કોઠારી સ્વામી સાથેની બેઠક પછી સાધુ સંતોએ કહ્યુ સાળંગપુર વિવાદ 2 દિવસમાં ઉકેલાશે

છેલ્લાં કેટલાંક દિવસથી દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા સાળંગપુર વિવાદનો ઉકેલ આવે તેવા સારા સમાચાર સામે આવ્યા છે. હનુમાનજીના અપમાનથી ક્રોધિત થયેલા સાધુ સંતોએ સાળંગપુરના કોઠારી સ્વામી સાથે બેઠક કરી હતી અને બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં સાધુ સંતોએ કહ્યું હતુ કે કોઠારી સ્વામીએ 2 દિવસમાં આ વિવાદનો ઉકેલ લાવવાની ખાત્રી આપી છે.

સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મમાં જે શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે તે બાબતે વિવાદ પેદા થયો છે.

આ શિલ્પચિત્રોમાં હનુમાન સ્વામીનારાયણ એટલે કે સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાન સ્વામીનારાયણના ચરણમાં બેઠા હોય તેવું દેખાય છે. એક શિલ્પચિત્રમાં હનુમાનને સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાડાયા છે.

સાળંગપુરના કોઠારી સ્વામી સાથે રવિવારે સાધુ સંતોની બેઠક મળી હતી. સાધુ સંતોએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે, કોઠારી સ્વામીને સંતો દ્રારા કેટલાંક મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં સાળંગપુરના ભીંતચિત્રનો મુદ્દો મુખ્ય હતો. ઉપરાંત તેમના સંતો આડું અવળું ન બોલે, કથાકારો, વક્તાઓ સંયમમાં રહે તેવા અનેક મુદ્દાઓ પર વાત થઇ હતી.બેઠકમાં કોઠારી સ્વામીએ ખાત્રી આપી છે કે બે દિવસમાં આ વિવાદનું સુખદ સમાધાન લાવીશું.

સાધુ સંતોએ કહ્યું કે અમે વિવાદિત મુદ્દાની ચર્ચા કરી છે અમે અહીં કોઠારી સ્વામી સાથે સંવાદ કરવા માટે આવ્યા હતા, વિવાદ કરવા નહોતા આવ્યા. અમે ખુબ જ શાંતિથી ચર્ચા કરી છે.

બરવાળાના મહામંડલેશ્વર જગદેવદાસે કહ્યું હતું કે, કોઠારી સ્વામી તરફથી અમને બાંહેંધરી આપવામાં આવી છે કે આ મુદ્દે જે કઇ પણ નિરાકરણ કરવાનું છે તે બે દિવસમાં આવી જશે. તેમણે કહ્યું હતું કે ભીંતચિત્ર એક ખાસ મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે જે નષ્ટ થઇ શકે તેમ નથી.

આ મુદ્દે જુનાગઢના ઇન્દ્રભારતી બાપુએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે આજે સનાતનનો વિજય થયો છે. આ મામલે હવે 2 દિવસની બાંહેધરી આપવામાં આવી છે. એ આપણા સનાતની જ છે. બાપુએ કહ્યુ કે, બે દિવસમાં ભીંતચિત્રો નિકળી જશે ત્યાં સુધી હવે કશું કરવાનું રહેતું નથી.

Related Posts

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.