ઓસ્ટ્રેલિયામાં હવામાં 2 હેલિકોપ્ટર અથડાયા, 4 લોકોના કરૂણ મોત

ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં બે હેલિકોપ્ટર હવામાં જોરદાર ટકરાયા હતા. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત થયા હતા અને 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ક્વીન્સલેન્ડ પોલીસના ઈન્સ્પેક્ટર ગેરી વોરેલના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગોલ્ડ કોસ્ટ પર સ્થિત પ્રખ્યાત પર્યટન સ્થળ C વર્લ્ડ રિસોર્ટ પાસે થયો હતો. ગેરીએ જણાવ્યું કે, જ્યારે એક હેલિકોપ્ટર લેન્ડિંગની પ્રક્રિયામાં હતું, ત્યારે બીજું ટેકઓફ કરી રહ્યું હતું.

જણાવવામાં આવી રહ્યું છે કે, દુર્ઘટના બાદ એક હેલિકોપ્ટર સુરક્ષિત લેન્ડિંગ કરવામાં સફળ રહ્યું, જ્યારે અન્ય એક દુર્ઘટના બાદ તરત જ ક્રેશ થઈ ગયું. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા મોટાભાગના મુસાફરો તૂટી પડેલા હેલિકોપ્ટરમાં સવાર હતા. દુર્ઘટના બાદ સુરક્ષિત લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરનો કાચ તૂટી ગયો હતો અને તેમાં બેઠેલા લોકો પર અથડાયો હતો, ત્યારબાદ ઘણા મુસાફરોને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દુર્ઘટના બાદ તરત જ સમુદ્ર કિનારા પર હાજર લોકોએ તાત્કાલિક અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં હાજર જેટ સ્કી અને બોટને ઘાયલો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને તેમને કિનારા પર લાવીને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. ઑસ્ટ્રેલિયાનું દરિયાઈ રિસોર્ટ જેની નજીક આ દુર્ઘટના થઈ છે તે ખૂબ જ પ્રખ્યાત પર્યટન સ્થળ છે.

તાજેતરમાં, 26 સપ્ટેમ્બર 2022ના રોજ, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં PAK આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 2 પાયલટ સહિત 6 પાકિસ્તાની અધિકારીઓના મોત થયા હતા. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાની આર્મીના હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કર્યો છે. BLAએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓએ પાકિસ્તાની સેનાના બે જવાનોનું પણ અપહરણ કર્યું હતું.

પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર બલૂચિસ્તાનથી હરનાઈમાં હતું. પાકિસ્તાની સેનાના અધિકારીઓ કોઈ મિશન પર હતા. પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, 2 પાયલટ સહિત વિમાનમાં સવાર તમામ 6 અધિકારીઓ માર્યા ગયા છે. જોકે, સેના દ્વારા ક્રેશ થવાનું કારણ જણાવવામાં આવ્યું નથી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.