બાંગ્લાદેશના ઇસ્કોન મંદિરમાં ધાડ પડી, દાનપેટી સહિત બધી મૂર્તિઓ ઉપાડી લઈ ગયા ચોર

બાંગ્લાદેશના બ્રાહ્મણબરિયા જિલ્લામાં આવેલા શ્રી શ્રી પગલ શંકર ઇસ્કોન મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. 26 જાન્યુઆરીની સવારે ચોરો મંદિરમાં ઘૂસી ગયા હતા અને 14 મૂર્તિઓ સાથે દાનપેટી ઉપાડી લઈ ગયા હતા. સાથે જ મૂર્તિઓને પહેરાવવામાં આવેલા બધા સોના-ચાંદીના આભૂષણો તેમજ પૂજામાં વપરાતી વસ્તુઓને પણ છોડી નહોતી.

બાંગ્લાદેશી અખબાર પ્રથમ આલો અનુસાર, આ ઘટના 26 જાન્યુઆરીની સવારે 2:00 થી 3:00 વાગ્યા વચ્ચે બની હતી. ચોરોએ મંદિર સંકુલના 5 રૂમના તાળા તોડી નાખ્યા હતા. મંદિરના પૂજારીએ પોતાનું દુ:ખ અને નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, ‘અમારો શું વાંક છે? અમને વારંવાર આવી યાતનાઓ કેમ આપવામાં આવી રહી છે. અમે સુરક્ષિત અનુભવી રહ્યા નથી.

Bangladesh-ISKCON1
indiatoday.in

 26 જાન્યુઆરીએ સવારે 4:00 વાગ્યાની આસપાસ જ્યારે પૂજારી અને તેમના શિષ્યો મંગળ આરતી કરવા પહોંચ્યા ત્યારે આ ઘટનાની જાણ થઈ હતી. તેમણે જોયું કે મુખ્ય દરવાજા પર જ ઘણા તાળા તૂટ્યા હતા. તેમણે મંદિરના સર્વિસ ચીફ સુખદા બલરામ દાસને જાણ કરી, ત્યારબાદ પોલીસ અને વહીવટી અધિકારીઓએ બીજા દિવસે સવારે, 27 જાન્યુઆરીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

મંદિરના અધિકારીઓએ જણાવ્યું કે, ચોરી થયેલી 14 મૂર્તિઓમાંથી 6 પિત્તળની અને 8 પથ્થરની હતી. ચોરી થયેલી બીજી વસ્તુઓમાં ચાંદીના જૂતા, એક વાંસળી, પિત્તળના વાસણો, એક હાર્મોનિયમ, એક ડોલ, એક પિત્તળની બેઠક, પિત્તળના ગ્લાસ અને 2 દાનપેટીઓમાંથી રોકડ રકમનો સમાવેશ થાય છે. પૂજારીએ જણાવ્યું કે, લગભગ 20,000 ટકા, સોનાના દાગીના, પાણીની મોટર અને 2 દાનપેટીઓ પણ ચોરાઈ ગઈ છે. અન્ય એક રહેવાસી શિલ્પા રાણી માલાકરે આ ઘટના અંગે જણાવ્યું કે, ‘હું ગઈકાલે માધવપુરમાં હતી. જ્યારે હું પાછી આવી ત્યારે મેં જોયું કે, મારા રૂમનું તાળું તૂટેલું હતું. લગભગ 20,000 ટકા રોકડા અને સોનાના દાગીના ચોરી લેવામાં આવ્યા. મારો કોઈ પતિ કે બાળકો નથી. હું ભગવાનની સેવા કરું છું.

Bangladesh-ISKCON4
thehindu.com

આ બાબતે માહિતી આપતા પોલીસ અધિક્ષક શાહ મુહમ્મદ અબ્દુર રઉફે જણાવ્યું કે, ગ્રીલ કાપીને મૂર્તિઓની ચોરી કરવામાં આવી છે. તેમણે પુષ્ટિ કરી છે કે, કેસ નોંધવામાં આવી રહ્યો છે. SPના જણાવ્યા અનુસાર, કેસની તપાસ માટે ઘણી પોલીસ ટીમો લગાવવામાં આવી છે.

About The Author

Top News

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
Opinion 
સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

Opinion

સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ સી.આર.પાટીલની સફળતા પાછળનું સમર્પિત એકમાત્ર વ્યક્તિત્ત્વ એટલે છોટુભાઈ પાટીલ
ગુજરાતના રાજકારણમાં સી.આર. પાટીલનું નામ આવે ત્યારે તેમની સફળતાની વાત અનિવાર્યપણે થાય છે. પરંતુ આ તમામ સિદ્ધિઓ પાછળ એક એવું...
ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
Copyright (c) Khabarchhe All Rights Reserved.