આ દેશમાં 75000માંથી 50000 મસ્જિદો થઈ ગઈ બંધ, મૌલાનાએ વ્યક્ત કરી ચિંતા

હાલમાં જ ઈરાનમાં થયેલા મહિલાઓના આંદોલને સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યુ. એક મૌલાનાએ તો ત્યાં સુધી દાવો કર્યો છે કે, દેશની 75 હજારમાંથી 50 હજાર મસ્જિદો બંધ થઈ ચુકી છે. તેમણે કહ્યું કે, મોરક્કોમાં વધુ લોકોના મસ્જિદમાં ના જવાના કારણે 50 હજાર મસ્જિદો બંધ હોવા છતા 172 નવી મસ્જિદો બનાવવામાં આવી, ઈરાનમાં મસ્જિદો બંધ કરવામાં આવી રહી છે. ઈરાનમાં હાલમાં જ હિજાબ અને બુરકા વિરુદ્ધ લાખો મહિલાઓ રસ્તા પર ઉતરી. હવે મૌલાના મોહમ્મદ અબોલઘાસીમ દૌલાબીએ દેશમાં મસ્જિદોના બંધ થવા પર ચિંતા વ્યક્ત કરી છે. આ બધુ ત્યાં થઈ રહ્યું છે, જ્યાં ઈરાન એક ઇસ્લામિક દેશ છે.

જે મૌલાનાએ આ જાણકારી આપી છે, તે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીની સરકાર અને દેશના મૌલાનાઓ વચ્ચે સેતુનું કામ કરે છે. તેમણે ગુરુવાર (1 જૂન, 2023) ના રોજ કહ્યું હતું કે, નમાજીઓની સંખ્યા પણ ઓછી થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે, આ દેશનું નિર્માણ ઇસ્લામની આસપાસ થયુ છે, એવામાં તેના માટે નમાજ પઢનારાઓ અને મસ્જિદોની સભ્યતા લેનારાઓની સંખ્યા ઓછી થવી ખૂબ જ મોટો ચિંતાનો વિષય હોવો જોઈએ.

દૌલાબી વિશેષજ્ઞોની એક સમિતિના પણ સભ્ય છે. આ એ જ સમિતિ છે, જે ઈરાનના સુપ્રીમ લીડરની પસંદગી કરે છે. તેમણે કહ્યું કે, ઈરાનના સમાજમાં મજહબ પ્રત્યે ઓછી થતી રૂચિના કારણે મસ્જિદ બંધ થઈ રહી છે. તેમણે મજહબી શિક્ષાઓને લઇને ફેલાયેલા મિથકની સાથોસાથ લોકોને સમૃદ્ધિથી વંચિત કરીને મજહબના નામ પર ગરીબ બનાવવાને લઇને તેમને જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, મજહબના નામ પર લોકોને અપમાનિત પણ કરવામાં આવી રહ્યા છે.

તેમણે કહ્યું હતું કે, મોટી સંખ્યામાં લોકોના મનમાં એ ભાવના બેસી ગઈ છે કે, ઈરાનની સત્તા ક્રૂર છે અને તેની તાનાશાહીનો આધાર ઇસ્લામ જ છે. તેમણે સપ્ટેમ્બર 2022 બાદ આખા દેશમાં થયેલા વિરોધ પ્રદર્શનોને પણ તેનું જ પરિણામ ગણાવ્યુ છે. ઈરાનની લગભગ 60% મસ્જિદો બંધ થઈ ચુકી છે કારણ કે, નમાજી આવી જ નથી રહ્યા. તેમણે કહ્યું કે, જ્યારે કોઈ મજહબના પરિણામની ચર્ચા થાય છે, તો લોકો તે જ આધાર પર તેને છોડવા અથવા તેમા જવાનો નિર્ણય લે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.