AWACS સિસ્ટમ શું છે,જેનો ભારતે નાશ કર્યો, પાકિસ્તાન કેવી રીતે કરે છે તેનો ઉપયોગ?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભારતના પાકિસ્તાનની આ નાપાક કૃત્યના જવાબમાં ભારતે કડક કાર્યવાહી કરી છે. આ જવાબી હુમલામાં, પાકિસ્તાનની આખી એયર ડિફેન્સ સિસ્ટમ, ચાર ફાઇટર જેટ અને એક હાઇ-ટેક AWACS નાશ કરી દીધા છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે આ AWACS શું છે અને તે કેવી રીતે કામ કરે છે. જો આપણે તેની કામગીરી સમજીએ, તો આપણે સમજી શકીએ છીએ કે પાકિસ્તાને શું ગુમાવ્યું છે.

AWACS1
bharat24live.com

શું છે AWACS?

AWACS નું પૂરું નામ એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે. AWACS એક ખાસ પ્રકારનું વિમાન છે જેના પર એક મોટો ગોળ રડાર લગાવવામાં આવે છે. આ રડાર ખૂબ જ લાંબી રેન્જ ધરાવે છે અને દુશ્મનના વિમાનો, ડ્રોન, હેલિકોપ્ટર, મિસાઇલો અને ક્યારેક જમીની પ્રવૃત્તિઓ પણ શોધી શકે છે. તેને "આકાશમાંથી જોતી આંખ" પણ કહી શકાય. તેનું કામ ફક્ત નજર રાખવાનું જ નથી પણ અન્ય ફાઇટર પ્લેનને દિશા આપવાનું અને દુશ્મનની સ્થિતિ વિશે માહિતી આપવાનું પણ છે.

કેવી રીતે કામ કરે છે AWACS?

તમને જણાવી દઈએ કે એક AWACS વિમાનમાં સ્થાપિત રડાર 360 ડિગ્રી ફરી શકે છે અને સો કિલોમીટર સુધી જોઈ શકે છે. તે દુશ્મન વિમાનને ખૂબ જ સરળતાથી ઓળખી શકે છે. કોઈપણ દેશની સુરક્ષા માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, AWACS ના વિનાશને સંરક્ષણ દ્રષ્ટિકોણથી એક મોટું નુકસાન ગણી શકાય છે.

AWACS
indiatvnews.com

AWACS ના જરૂરી કાર્યો

AWACS નું સૌથી પહેલું અને મુખ્ય કામ હવાઈ દેખરેખ રાખવાનું છે, એટલે કે આકાશમાં શું થઈ રહ્યું છે, કોણ ઉડી રહ્યું છે, ક્યાંથી ઉડી રહ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે તે જોવું હોય છે. તે તેના નજીકના ફાઇટર જેટને પણ સૂચનાઓ આપે છે. આનાથી, યુદ્ધ દરમિયાન, ફાઇટર વિમાનો તે સમજી શકે છે કે ક્યાં જવું, કોને રોકવું, અને કોના પર હુમલો કરવો. તેની અંદર એક ઓપરેટર ટીમ હાજર હોય છે જે કમ્પ્યુટર સ્ક્રીન પર બધું જોતી અને સમજતી રહે છે. તે રેડિયો અથવા ડેટા લિંક દ્વારા F-16 જેવા ફાઇટર જેટને સીધા સૂચનાઓ મોકલી શકે છે. એટલું જ નહીં, AWACS દુશ્મન વિમાનમાંથી નીકળતા રેડિયો સિગ્નલો, રડાર તરંગો અને સંચાર સંકેતોને પણ પકડી શકે છે. આનાથી તે શોધી શકે છે કે દુશ્મન કયા હથિયારો સક્રિય કરી રહ્યો છે. આનાથી તે કયા વિમાનને નિશાન બનાવવું અને કયા ફાઇટર એરક્રાફ્ટને મિશન પર મોકલવું તેનું આયોજન કરી શકે છે.

 

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.