એવી 4 કાર જે બને છે તો ભારતમાં પણ વેચાય ફક્ત વિદેશમાં જ છે

મોટી કાર મેન્યુફેક્ચરર કંપનીઓની કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જેનું નિર્માણ ભારતમાં થાય છે પણ વિદેશી બજારોમાં વેચાય છે. કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જે વિદેશોમાં બીજા નામથી વેચાઇ રહી છે. જાણો એવી 4 દેશી ગાડીઓ વિશે, જે વિદેશી બજારોમાં ધૂમ મચાવી રહી છે. આ ગાડીઓની સૂચિમાં સુઝુકી જિમ્ની, ટોયોટા રૂમિયન, ટોયોટા બેલ્ટા, મહિન્દ્રા સ્કોર્પિયો પીકઅપના નામ શામેલ છે.

સુઝુકી જીમ્ની

મારૂતિ સુઝુકી જિમ્નીને વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. મારૂતિની આ ઓફ રોડર કાર મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાને ટક્કર આપી શકે એવી કાર છે. એટલા માટે કંપનીએ હવે મારૂતિ જિમ્નીને ભારતમાં 2023ના વર્ષમાં 10 લાખ રૂપિયાની નજીકની કિંમતમાં ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ જનતાની પ્રતિક્રિયાનું આકલન કરવા માટે 2020 ઓટો એક્સ્પોમાં જિમ્ની કોમ્પેક્ટ એસયુવીનું પ્રદર્શન કર્યું હતું. સુઝુકી જિમ્ની યુકે અને યુરોપિય બજારોમાં એક ખૂબ જ લોકપ્રિય છે. અન્ય દેશોમાં તેની સફળતાને જોતા કંપની આ કારને જલ્દીથી જ ભારતીય બજારમાં લાવવા માગે છે.

ટોયોટા રૂમિયન

ટોયોટા રૂમિયનનું નિર્માણ પણ ભારતમાં જ થાય છે, પણ તેનું વેચાણ ભારતમાં નથી કરવામાં આવતું. ઘણા વર્ષોથી રૂમિયનની વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જોકે, કંપની હવે ભારતમાં આ ગાડીને લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. આ ગાડી મારૂતિ સુઝુકી અર્ટીગાનું જ એક રીબ્રાન્ડેડ મોડેલ છે.

ટોયોટા બેલ્ટા

ટોયોટા બેલ્ટા ઉત્તરી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં એક લોકપ્રિય ગાડી છે. આ ગાડીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં યારિસ અને એશિયાના બજારોમાં વિઓસના નામે વેચવામાં આવે છે. આ ગાડી પણ ભારતમાં સીયાઝ નામથી વેચાઇ રહી છે. આ કારનું પણ જાપાની કાર મેકર કંપની ટોયોટા ભારતમાં જ ઉત્પાદન કરે છે. આ ગાડી ભારતમાં વેચાઇ રહેલી સીયાઝનું જ એક રીબ્રાન્ડેડ વર્ઝન છે.

મહિન્દ્રા સ્કોર્પિઓ પીકઅપ

મહિન્દ્રા સ્કોર્પિઓ પીકઅપનું નિર્માણ પણ ભારતમાં જ થાય છે, પણ આ ગાડી ભારતીય બજારોમાં ઉપલબ્ધ નથી. આ ગાડી ઓસ્ટ્રેલિયાના બજારોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગાડી ભારતમાં થોડા વર્ષો પહેલા સ્કોર્પિઓ ગેટઅવેના નામથી વેચાતી હતી, પણ ભારતીય બજારમાં આ ગાડીને લોકો દ્વારા પ્રતિસાદ નહોતો મળ્યો. તેથી આ ગાડીને ભારતમાં ડીસકન્ટીન્યુ કરી દેવામાં આવી.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.