ત્રીજી મેચ પહેલા પદ્મનાભસ્વામી મંદિર પહોંચી હતી ટીમ ઈન્ડિયા, ખેલાડીઓનો ફોટો વાયર

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રવિવાર (15 જાન્યુઆરી)ના રોજ તિરુવનંતપુરમમાં રમાવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે પહેલા જ શરૂઆતી બે મેચ જીતીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમનું લક્ષ્ય ત્રીજી વન-ડે જીતીને મુલાકાતી ટીમની ધૂળ સાફ કરવાનું રહેશે. ત્રીજી વન-ડે માટે ભારતીય ટીમ પણ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે.

ત્રીજી વન-ડે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે. સદીઓ જૂના પ્રાચિન મંદિરના દર્શન દરમિયાન ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રો (ધોતી) પહેરીને જોવા મળ્યા હતા. આને લગતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેરળ રાજ્યના વખાણ કરતા ફેન્સને અહીં આવવાની સલાહ આપી હતી. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે બીચ પર નાસ્તો કરતા તસવીર પણ શેર કરી હતી. કોહલીએ કહ્યું, 'કેરળમાં રહેવું કોઈ આનંદથી ઓછું નથી. મને અહીં આવવું ગમે છે. કેરળની સુંદરતાનો અનુભવ કરવો જોઈએ અને હું દરેકને સલાહ આપીશ કે તેઓ અહીં આવે અને ઉર્જાનો અનુભવ કરે. કેરળ ચોક્કસપણે તેના પગ પર પાછું ફરી ગયું છે અને અહીં આવવું એકદમ સલામત છે. જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે આ જગ્યા મને આનંદની અનુભૂતિ કરાવે છે.'

શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. ઓપનર ઈશાન કિશન અને મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં તક મળી ન હતી, તેથી તેઓ પોતાના વારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈશાન કિશન અને સૂર્યકુમાર તાજેતરના સમયમાં શાનદાર ફોર્મમાં છે. ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ સૂર્યકુમારે શ્રીલંકા સામેની ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી.

ત્રીજી વન-ડે માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

About The Author

Related Posts

Top News

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. શ્રીનગરથી અમદાવાદની ફલાઇટના 6000 રૂપિયાને બદલે સીધા 15000...
Gujarat 
પહેલગામની ઘટના પછી ફલાઇટના ભાવમાં તોતિંગ વધારો

યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ

એક રિસર્ચ ટીમે જણાવ્યું કે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરવાવાળી છોકરીઓમાં અન્ય જેન્ડરની સરખામણીમાં વધુ સામાજિક ચિંતા જોવા મળે છે.આ અભ્યાસ...
Health 
યુવા મહિલાઓમાં સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગથી સોશિયલ એંગ્જાઈટીનું જોખમ વધે છે: અભ્યાસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.