બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને 209 બેઠકો મળી, એટલે કે હવે તેની પાસે પ્રચંડ બહુમતી છે. આ જીતથી દેશની રાજકીય તસવીર બદલાઈ ગઈ છે, અને જનતાએ સ્પષ્ટ કરી દીધું છે કે પરિવર્તનની જરૂર છે.

BNPના સૌથી મોટા હરીફ, ઇસ્લામિક જમાત-એ-ઇસ્લામી પાર્ટી અને તેમના સહયોગીઓને માત્ર 70 બેઠકો મળી છે. બાકી નાના પક્ષો અને ગઠબંધન પાછળ રહી ગયા. આ પરિણામ સ્પષ્ટપણે દર્શાવે છે કે જનતાએ જૂના રાજકીય માળખાને પાછળ છોડતા નવા નેતૃત્વને તક આપી છે. તેમની આશા હવે વિકાસ, રોજગાર અને ભ્રષ્ટાચાર સામે લડવા પર ટકેલી છે.

BNP1
ndtv.com

BNPના નેતા તારિક રહેમાનનું આગામી વડાપ્રધાન બનવાનું નક્કી છે. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઝિયાઉર રહેમાનના પુત્ર છે. ચૂંટણી બાદ, તેમને મીડિયા અને સમર્થકોએ ઘેરી રાખ્યા હતા અને લોકો ઉત્સાહથી કહી રહ્યા હતા-એક નવો યુગ શરૂ થઇ ગયો! તારિક રહેમાન હવે દેશનું નેતૃત્વ કરશે, અને તેમના કામકાજ પર સમગ્ર દેશની નજર રહેશે.

આ ચૂંટણીમાં જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વહેલી સવારથી મતદાન મથકો પર લાંબી લાઇન જોવા મળી હતી. યુવાનો અને પહેલી વાર મતદાન કરનારા મતદારોની ભાગીદારી ખાસ કરીને નોંધપાત્ર રહી. કુલ મળીને, ચૂંટણી શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં યોજાઈ હતી, અને જનતાએ લોકશાહીની તાકતનું પ્રદર્શન કર્યું હતું.

Team-India
BCCI

આ જીત શા માટે ખાસ છે?

BNPની જીત ઘણી રીતે ઐતિહાસિક છે. દેશમાં રાજકીય સ્થિરતા પાછી આવશે. સરકાર હવે વિકાસ, રોજગાર અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર મુદ્દાઓ પર કામ કરી શકે છે. સત્તાવાર રીતે પાછલા નેતૃત્વ એટલે કેશેખ હસીનાનો યુગ સમાપ્ત થઈ ગયો છે, અને એક નવો રાજકીય યુગ શરૂ થયો છે. કેટલાક લોકોનું કહેવું છે કે ચૂંટણી સંપૂર્ણપણે નિષ્પક્ષ નહોતી. સાથે જે, રાજકીય કટ્ટરપંથ વધવાનો ભય પણ છે. વિરોધી પક્ષો અત્યારે પણ નવી સરકારના કામકાજ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને કોઈપણ ભૂલો પકડવા માટે તૈયાર છે.

BNPના નેતૃત્વ હેઠળની સરકાર હવે આગામી 5 વર્ષ સુધી દેશ ચલાવશે તેવી અપેક્ષા છે. જનતાની ખૂબ અપેક્ષાઓ છે કે, નવા વડાપ્રધાન તારિક રહેમાનના નેતૃત્વમાં સુધારા અને વિકાસ થશે. દેશ હવે એક નવા રાજનીતિક અધ્યાય તરફ વધી રહ્યો છે, અને બધાની નજર BNP પોતાના વચનો પર કેટલી ખરી ઉતરે છે તેના તેના પર છે.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.