જળવાયુ પરિવર્તનના કારણે 2030 સુધીમાં આ દેશના લાખો લોકો ગરીબ થઇ જશે

વર્લ્ડ બેન્કના એક રિપોર્ટમાં કહેવાયું છે કે, જળવાયુ સંબંધિત ઉથલ પાથલના કારણે 2030 સુધીમાં લાખો બ્રાઝીલિયન લોકો અત્યંત ગરીબ બની શકે છે. આ રિપોર્ટમાં બ્રાઝીલને અપીલ કરવામાં આવી છે કે, તે રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતો માટે ઝડપથી રોકાણ લાવે.

રિપોર્ટમાં કહેવાયું છે કે, દક્ષિણ અમેરિકાનું આ સૌથી ગરીબ રાષ્ટ્ર, પ્રાકૃતિક આપદાઓ ખાસકરીને પૂર અને દુષ્કાળ, ખાદ્ય પદાર્થોની વધતી કિંમતો અને ઓછી શ્રમ ઉત્પાદકતા જેવી વસ્તુઓથી પ્રભાવિત થશે. રિપોર્ટમાં કહેવાયું છે કે, બ્રાઝીલ રીન્યુએબલ એનર્જીના સ્ત્રોતના રૂપમાં ઘણી મજબૂત સ્થિતિમાં છે, કારણ કે, 80 ટકાથી વધારે વિજળી સહિત, તેની લગભગ અડધી ઉર્જા આપૂર્તિ, પહેલેથી જ રીન્યુએબલ એનર્જીથી આવે છે.

બ્રાઝીલ માટે વર્લ્ડ બેન્કના કંટ્રી ડાયરેક્ટર જોહાન્સ જટનું કહેવું છે કે, તેની લો કાર્બન ક્ષમતાનો પુરો ફાયદો લેવા માટે, બ્રાઝીલે હવે 2050 દરમિયાન દર વર્ષે પોતાની વાર્ષિક GDPના 0.5 ટકાનું વિશુદ્ધ રોકાણ કરવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું કે, જળવાયુ સંબંધિત ઉથલ પાથલ આ દાયકાના અંત સુધી, 8થી 30 લાખ બ્રાઝીલિયન લોકોને અત્યંત ગરીબ બનાવી શકે છે.

ગયા નવેમ્બરમાં વર્લ્ડ બેન્કે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તનથી લોન્ગ ટર્મ ડેવલપમેન્ટ્સને મોટું જોખમ છે, ખાસકરીને ગરીબીમાં ઘટાડો. બ્રાઝીલ માટે હાલ રિપોર્ટમાં ઇન્ટર અમેરિકન ડેવલમેન્ટ બેન્ક દ્વારા કરવામાં આવેલી એક શોધ વિશે કહેવામાં આવ્યું છે. આ શોધમાં કહેવાયું છે કે, બ્રાઝીલ જલ્દીથી જ એક ટિપિંગ પોઇન્ટ પર પહોંચી શકે છે, જેને લોકો એમેઝોન બેસિનમાં ઇકોસિસ્ટમને બનાવી રાખવા અને પાણીના સપ્લાય અને કાર્બન સ્ટોરેજને સુનિશ્ચિત કરવા માટે પર્યાપ્ત વરસાદ ન થશે.

સૌથી મુશ્કેલ સ્થિતિમાં, જળવાયુ પરિવર્તન, વનોનું ધોવાણ અને ચારાગાહ વિસ્તાર વધવાથી, 2050 સુધી બ્રાઝીલની GDP પર 18400 કરોડ ડોલરનું ક્યુમ્યુલેટિવ ઇમ્પેક્ટ થવાનું અનુમાન છે, જે દેશના વર્તનમાન GDPના 9.7 ટકા જેટલું જ છે.

વર્લ્ડ બેન્કનું કહેવું છે કે, આ વ્યવધાનનો સામાજિક અને આર્થિક પ્રભાવ ખૂબ વધારે પડશે, આનાથી શહેરોમાં જળ આપૂર્તિ, હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર જનરેશન અને કૃષિ પર ગંભીર પ્રભાવ પડશે. રિપોર્ટ અનુસાર, દેશમાં જળવાયુ પરિવર્તનનો પ્રભાવ પહેલેથી જ તાપમાન અને વરસાદમાં ઉથલ પાથલ દ્વારા અનુભવ થઇ રહ્યો છે. બ્રાઝીલમાં ખરાબ વાતાવરણની ઘટનાઓથી દર વર્ષે એવરેજ 260 કરોડ ડોલરનું નુકસાન થાય છે. પાછલા થોડા વર્ષોમાં, બ્રાઝીલમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂર સામન્ય થઇ ગયા છે, જે દેશના વધારે પડતા હિસ્સાઓમાં ઓછી આવક વાળા વિસ્તારોને પ્રભાવિત કરે છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.