જો તમારે અહીં રહેવું હોય તો 24 કલાકમાં એક વાર હસવું જરૂરી, સરકારે કાયદો બનાવ્યો

જાપાનમાં દરેક નાગરિક માટે દિવસમાં એકવાર હસવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે અને આ માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ શહેરના લોકોને દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવું પડશે. મીડિયા ચેનલની એક વેબસાઈટ અનુસાર, જાપાન એવો દેશ છે કે, જેના એક શહેરમાં આ કાયદો પસાર કરવામાં આવ્યો છે.

હવે તમે વિચારતા જ હશો કે જાપાન જેવા દેશમાં સરકાર વ્યક્તિના હસવા, રડવા કે તેના અંગત જીવન અંગે કેવી રીતે નિર્ણય લઈ શકે છે, તો મિત્રો, તેની પાછળનું કારણ એ છે કે, સરકારના આ કાયદાનો હેતુ સંરક્ષણનો છે. લોકોને ડિપ્રેશનથી બચાવવા માટે.

જાપાનના યામાગાતા શહેરમાં સ્થાનિક સરકારે હવે એક વટહુકમ પસાર કર્યો છે, જે તે શહેરના લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા માટે દરરોજ ઓછામાં ઓછું એકવાર હસવાનો નિયમ બનાવે છે.

સરકારના આ નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે. તેને ટોરુ સેકી અને સટોરુ ઇશિગુરો જેવા રાજકારણીઓ તરફથી ટીકાનો સામનો કરવો પડ્યો છે, જેઓ દલીલ કરે છે કે તે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરે છે. સેકીએ કહ્યું કે હસવું કે ન હસવું એ મૂળભૂત માનવ અધિકાર છે, જ્યારે ઇશિગુરોએ બીમારી જેવા કારણોસર હસવામાં અસમર્થ લોકોના અધિકારો પર ભાર મૂક્યો હતો.

વિવાદ હોવા છતાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના કાઓરી ઇટોએ કાયદાનો બચાવ કરતા કહ્યું કે, તે વ્યક્તિના વ્યક્તિગત નિર્ણયના આદર પર ભાર મૂકે છે અને હસવા માટે દબાણ કરતું નથી. સ્થાનિક અધિકારીઓએ વધુમાં સ્પષ્ટતા કરી કે, નવા નિયમમાં દરરોજ હસવામાં અસમર્થ લોકો માટે કોઈ દંડની જોગવાઈ નથી. આ કાયદાનો પ્રાથમિક હેતુ ફરજિયાત હાસ્યને લાગુ કરવાને બદલે હાસ્યના સ્વાસ્થ્ય લાભોની સમજને પ્રોત્સાહન આપવાનો છે.

લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)એ ગયા અઠવાડિયે એક કાયદો રજૂ કર્યો હતો અને પસાર કર્યો હતો જેમાં રહેવાસીઓને દરરોજ 'હસી મજાક કરવાની અને જોરદાર અટહાસ્ય કરવા' માટે આહ્વાન કર્યું હતું. આ સિવાય તમામ પ્રોફેશનલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે, 'કાર્યસ્થળ પર એવું વાતાવરણ બનાવો જે હાસ્યથી ભરેલું હોય.'

જાપાનમાં આવો વિચિત્ર કાયદો કેમ બનાવવામાં આવ્યો? યામાગાતા યુનિવર્સિટીના મેડિકલ વિભાગે તાજેતરના એક સંશોધનમાં આ પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે. સંશોધન દર્શાવે છે કે, હાસ્ય સારા સ્વાસ્થ્ય અને લોકોના આયુષ્યમાં વધારો કરવામાં મદદરૂપ છે. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વર્ષ 2020માં લખેલા એક લેખમાં કહ્યું છે કે, જે લોકો વધુ હસતા નથી અથવા ઓછા હસવાની વૃત્તિ ધરાવતા હોય છે, તેમને હૃદય રોગ થવાની અને નાની ઉંમરમાં મૃત્યુ થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, હસવાથી માત્ર લોકોનું મગજ જ સ્વસ્થ નથી રહેતું, પરંતુ તેમની જીવનશૈલી પણ ખુશ ખુશાલ રહેતી હોય છે.

Top News

એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ભારતીય રેલ્વેમાં મુસાફરી કરતા મુસાફરોની દરરોજ ઘણી ફરિયાદો આવતી રહે છે. ક્યારેક 'રેલ નીર' બોટલના ઓવરચાર્જિંગ વિશે, ...
National 
એક યુવક ટ્રેનમાં નકલી પાવર બેંક વેચી રહ્યો હતો, લેનારે તેને ખોલીને તપાસ કરી તો અંદર જોઈને ચોંકી ગયો!

ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

ગુજરાતના હવામાન વિભાગે કહ્યું છે કે, આમ તો ગુજરાતમાં ચોમાસું વહેલું આવવાની સંભાવના હતી, પરંતુ દક્ષિણ દિશા તરફ વરસાદ અટકી...
Gujarat 
ગુજરાતના હવામાન વિભાગની આગાહી છે 8 જૂન સુધી આ જિલ્લામાં વરસાદ પડશે

સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે, જાણો કિંમત કેટલી હશે

છેલ્લા ઘણા મહિનાઓથી, અબજોપતિ ઉદ્યોગપતિ અને ટેસ્લાના CEOની સ્ટારલિંકના ભારતમાં લોન્ચ અંગે અલગ અલગ માહિતી બહાર આવી રહી...
Tech and Auto 
સ્ટારલિંક સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સર્વિસ ભારતમાં ટૂંક સમયમાં શરૂ થશે, જાણો કિંમત કેટલી હશે

આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2024-25 (AY 2025-26)ની આવકની જાણ કરવા માટે ITR ચકાસણી નિયમોમાં ફેરફાર કર્યા છે. અત્યાર સુધી...
Business 
આવકવેરા વિભાગે ITR ફાઇલિંગમાં પગારદાર વર્ગ માટે કર્યા આ 7 ફેરફારો
Copyright (c) Khabarchhe All Rights Reserved.