ચારધામની યાત્રાએ ગયેલા અને ઊંડી ખીણમાં પડી બસ, ભાવનગરના 7 ભક્તોના મોત

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર દર્દનાક અકસ્માત થઈ ગયો છે, જેણે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. ભાવનગર જિલ્લામાં શોકનું મોજુ ફેરી વળ્યું છે. ચારધામની યાત્રાએ ગયેલા યાત્રીઓ મહાદેવની ભક્તિમાં લીન હતા. બસમાં માર્ગદર્શક બધાને સ્થળ વિશે જાણકારી આપી રહ્યા હતા. રસ્તો ખરાબ હતો. અચાનક ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ સીધી 50 મીટર ઊંડા ખીણમાં પડી જતા મોતની કિકિયારીઓ ગુંજી ઉઠી હતી. ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર રવિવારે બસ જઇ રહી હતી. જેમાં ગુજરાતના 35 યાત્રિકો સવાર હતા.

તમામ પોતાની મોજમાં મસ્ત અને ભક્તિમાં લીન હતા. આ તમામને ક્યાં ખબર હતી કે થોડી વારમાં જ મોટી દુર્ઘટના ઘટવાની છે. તમામ યાત્રિકોને બસમાં માર્ગદર્શક જાણકારી આપતા હતા અને અચાનક બસ ખીણમાં પડી, જેમાં ભાવનગરના 35 પૈકી ભાવનગરના 7 મુસાફરોના મોત થયા હતા. જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ગોઝારા અકસ્માતમાં ભાવનગરના 7 પૈકી પાલિતાણાના 29 વર્ષીય કરણ ભાટીનું મોત થયું છે.

મૃતક કરણજી ભાટીના કાકાએ જણાવ્યું હતું કે, '2 દીકરા ચાર ધામની યાત્રાએ ગયા હતા. કાલે ફોન આવ્યો કે તમારા દીકરા જે બસમાં હતા તે ખાઈમાં પડી ગઈ છે.' અકસ્માતમાં મોતને ભેટનાર કરણજી ભાટી ત્રણ સંતાનના પિતા હતા. તેઓનું મોત થતા બે પુત્રી અને એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કરણજીના મૃત્યુથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ મુજબ, બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂરી કરીને પરત ફરી રહ્યા હતા.

ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વીટ કર કે, ગંગોત્રીથી ઉત્તર કાશી જઇ રહેલી બસ ગંગાનાનીમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ જવાથી કેટલાક લોકોને નુકસાન થવાના અત્યંત પીડદાયક સમાચાર પ્રાપ્ત થાય છે. પ્રશાસનને તાત્કાલિક રૂપે સહત અને બચાવ કર્યા સંચાલિત કરવા અને ઇજાગ્રસ્તોની સારવાર માટે ઉચિત વ્યવસ્થા સુનિશ્ચિત કરવા હેતુ નિર્દેશિત કર્યું છે. ઈશ્વર દિવંગત આત્માઓને શ્રીચરણોમાં સ્થાન અને શોકાંતુર પરિવારજનોને એ કષ્ટ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. બધા ઇજાગ્રસ્તો જલ્દી સ્વાસ્થ્ય થવાની કામના કરું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું કે, ઉત્તરાખંડમાં બસ ખીણમાં પડવાના લીધે ગુજરાતના યાત્રિકોએ જીવ ગુમાવ્યો તે કરુણ ઘટનાથી વ્યથિત છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ગુજરાત સરકાર આ ઘટનાને લઈને ઉત્તરાખંડ સરકાર સાથે સતત સંપર્કમાં છે. ઇજાગ્રસ્ત નાગરિકો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.