શું E20 પેટ્રોલને કારણે ટાંકીના ઢાકણાંની આજુબાજુ કીડીઓ આવે છે? BPCLએ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી

E20 પેટ્રોલ સંબંધિત એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલના કારણે કીડીઓ વાહનોના પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ ભેગી થઇ જાય છે. આ સમાચાર ઝડપથી હજારો લોકો સુધી પહોંચી ગઈ અને ઘણા વાહન માલિકોના મનમાં સવાલો પણ ઉભા થઇ ગયા. પરંતુ શું ખરેખર E20 પેટ્રોલમાં કંઈક એવું છે જે કીડીઓને આકર્ષે છે? કે પછી આ ફક્ત બીજી એક વાયરલ અફવા છે? BPCLએ હવે આ મુદ્દા પર વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રતિક્રિયા આપી છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, E20 પેટ્રોલને કીડીઓ સાથે જોડવાના દાવાઓનો કોઈ આધાર નથી.

E20-Petrol-Ants1
livehindustan.com

તાજેતરમાં, E100 ઇંધણને કાનૂની મંજૂરી મળ્યા પછી, સોશિયલ મીડિયા પર ઇથેનોલ મિશ્રણ અંગે વિવિધ પોસ્ટ્સ દેખાવા લાગી. આવા એક વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ અથવા E20 ઇંધણના ઉપયોગને કારણે કીડીઓ પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ ભેગી થઈ રહી છે. લોકોનું આવું માનવાનું કારણ એ માટે હતું કે, તેમને છે કે, ઇથેનોલ શેરડીમાંથી બનાવવામાં આવે છે. જોત જોતામાં આ વીડિયો ઝડપથી વાયરલ થઇ ગયો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે વાહનોમાં E20 પેટ્રોલનો ઉપયોગ કરવામાં આવે છે, તે વાહનોના પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ કીડીઓ ભેગી થઈ રહી છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ હવે આ દાવાનો જવાબ આપ્યો છે, અને તે વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.

E20-Petrol-Ants2
instagram.com

BPCLએ સ્પષ્ટતા કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતા દાવાઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. BPCLના મતે, પેટ્રોલમાં ઉમેરવામાં આવતું ઇંધણ-ગ્રેડ ઇથેનોલ એક ખાસ પ્રક્રિયા દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે આથો અને ડિસ્ટિલેશનની ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે, જેના કારણે અંતિમ ઉત્પાદિત વસ્તુમાં કોઈ પણ પ્રકારની ખાંડ રહેતી નથી.

કંપનીએ જણાવ્યું કે ઇંધણ ઇથેનોલમાં ડિનાચ્યુરેન્ટ્સ ઉમેરવામાં આવે છે, જે જંતુઓ અને જીવાતોને દૂર રાખવાનું કામ કરે છે. તેથી, ઇથેનોલમાં કીડીઓને આકર્ષિત કરી શકે તેવા કોઈ તત્વો હોતા નથી. BPCLના મતે, જ્યારે ઇથેનોલને પેટ્રોલ સાથે ભેળવવામાં આવે છે, ત્યારે પેટ્રોલની હાઇડ્રોકાર્બન આધારિત ગંધ પ્રબળ રહે છે. ઇથેનોલની કોઈ અલગ ગંધ કીડીઓ અથવા અન્ય જંતુઓને આકર્ષવા માટે એટલી બધી તીવ્ર નથી હોતી.

E20-Petrol-Ants3
hindjanpath.com

કંપનીએ એમ પણ કહ્યું કે, ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ પરંપરાગત પેટ્રોલ કરતાં ઓછી ઇંધણ વરાળ ઉત્પન્ન કરે છે. તેથી, કીડીઓ વાહનના પેટ્રોલ ભરાવવાના ઢાકણાંની આજુબાજુ એકઠી થવાનું કોઈ કારણ નથી. BPCLએ સ્પષ્ટપણે કહ્યું છે કે, E20 પેટ્રોલ અને કીડીઓ વચ્ચે કોઈ જોડાણ સાબિત કરતા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. કંપની જણાવે છે કે, સોશિયલ મીડિયા પર ફરતા આવા દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે અને લોકોએ તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ.

About The Author

Top News

પાવાગઢના ડુંગરે દુર્ઘટના, વહેલી સવારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો દટાયા, 2એ ગુમાવ્યા જીવ

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ડુંગર પર આવેલા પાટિયાપુલ નજીક અચાનક ભારે...
Gujarat 
પાવાગઢના ડુંગરે દુર્ઘટના, વહેલી સવારે પથ્થરો નીચે ગબડતા 7 યાત્રિકો દટાયા, 2એ ગુમાવ્યા જીવ

શું E20 પેટ્રોલને કારણે ટાંકીના ઢાકણાંની આજુબાજુ કીડીઓ આવે છે? BPCLએ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી

E20 પેટ્રોલ સંબંધિત એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે...
Tech and Auto 
શું E20 પેટ્રોલને કારણે ટાંકીના ઢાકણાંની આજુબાજુ કીડીઓ આવે છે? BPCLએ વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપી

બોલો... AIથી દુલ્હનો બનાવી મેટ્રોમોનિયલ સાઈટ પરથી ઠગતી ટોળકી પકડાઈ, સુંદરતાથી મોહિત થઇ જતા કુંવારા...

ફોન આવ્યો. બીજી બાજુથી એક મધુર અવાજ હતા, કહેવામાં આવ્યોપં કે તમારી પ્રોફાઇલ માટે પરફેક્ટ સંબંધ મળી ગયો છે....
National 
બોલો...  AIથી  દુલ્હનો બનાવી મેટ્રોમોનિયલ સાઈટ પરથી ઠગતી ટોળકી પકડાઈ, સુંદરતાથી મોહિત થઇ જતા કુંવારા...

શું સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ છોડશે? આ ટીમમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ

મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અંગે એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા માને છે...
Sports 
શું સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સ છોડશે? આ ટીમમાં જોડાવાની ચર્ચા શરૂ થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.