મહિલા સલૂનમાંથી પાછી આવી ત્યારે કિડનીમાં ઈજા થઈ હતી, અચાનક વોમિટ થવા લાગી અને...

સામાન્ય રીતે લોકો હેર કટ અથવા હેર ટ્રીટમેન્ટ માટે સલૂનમાં જાય છે. ઘણી વખત, જો કોઈ પ્રોફેશનલ તેમના વાળ વધારે કાપે છે, તો પછી વિવાદ થાય છે અથવા ખરાબ પ્રોડક્ટ લગાવવાને કારણે કોઈના વાળ પર રિએક્શન આવે તો વિવાદ થાય છે. પરંતુ તાજેતરમાં એક ચોંકાવનારો અને ડરામણો કિસ્સો સામે આવ્યો છે. હકીકતમાં, વાળની સારવાર માટે ગયેલી મહિલા જ્યારે પરત આવી ત્યારે તેની કિડનીને ઘણું નુકસાન થયું હતું.

એક 26 વર્ષીય ટ્યુનિશિયન મહિલાને સલૂનની મુલાકાત લીધા પછી કિડનીમાં ત્રણ ઇજાઓ થઈ હતી. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં આ મહિને પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, સંપાદકને લખેલા પત્રમાં, ફ્રેન્ચ ડોકટરોએ કેટલાક વાળને સ્મૂથિંગ અને સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સને કિડનીની ઈજા સાથે જોડ્યા છે.

કેસ સ્ટડીમાં રહેલી મહિલાને અગાઉ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા ન હતી. જ્યારે તે ડૉક્ટર પાસે પહોંચી ત્યારે તેને ઉલ્ટી, તાવ, ઝાડા અને કમરના દુખાવાની તકલીફ હતી. લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, 'તે જ દિવસે એક જ સલૂનમાં વાળની સારવાર કર્યા પછી કિડનીની ગંભીર ઈજા થઈ હતી.' મહિલાએ જણાવ્યું કે, વાળની સારવારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન તે માથામાં બળતરા થવાનું અનુભવી રહી હતી, ત્યારપછી તેની ખોપરી ઉપરની ચામડીમાં અલ્સર થયું હતું.'

તપાસ કર્યા પછી, તબીબી સ્ટાફને જાણવા મળ્યું કે, તેના લોહીમાં પ્લાઝ્મા ક્રિએટિનાઇનનું સ્તર એલિવેટેડ (વધેલું) હતું. પ્લાઝ્મા ક્રિએટિનાઇન એ સ્નાયુઓમાંથી બહાર આવેલો કચરો છે, જ્યારે તે લોહીમાં પ્રવેશ કરે છે, ત્યારે તેને કિડની દ્વારા ફિલ્ટર કરવામાં આવે છે. જ્યારે મહિલા સલૂનમાં ગઈ ત્યારે હેર સ્ટાઈલિસ્ટે તેના વાળ પર ક્રીમ લગાવી જેમાં 10 ટકા ગ્લાયોક્સિલિક એસિડ હોય છે. સંશોધકોનું માનવું છે કે, આ રસાયણ જ કિડનીને નુકસાન પહોંચાડે છે.

દલીલ એવી છે કે, 'આ પરિણામો પુરાવા પૂરા પાડે છે કે, ગ્લાયોક્સિલિક એસિડ ધરાવતી વાળને સ્ટ્રેટનિંગ કરવાની ક્રીમ જ જવાબદાર છે.' અહીં અમે તમને જણાવી દઈએ કે, ગ્લાયોક્સિલિક એસિડ પેટન્ટ કરવામાં આવ્યું હતું અને તેને તાજેતરમાં જ વાળને સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સમાં ફોર્માલ્ડીહાઈડ ધરાવતા ફોર્મ્યુલેશનના સલામત વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું.

2022માં, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે, વાળને સીધા કરવા માટેના રાસાયણિક ઉત્પાદનો સ્ત્રીઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ વધારી શકે છે. સંશોધકોએ ઉત્પાદનોમાં અંતઃસ્ત્રાવી વિક્ષેપ પાડતા રસાયણો તરફ ધ્યાન દોર્યું હતું.

About The Author

Top News

પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના...
National 
પૂર્વ મંત્રીની પુત્રીએ SBI મેનેજરને તમાચો મારી દીધો, FIR દાખલ કરાઈ

કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

NEET પરીક્ષાના પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ જ નવા કેન્દ્રીય શિક્ષણ મંત્રીના નામની જાહેરાત...
Politics 
કોણ છે નવા શિક્ષણ મંત્રી પ્રલહાદ જોશી? ધર્મેન્દ્ર પ્રધાનથી ઓછું ભણ્યા છે

ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

મંદિરોમાં લોકો શું પ્રસાદ ચઢાવે છે? કેટલાક નારિયેળ, કેટલાક મીઠાઈ, કેટલાક સોનું અને ચાંદી ચઢાવે છે. પરંતુ...
National 
ખેડૂતે જમીન, 2 માળનું મકાન... પોતાની બધી મિલકત ભગવાન સાંવલિયા શેઠને દાનમાં આપી દીધી

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?

પૂર્વ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની અસર હવે પંજાબના રાજકારણ પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. પેપર લીક અને પરીક્ષા...
National 
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ પંજાબમાં શિક્ષણમંત્રીને હટાવવાની માંગ કેમ થઈ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.