કોઠારી સ્વામી સાથેની બેઠક પછી સાધુ સંતોએ કહ્યુ સાળંગપુર વિવાદ 2 દિવસમાં ઉકેલાશે

છેલ્લાં કેટલાંક દિવસથી દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા સાળંગપુર વિવાદનો ઉકેલ આવે તેવા સારા સમાચાર સામે આવ્યા છે. હનુમાનજીના અપમાનથી ક્રોધિત થયેલા સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સાધુ સંતોએ કહ્યું હતુ કે કોઠારી સ્વામીએ 2 દિવસમાં આ વિવાદનો ઉકેલ લાવવાની ખાત્રી આપી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.

આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

સાળંગપુરના કોઠારી સ્વામી સાથે રવિવારે સાધુ સંતોની બેઠક મળી હતી. સાધુ સંતોએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે, કોઠારી સ્વામીને સંતો દ્રારા કેટલાંક મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સાળંગપુરના ભીંતચિત્રનો મુદ્દો મુખ્ય હતો. ઉપરાંત તેમના સંતો આડું અવળું ન બોલે, કથાકારો, વક્તાઓ સંયમમાં રહે તેવા અનેક મુદ્દાઓ પર વાત થઇ હતી.બેઠકમાં કોઠારી સ્વામીએ ખાત્રી આપી છે કે બે દિવસમાં આ વિવાદનું સુખદ સમાધાન લાવીશું.

સાધુ સંતોએ કહ્યું કે અમે વિવાદિત મુદ્દાની ચર્ચા કરી છે અમે અહીં કોઠારી સ્વામી સાથે સંવાદ કરવા માટે આવ્યા હતા, વિવાદ કરવા નહોતા આવ્યા. અમે ખુબ જ શાંતિથી ચર્ચા કરી છે.

બરવાળાના મહામંડલેશ્વર જગદેવદાસે કહ્યું હતું કે, કોઠારી સ્વામી તરફથી અમને બાંહેંધરી આપવામાં આવી છે કે આ મુદ્દે જે કઇ પણ નિરાકરણ કરવાનું છે તે બે દિવસમાં આવી જશે. તેમણે કહ્યું હતું કે ભીંતચિત્ર એક ખાસ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે જે નષ્ટ થઇ શકે તેમ નથી.

આ મુદ્દે જુનાગઢના ઇન્દ્રભારતી બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે આજે સનાતનનો વિજય થયો છે. આ મામલે હવે 2 દિવસની બાંહેધરી આપવામાં આવી છે. એ આપણા સનાતની જ છે. બાપુએ કહ્યુ કે, બે દિવસમાં ભીંતચિત્રો નિકળી જશે ત્યાં સુધી હવે કશું કરવાનું રહેતું નથી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.