ફેસબૂક-ઈન્સ્ટા પર બ્લ્યૂ ટીક જોઈએ છે? ચૂકવવા પડશે આટલા રૂપિયા

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપની પેરેન્ટ કંપની ‘મેટા’એ પણ પ્રીમિયમ વેરિફિકેશન સર્વિસની જાહેરાત કરી દીધી છે એટલે કે હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ વેરિફાઇડ અકાઉન્ટ એટલે કે બ્લૂ ટિક માટે પૈસા ચૂકવવા પડશે. વેબ માટે તેની કિંમત 11.99 ડોલર (993 રૂપિયા) અમે IOS માટે 14.99 ડોલર (1241 રૂપિયા) નક્કી કરવામાં આવી છે. કંપનીના CEO માર્ક ઝુકરબર્ગે તેની જાહેરાત કરી છે.

તેમણે જણાવ્યું કે, આ અઠવાડિયે આ સર્વિસ પહેલી વખત ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં શરૂ કરવામાં આવશે. અન્ય દેશોમાં જલદી જ આ સર્વિસ શરૂ કરી દેવામાં આવશે. યુઝર પોતાના સરકારી ઓળખ પત્ર દ્વારા અકાઉન્ટ વેરિફાઇ કરાવી શકે છે. તેના માટે યુઝર્સના અકાઉન્ટને વધારાની સુરક્ષા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. જો કે, ભારતમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે? તેની જાણકારી અત્યાર સુધી સામે આવી નથી. અત્યારે ક્રિએટર્સ, સાર્વજનિક વ્યક્તિઓ, જાણીતી હસ્તીઓ, કંપનીઓ અને બ્રાન્ડ્સ પેજને ફેસબુક તરફથી વેરિફિકેશન બાદ બ્લૂ બેજ આપવામાં આવે છે.

આ અગાઉ માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટરે હાલમાં જ પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસ ટ્વીટર બ્લૂને લોન્ચ કરી હતી. ભારતમાં બ્લૂ ટિક લેવા અને પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સર્વિસના ફિચર્સનો ઉપયોગ કરવા માટે મોબાઇલ યુઝર્સે 900 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. તો કંપનીએ 650 રૂપિયાની સૌથી ઓછી કિંમતવાળો પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાન પર જાહેર કર્યો હતો. આ પ્લાન વેબ યુઝર્સ માટે છે. કંપનીએ ટ્વીટર પર બ્લૂ ટિકને ગયા વર્ષે જ નવા રૂપમાં જાહેર કર્યું હતું.

આ અગાઉ અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત કેટલાક દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. કંપનીએ સૌથી પહેલા સંયુક્ત રાજ્ય અમેરિકા, કેનેડા, UK, જાપાન, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સહિત અન્ય દેશોમાં પેઇડ સબસ્ક્રિપ્શન સર્વિસને શરૂ કરી હતી. કંપનીએ પોતાની વેબસાઇટ પર કહ્યું હતું કે, ગૂગલના એન્ડ્રોઇડ યુઝર્સ અને IOS યુઝર્સ ટ્વીટર બ્લૂનું માસિક સબસ્ક્રિપ્શન 11 ડોલર (લગભગ 900 રૂપિયામાં) ખરીદી શકશે.

About The Author

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.