‘રાંચી જઈશ, બાઇક ચાલવીશ, 4-5 મહિના બાદ..’, સંન્યાસ પર ધોનીની ગોળ-ગોળ વાત

મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી હેઠળ, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ ગુજરાત ટાઈટન્સ (GT)ને અંતિમ મેચમાં હરાવીને સીઝનને વિદાય આપી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ સીમિત 20 ઓવરમાં 230 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા ગુજરાતની ટીમ માત્ર 147 જ રન બનાવી શકી અને આ મેચ હારી ગઈ. આખી IPLમાં બધાની નજર ધોની પર હતી કે તે સંન્યાસ લેશે કે નહીં. આ મેચ બાદ પણ ધોનીએ કંઈ કહ્યું નથી. તે અત્યારે સંન્યાસ લઈ રહ્યો નથી.

dhoni
BCCI

ધોનીએ મેચ બાદ કહ્યું કે, ‘હું એમ નહીં કહું કે આજે હાઉસફુલ હતું. અમારી સીઝન સારી રહી નથી, આ એ શાનદાર પ્રદર્શનમાંથી એક હતું. અમે ટૂર્નામેન્ટમાં વધારે કેચ કર્યા નથી, પરંતુ આજે કેચિંગ સારી હતી. મારી પાસે નિર્ણય લેવા માટે 4-5 મહિના છે, કોઈ ઉતાવળ નથી. શરીરને ફિટ રાખવાની જરૂરિયાત છે. તમારે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડશે. જો ક્રિકેટરો પોતાના પ્રદર્શન માટે સંન્યાસ લેવા લાગે છે, તો તેમાંથી ઘણા 22 વર્ષની ઉંમરે રિટાયર થઈ જશે.

dhoni
BCCI

ધોનીએ આગળ કહ્યું કે, ‘હું રાંચી પાછો જઈશ, થોડી બાઇક રાઇડનો આનંદ લઇશ. હું એમ કહી રહ્યો નથી કે મારું કામ પૂરું થઈ ગયું છે, એમ પણ નથી કહેતો કે હું પાછો આવી રહ્યો છું. મારી પાસે ઘણો સમય છે. તેની બાબતે વિચારીશ અને પછી નિર્ણય લઈશ. જ્યારે અમે સીઝનની શરૂઆત કરી હતી, ત્યારે 4 મેચ ચેન્નાઈમાં હતી. કેટલીક ખામીઓ ભરવી પડશે. રુતુરાજે આગામી સીઝનમાં વધારે વસ્તુઓ બાબતે ચિંતા કરવાની જરૂરિયાત નથી. તે એ ભૂમિકામાંથી એકમાં ફિટ થશે.

મેચની વાત કરીએ તો, ગુજરાત ટાઇટન્સના ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન શુભમન ગિલ 13 રન બનાવીને આઉટ થનારો પહેલો ખેલાડી રહ્યો. ત્યારબાદ, સતત વિકેટ પડવાનો સિલસિલો ચાલુ રહ્યો. ટીમે પાવર પ્લેમાં 35 રનની અંદર 3 વિકેટ ગુમાવી દીધી હતી. સાઈ સુદર્શન 10મી ઓવર સુધી ટકી રહ્યો અને આઉટ થનારો પાંચમો ખેલાડી રહ્યો. તેણે અને શાહરૂખ ખાન (19 રન)એ 5મી વિકેટ માટે 34 બૉલમાં 55 રન જોડ્યા. આ સિવાય, ટીમ માટે કોઈ મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ ન બની અને તેઓ મેચ હારી ગયા.

Top News

મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

શેરબજારમાં હવે માત્ર પુરુષોનું જ વર્ચસ્વ નથી રહ્યું, મહિલા રોકાણકારોની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી છે. NSEના...
Business 
મહિલાઓ હવે શેરબજારમાં રોકાણ કરવા તરફ કેમ વળી રહી છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ: 15-8-2025વાર: શુક્રવારઆજની રાશિ મેષ ચોઘડિયા, દિવસચલ    06:18 - 07:55 લાભ   07:55 - 09:31અમૃત...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

થોડા વર્ષો અગાઉ અમદાવાદ ફાયર વિભાગના 9 અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. તેમના પર આરોપ હતો કે નકલી દસ્તાવેજોના...
Gujarat 
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા

ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?

અનામત અંગે છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચા ચાલી રહી છે. હવે સરકાર તેમાં એક નવો અધ્યાય ઉમેરવાની તૈયારી કરી રહી છે....
National 
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.