કેરેબિયન દિગ્ગજના મતે- આ ભારતીય પણ ફર્ગ્યૂસન-આર્ચરની જેમ બેટ્સમેનોને ડરાવે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)મા જબરદસ્ત પ્રદર્શન કરીને રાતોરાત સ્ટાર બનેલો ઉમરાન મલિક હાલમાં ભલે ટીમ ઈન્ડિયામાં દેખાતો ન હોય, પરંતુ પૂર્વ ક્રિકેટરો આજે પણ તેના વખાણ કરે છેવેસ્ટ ઈન્ડીઝના પૂર્વ ખેલાડી અને વર્તમાન ક્રિકેટ એક્સપર્ટ ઇયાન બિશપે તેના ખૂબ વખાણ કર્યા છે.

ઇયાન બિશપનું માનવું છે કે ઉમરાન મલિકની બોલિંગ પણ એટલી જ ખતરનાક છે જેટલી કે લોકી ફોર્ગ્યૂસન અને જોફ્રા આર્ચરની છે. એક સ્પોર્ટ્સ ચેનલ પર એક કાર્યક્રમમાં વાતચીત કરતા ઇયાન બિશપે કહ્યું કે ગયા વર્ષે તેને બોલિંગ કરતો જોઈને હું તેના માટે ઉત્સુક છું. તેની પાસે સારી સ્પીડ છે અને તેને તમે સુપરમાર્કેટમાં જઈને ખરીદી નહીં શકો. તેમને તમે સ્પષ્ટ લાઇન અને લેન્થ માટે ટ્રેન કરી શકો છો પરંતુ તમે કોઈને એ ન શીખવી શકો કે કઈ રીતે ફાસ્ટ બોલિંગ કરવાની છે.

તેમણે આગળ કહ્યું કે તે જે રીતે બોલિંગ કરી રહ્યો છે તેનાથી સારા સારા બેટ્સમેનો માટે પણ તેનો સામનો કરવો મુશ્કેલ થઈ જશે. ઇયાન બિશપે ઉમરાન મલિકના વખાણ કરતા તેની તુલના ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફોર્ગ્યૂસન અને જોફ્રા આર્ચર સાથે કરી છે. તેમણે કહ્યું કે તે જોફ્રા આર્ચર અને લોકો ફોર્ગ્યૂસનની જેમ તમને ડરાવે છે અને ડેલ સ્ટેનને તે ખૂબ પસંદ છે. એ મારા માટે ખૂબ રોચક છે કે ઉમરાન મલિક શું બની શકે છે. જો તે ફિટ રહે છે તો ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ જરૂર રમશે. હું ફરીથી કહીશ કે આ મોટા દેશમાં અત્યારે વધુ કેટલા ઉમરાન મલિકને શોધવાના બાકી છે?  

ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન સુનિલ ગાવસ્કરે પણ ઉમરાન મલિકની સ્પીડના વખાણ કર્યા છે. તેમણે ઉમરાન મલિકની સ્પીડને લઈને કહ્યું કે ઉમરાન મલિક પોતાની સ્પીડથી ખૂબ પ્રભાવશાળી છે. સાથે જ તેમણે ઉમરાન મલિકને વિકેટ ટેકર કહ્યો.

સુનિલ ગાવસ્કરે કહ્યું કે ઉમરાન મલિક પોતાની સ્પીડથી ખૂબ પ્રભાવશાળી રહ્યો છે પરંતુ તેની ગતિથી વધારે એ તેની એક્યૂરેસી છે જે પ્રભાવિત કરે છે. ઘણા બધા બોલર જે એ સ્પીડથી બોલિંગ કરે છે, તેઓ બોલને આમ તેમ ફેકે છે પરંતુ ઉમરાન ખૂબ ઓછા વાઈડ ફેકે છે.

About The Author

Related Posts

Top News

જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

(ઉત્કર્ષ પટેલ)જય શાહ એક એવું નામ છે જે યુવા વયે વૈશ્વિક ક્રિકેટના નેતૃત્વમાં પોતાનું અસ્તિત્વ સાબિત કર્યું છે. માત્ર...
Opinion 
જય શાહ: શાંત, સંયમી અને લક્ષ્ય કેન્દ્રિત વ્યક્તિત્ત્વ

ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

અમેરિકાએ કહ્યું કે, ‘તે ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવાની મંજૂરી આપે છે.’ કોંગ્રેસ સહિત વિપક્ષે અમેરિકાના નિવેદન...
Business 
ભારત રશિયા પાસેથી તેલ ખરીદી શકે છે, પરંતુ હવે પહેલા જેવી વાત કેમ નથી રહી?

બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

પાકિસ્તાન ભારતની વર્લ્ડ કપ જીતને પચાવી શકતું નથી. આ જ કારણ છે કે, ભારત જીતતાની સાથે જ તેઓ વાહિયાત...
Sports 
બોખલાઈ ગયા છે પાકિસ્તાનીઓ... અખ્તરે ભારતની જીત પર કહ્યું કે, 'ભારતે ક્રિકેટને બરબાદ કરી નાંખ્યું છે.'

વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી

ગુજરાત હાઈકોર્ટે વડોદરાના પ્રતાપનગર સ્થિત ઐતિહાસિક 'બડા હજીરા' (મોટા હજીરા) સ્મારકની આસપાસ દફનવિધિ કરવા પરના નિયંત્રણોને યથાવત...
Gujarat 
વડોદરાના ‘બડા હજીરા’ સ્મારક પરિસરમાં દફનવિધિ પર પ્રતિબંધ, કોર્ટે અરજી ફગાવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.