ત્રીજી મેચ પહેલા પદ્મનાભસ્વામી મંદિર પહોંચી હતી ટીમ ઈન્ડિયા, ખેલાડીઓનો ફોટો વાયર

ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી વન-ડે રવિવાર (15 જાન્યુઆરી)ના રોજ તિરુવનંતપુરમમાં રમાવાની છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમે પહેલા જ શરૂઆતી બે મેચ જીતીને સીરિઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે ભારતીય ટીમનું લક્ષ્ય ત્રીજી વન-ડે જીતીને મુલાકાતી ટીમની ધૂળ સાફ કરવાનું રહેશે. ત્રીજી વન-ડે માટે ભારતીય ટીમ પણ તિરુવનંતપુરમ પહોંચી ગઈ છે.

ત્રીજી વન-ડે મેચ પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ શ્રી પદ્મનાભસ્વામી મંદિર પહોંચ્યા અને ભગવાનના આશીર્વાદ લીધા. આ ખેલાડીઓમાં સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે. સદીઓ જૂના પ્રાચિન મંદિરના દર્શન દરમિયાન ભારતીય ખેલાડીઓ પરંપરાગત વસ્ત્રો (ધોતી) પહેરીને જોવા મળ્યા હતા. આને લગતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ કેરળ રાજ્યના વખાણ કરતા ફેન્સને અહીં આવવાની સલાહ આપી હતી. વિરાટ કોહલીએ પત્ની અનુષ્કા શર્મા સાથે બીચ પર નાસ્તો કરતા તસવીર પણ શેર કરી હતી. કોહલીએ કહ્યું, 'કેરળમાં રહેવું કોઈ આનંદથી ઓછું નથી. મને અહીં આવવું ગમે છે. કેરળની સુંદરતાનો અનુભવ કરવો જોઈએ અને હું દરેકને સલાહ આપીશ કે તેઓ અહીં આવે અને ઉર્જાનો અનુભવ કરે. કેરળ ચોક્કસપણે તેના પગ પર પાછું ફરી ગયું છે અને અહીં આવવું એકદમ સલામત છે. જ્યારે પણ હું અહીં આવું છું, ત્યારે આ જગ્યા મને આનંદની અનુભૂતિ કરાવે છે.'

શ્રીલંકા સામેની ત્રીજી વન-ડે મેચમાં ભારતીય ટીમ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે. ઓપનર ઈશાન કિશન અને મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને પ્રથમ બે મેચમાં તક મળી ન હતી, તેથી તેઓ પોતાના વારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈશાન કિશન અને સૂર્યકુમાર તાજેતરના સમયમાં શાનદાર ફોર્મમાં છે. ઇશાન કિશને બાંગ્લાદેશ સામેની ત્રીજી વન-ડેમાં બેવડી સદી ફટકારી હતી. આ સાથે જ સૂર્યકુમારે શ્રીલંકા સામેની ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી.

ત્રીજી વન-ડે માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક અને અર્શદીપ સિંહ.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.