હાર બાદ LSGના મેન્ટર ઝહીર ખાને પીચ પર ઉઠાવ્યો સવાલ, કહ્યું- પંજાબના...

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને પંજાબ કિંગ્સ વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 13મી મેચ લખનઉના 'ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ઇકાના ક્રિકેટ સ્ટેડિયમ' ખાતે રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમે 1 એપ્રિલના રોજ રમાયેલી આ મેચ 8 વિકેટે અને 22 બોલ બાકી રહેતા જીતી લીધી હતી. આ મેચ હાર્યા પછી લખનઉ ટીમના મેન્ટર ઝહીર ખાને પિચ પર સવાલો ઉઠાવ્યા હતા.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)ના મેન્ટર ઝહીર ખાને મેચ પછી કહ્યું, એવું લાગતું હતું કે વિરોધી ટીમ પીચ તૈયાર કરવા માટે પોતાનો ક્યુરેટર લઈને આવી હોય. એક સ્પોર્ટ્સ ચેનલના અહેવાલ અનુસાર, ઝહીરે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, હું અહીં થોડો નિરાશ થયો હતો...

Zaheer-Khan
english.jagran.com

તેમણે કહ્યું, આ એક હોમ મેચ છે અને IPLમાં તમે જોયું હશે કે, દરેક ટીમ હોમ ગ્રાઉન્ડનો થોડો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરે છે. આ દૃષ્ટિકોણથી તમે જોયું જ હશે કે ક્યુરેટર ખરેખર એવું વિચારી રહ્યા ન હતા કે તે ઘરઆંગણાની મેચ છે, મને લાગે છે કે કદાચ એવું લાગતું હતું કે તે પંજાબ કિંગ્સનો ક્યુરેટર હશે.

ઝહીરે નિરાશ સ્વરમાં કહ્યું, અમે તેના પર વિચાર કરીશું, આ મારા માટે એક નવો સેટ-અપ છે, પરંતુ મને આશા છે કે, આ પહેલી અને છેલ્લી મેચ હશે, કારણ કે તમે લખનઉના ચાહકોને પણ નિરાશ કરી રહ્યા છો, તેઓ પહેલી ઘરઆંગણેની મેચ જીતવાની મોટી આશા સાથે અહીં આવ્યા છે.

Zaheer-Khan3
cricketcountry.com

તેમણે કહ્યું, એક ટીમ તરીકે અમને વિશ્વાસ છે. અમે સ્વીકારીએ છીએ કે અમે મેચ હારી ગયા છીએ અને ઘરઆંગણે પ્રભાવ પાડવા માટે અમારે શક્ય તેટલું બધું કરવું પડશે. અમારે હજુ છ મેચ રમવાની છે અને આ સિઝનમાં આ ટીમે અત્યાર સુધી જે પણ થોડી ઘણી ક્રિકેટ રમી છે, તેનાથી સાબિત થયું છે કે અમારી પાસે IPL માટે યોગ્ય અભિગમ અને માનસિકતા છે. તમે જે અપેક્ષા રાખી શકો છો તે અલગ વિચારસરણી, સંઘર્ષ, ભૂખ છે અને તે જ એક ટીમ તરીકે અમારી ઓળખ છે.

પિચને ખોટી રીતે સમજવા પર, ઝહીરે કહ્યું, 'અમે એ જ કહી રહ્યા છીએ, અમે ક્યુરેટર જે કહેશે તેના પર ચાલીશું. અમે આને બહાના તરીકે વાપરી રહ્યા નથી. અમે છેલ્લી સીઝનમાં જોયું છે કે, એવું નથી કે બેટ્સમેનોને અહીં સંઘર્ષ કરવો પડતો નથી, ક્રિકેટમાં આ બધું થતું રહે છે, પરંતુ જે રીતે ઘરઆંગણાની ટીમને ટેકો મળવો જોઈએ, તે જોતાં બધાને ખબર હોવી જોઈએ કે, આ આપણી ઘરઆંગણાની ટીમ જે લખનઉમાં રમી રહી છે અને તેમને જીત અપાવવા માટે આપણે શું કરી શકીએ? દરેકનું યોગદાન મહત્વપૂર્ણ છે. અમે મેચ જીતવાનો રસ્તો શોધી લઈશું.

Zaheer-Khan1
bjsports.live

મેચ પછીની પ્રેઝન્ટેશનમાં LSGના કેપ્ટન રિષભ પંતે પણ સ્વીકાર્યું હતું કે, તેને ધીમી પિચની અપેક્ષા હતી, તેથી જ તેણે ઝડપી બોલર પ્રિન્સ યાદવને બદલે સ્પિનર ​​M સિદ્ધાર્થને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો.

જોકે, ઇજાઓને કારણે લખનઉ ટીમના વિકલ્પો મર્યાદિત થઈ ગયા છે. તેથી LSGએ એવી પિચ પસંદ કરી હશે જે સ્પિન-ફ્રેન્ડલી હોય અથવા ઓછામાં ઓછું પંજાબ કિંગ્સ (PBKS)ના ફાસ્ટ બોલિંગ આક્રમણની અસરને ઓછી કરી દે. જોકે, તેમણે ફક્ત બે મુખ્ય ઝડપી બોલરોને મેદાનમાં ઉતાર્યા, જેમાં છેલ્લી ઘડીએ શાર્દુલ ઠાકુરનો સમાવેશ કરવામાં આવ્યો, જ્યારે તેમની પાસે શામર જોસેફના રૂપમાં ફક્ત એક વિદેશી ઝડપી બોલર છે.

About The Author

Related Posts

Top News

શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

વનપ્લસ, જે એક સમયે તેના લોન્ચ અને ચાહકોમાં થયેલી ભારે ચર્ચા સાથે સ્માર્ટફોન માર્કેટમાં ખલેલ પહોંચાડવા માટે જાણીતું થયું...
Tech and Auto 
શું ભારતમાં OnePlus કંપની બંધ થવાની છે?

ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જે કોઈપણ કિંમતે ગ્રીનલેન્ડ પર કબજો કરવાની ધમકી આપી રહ્યા હતા, તેમણે અચાનક U-...
Business 
ગ્રીનલેન્ડ પર ટ્રમ્પનું પલટવું એ કંઈ અચાનક લેવાયેલો નિર્ણય નથી; જાણો 'U-Turn'ની વાર્તા!

ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

રવિવારે ઇન્દોરમાં ભારતીય ક્રિકેટ ટીમની હોટલ બહાર એક ચોંકાવનારી સુરક્ષા ભૂલ થઈ, જ્યારે એક મહિલા પૂર્વ ભારતીય કેપ્ટન રોહિત...
Sports 
ઇન્દોરમાં હોટલ બહાર મહિલાએ રોહિત શર્માનો હાથ પકડ્યો, સુરક્ષા તોડવાનું કારણ પણ જણાવ્યું

દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ

દાહોદ જિલ્લામાં વીજ મીટરોમાં છેડછાડ કરી મોટા પાયે વીજ ચોરી કરવાનું એક મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. MGVCL (મધ્ય ગુજરાત...
Gujarat 
દાહોદમાં ₹14.76 કરોડનું વીજ કૌભાંડ: મીટરમાં 'રેઝિસ્ટર' લગાવી ખેલ ખેલાયો, કર્મચારીઓ સામે ફરિયાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.