છે, તો તેમાંથી ઘણા 22 વર્ષની ઉંમરે રિટાયર થઈ જશે.

dhoni
BCCI

ધોનીએ આગળ કહ્યું કે, ‘હું રાંચી પાછો જઈશ, થોડી બાઇક રાઇડનો આનંદ લઇશ. હું એમ કહી રહ્યો નથી કે મારું કામ પૂરું થઈ ગયું છે, એમ પણ નથી કહેતો કે હું પાછો આવી રહ્યો છું. મારી પાસે ઘણો સમય છે. તેની બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ. જ્યારે અમે સીઝનની શરૂઆત કરી હતી, ત્યારે 4 મેચ ચેન્નાઈમાં હતી. કેટલીક ખામીઓ ભરવી પડશે. રુતુરાજે આગામી સીઝનમાં વધારે વસ્તુઓ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તે એ ભૂમિકામાંથી એકમાં ફિટ થશે.

મેચની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સના ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન શુભમન ગિલ 13 રન બનાવીને આઉટ થનારો પહેલો ખેલાડી રહ્યો. ત્યારબાદ, સતત વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. ટીમે પાવર પ્લેમાં 35 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન 10મી ઓવર સુધી ટકી રહ્યો અને આઉટ થનારો પાંચમો ખેલાડી રહ્યો. તેણે અને શાહરૂખ ખાન (19 રન)એ 5મી વિકેટ માટે 34 બૉલમાં 55 રન જોડ્યા. આ સિવાય, ટીમ માટે કોઈ મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ ન બની અને તેઓ મેચ હારી ગયા.

About The Author

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.