રાજકોટ પોલીસ વાહન ચાલકો પાસે દંડને લેવાને બદલે તેમને હેલમેટ પહેરાવે છે

રાજકોટ પોલીસે એક મસ્ત આઈડિયા વાપર્યો છે, જેની બધી બાજુ પ્રસંશા થઈ રહી છે. વાત એવી છે કે રાજકોટ પોલીસ હેલમેટ વગરના વાહનચાલકોને પકડે છે પરંતુ તેમની પાસેથી દંડ નથી વસૂલતા પરંતુ તે રકમથી તેમને એક હેલમેટ આપીને પહેરાવે છે. વાહન ચાલકોને દંડને બદલે હેલમેટ પેરાવી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને સતત રહ્યા કરે છે. સતત ટ્રાફિકની કારણે અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું જઈ રહ્યું છે.

અકસ્માતમાં કેટલાક લોકોને તો પોતાના જીવ પણ ગુમાવવા પડી રહ્યા છે. આમ ન થાય તે માટે રાજકોટ પોલીસ દ્વારા અનેક વખત ચેકિંગની ડ્રાઇવ લેવાતી હોય છે. તેમાં પણ રાજકોટ ટ્રાફિક પોલીસે નવો કીમિયો અજમાવ્યો છે જેમાં વાહન ચાલકોને દંડને બદલે હેલમેટ પહેરાવી અકસ્માતથી બચવા સલાહ આપી. રાજ્ય સરકાર દ્વારા એક્સિડન્ટ ન થાય અને સેફ્ટી જળવાઈ રહે તે માટે સ્પીડ લિમિટ જાહેર કરવામાં આવી છે. જેનું વાહન ચાલકો ઉલંઘન કરે છે અને અકસ્માત સર્જાય છે. આમ ન થાય અને લોકોમાં જાગૃતતા રહે તે માટે રાજકોટ પોલીસે વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવાની બદલે હેલમેટ પહેરાવી અકસ્માતથી બચવા સૂચનો આપ્યા હતા.

આમ અકસ્માત નિવારવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવા ટ્રાફિકના નિયમનો ભંગ કરનારને પોલીસ પકડી દંડ ફરમાવાને બદલે હેલમેટ પહેરાવી રોડ સેફ્ટી તરફ વાહન ચાલકોનું ધ્યાન ખેચ્યું હતું.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.